________________
ભાષાંતર] સમ્યકત્વ અને મિથ્યાત્વવાળાંને સમ્યકત્વ તથા જ્ઞાનનો તફાવત. [૨૫૧
સર્વ સામાન્યશ્રુતમાંથી સમ્યફથ્થત કેટલું અને મિથ્યાશ્રુત કેટલું? તેમજ શ્રત સિવાયના શેષ ચાર જ્ઞાનોમાંથી કયા જ્ઞાનનો મિથ્યાત્વના ઉદયથી વિપર્યાસ થાય ? અને કોનો નથી થતો ? તે જણાવે છે
चोइस दस य अभिन्ने, नियमा सम्मत्तं सेसए भयणा ।
મ-૩દિવિવાંસેડવિ, ટોડ઼ મિર્ઝ ન પુછ સેસે રૂ૪ ચૌદથી સંપૂર્ણ દશ પૂર્વ સુધીનું શ્રત અવશ્ય સમ્યકશ્રુત જ છે, તે સિવાય બાકીનું શ્રત સમ્યફશ્રત અથવા મિથ્યાશ્રુત હોય છે. મતિ અને અવધિજ્ઞાનનો વિપર્યાસ થતાં તેમાં મિથ્યાત્વ હોય છે, પણ શેષ જ્ઞાનમાં નથી હોતું. પ૩૪.
ચૌદપૂર્વથી સંપૂર્ણ દશપૂર્વ સુધીનું શ્રત અવશ્ય સમ્યકશ્રુતજ છે, તેથી જેને એટલું શ્રુત હોય, તે અવશ્ય સમ્યગદષ્ટિ જ હોય, પરન્તુ મિથ્યાદષ્ટિ કદિપણ ન હોય. એ સિવાયનું શ્રત એટલે સંપૂર્ણ દશપૂર્વમાંથી ઓછું ઓછું કરતાં છેક સામાયિક પર્યન્તનું શ્રુત જેને હોય, તે સમ્યગુદૃષ્ટિ હોય, અથવા મિથ્યાત્વના ઉદયે વિપરીતપણા વડે મિથ્યાષ્ટિ પણ હોય છે. તેથી તે શ્રુત પણ સમ્યગૃષ્ટિએ ગ્રહણ કર્યું હોય તો સમ્યફૠત થાય છે, અને મિથ્યાદૃષ્ટિએ ગ્રહણ કર્યું હોય તો મિથ્યાશ્રુત થાય છે. એ શ્રત સિવાયના ચાર જ્ઞાનોમાંથી મતિ અને અવધિ જ્ઞાન મિથ્યાત્વના ઉદયથી વિપરીતપણાએ મતિઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપે થાય છે, પણ મન:પર્યાય અને કેવળજ્ઞાન કદિપણ વિપર્યાસ નથી પામતાં, કેમકે મન:પર્યાય અને કેવળજ્ઞાન હોય, ત્યારે મિથ્યાત્વનો ઉદયજ ન હોય, એટલે વિપર્યાસ કયાંથી થાય ? મન:પર્યાયજ્ઞાન અપ્રમત્તચારિત્રિને જ હોય છે, અને કેવળજ્ઞાન ચાર-ઘાતિકર્મનો જેને ક્ષય થયો હોય તેને જ હોય છે, એટલે તે જ્ઞાનયુક્ત આત્મામાં મિથ્યાત્વનો ઉદય પણ ક્યાંથી હોય ? પ૩૪. અહીં શિષ્ય પૂછે છે કે
तत्तावगमसहावे, सइ सम्म-सुयाण को पइविसेसो ? । जह नाणं-दसणाणं, भेओ तुल्लेऽवबोहम्मि ॥५३५॥ नामवाय-धिईओ, दंसणमिटुं जहोग्गहे-हाओ।
तह तत्तराई सम्मं, रोइज्जइ जेण तं नाणं ॥५३६॥ તત્ત્વાવબોધ રૂપ સ્વભાવ બંન્નેમાં તુલ્ય છતાં, સમ્યકત્વ ને શ્રુતમાં શો તફાવત છે? જેમ સમાન બોધ છતાં, જ્ઞાન અને દર્શનમાં ભેદ છે, તેમ અહીં પણ સમજવું. જેમકે અપાય-ધારણા એ જ્ઞાન, અને અવગ્રહ-ઇહા એ દર્શનરૂપ છે; તેમ તત્ત્વની રૂચિ તે સમ્યકત્વ, અને જે વડે રૂચિ થાય તે શ્રુતજ્ઞાન. પ૩૫-૫૩૬.
પ્રશ્ન :- રાગાદિ દોષરહિત હોય તેજ દેવ તે દેવની આજ્ઞાનુસાર વર્તનારા હોય તેજ ગુરૂ, અને જીવ અજીવ આદિ તત્ત્વોનો વાસ્તવિકબોધ- તેમાં જીવ નિત્ય-અનિત્ય આદિ અનેક સ્વભાવ યુક્ત છે, કર્તા છે, ભોક્તા છે, મિથ્યાત્વવાદિ હેતુ વડે કર્મ બાંધનાર છે, તપ-સંયમાદિવડે કર્મથી મુક્ત થાય છે, ઈત્યાદિ બોધ સ્વરૂપ સમકિત કહેવાય છે, અને શ્રુતજ્ઞાન પણ એવાજ બોધ રૂપ છે, તો સમ્યકત્વ અને શ્રુતજ્ઞાનમાં શો તફાવત છે, કે જેથી એમ કહો છો ? કે “સમ્યક્ત્વથી ગ્રહણ કરાએલ હોય તે સમ્યફદ્ભુત છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org