________________
ભાષાંતર)
સર્વનયોના ઉપસંહાર.
[૫૫૧
થાય છે. સામાયિકરૂપ અર્થ રૂઢિથી નપુંસક લિંગે છે, અને તેથી સ્ત્રી-પુરૂષ અથવા નપુંસક આત્મા સામાયિકનો નિર્દેશ કરતાં, તેનો નપુંસક લિગે જ નિર્દેશ થાય છે.
પ્રશ્ન :- ભાવ બે પ્રકારના હોવાથી નિર્દેશ્ય અને નિર્દેશક ઉભયની અપેક્ષાએ નિર્દેશ કરવામાં આવે, તો શું હરકત છે ? જેમ કે - વિજ્ઞાન અને પરિણતિ એમ બે પ્રકારે અર્થનો ભાવ છે, અને શુદ્ધનયો ભાવને જ કહેનારા છે; તેમાં જયારે ઉપયોગવાન્ પુરૂષ સામાયિકને નપુંસક કહે, ત્યારે તે વક્તા નપુંસક વિજ્ઞાનથી અભિન્ન હોવાને લીધે નપુંસક નિર્દેશ થાય, અને નિર્દેશ કરનાર પુરૂષ પરિણતિરૂપ હોવાથી તેની અપેક્ષાએ પુલિંગ નિર્દેશ થાય.
ઉત્તર :- ભાવ બે પ્રકારનો હોવા છતાં પણ અહીં તો વસ્તુનું વિજ્ઞાન જ ઉપયોગરૂપ મનાય છે, પણ તેની પરિણતિ નથી માની, તેથી અહીં વિજ્ઞાનરૂપ જ નિર્દેશ માનેલ છે. તે પ્રશ્ન :- જે નિર્દેશાય-કહેવાય તે નિર્દેશ, આ ઉપરથી પુદ્ગલ દ્રવ્યરૂપ શબ્દ જ નિર્દેશ કહેવાય છે, તો પછી તદુપયોગરૂપ જ નિર્દેશ કેમ મનાય ?. * ઉત્તર - એમ નહિ, શબ્દ કેવળ દ્રવ્ય માત્ર છે, અને શબ્દનય જ્ઞાનરૂપ ભાવગ્રાહી છે, આથી પુરૂષ પરિણતિરૂપ ભાવ છતાં પણ તે પરિણતિનો નિર્દેશ અહીં નથી માનેલ, પરંતુ વિજ્ઞાનરૂપ જ નિર્દેશ અહીં માનેલ છે.
પ્રશ્ન :- પણ શબ્દનય મુખ્યત્વે શબ્દને માનનાર છે, તો પછી શબ્દરૂપ નિર્દેશ અહીં કેમ ન મનાય ?
ઉત્તર :- શબ્દનય, શબ્દથી જ અર્થજ્ઞાન માને છે, જેથી કરીને શબ્દ તે જ્ઞાનનું કારણ છે, કારણ તે દ્રવ્ય છે, દ્રવ્ય તે ભાવ શૂન્ય છે, અને શબ્દનય ભાવગ્રાહી છે, આથી શબ્દનય કેવળ શબ્દને જ મુખ્યત્વે માનનાર છે, એમ કહેવું અયોગ્ય છે. એટલે શબ્દરૂપ નિર્દેશ કેમ મનાય ? * પ્રશ્ન - ઉપયોગવાનું વક્તા જે અર્થ કહે છે, તદ્ધશાત નિર્દેશ મનાય છે, અને તેથી નિર્દેશ્યની અપેક્ષાએ નિર્દેશ થયો. એમ થવાથી સંગ્રહ-વ્યવહાર અને શબ્દનયમાં શો તફાવત રહ્યો ?
ઉત્તર :- સંગ્રહ-વ્યવહારનય, ઉપયોગવન્ત અથવા ઉપયોગરહિત વક્તાની અપેક્ષા વિના કેવળ અભિધેયવશાત્ શબ્દ માત્રને જ નિર્દેશ માને છે, અને આ નય, બાહ્યવસ્તુની પ્રતીતિ અંગીકાર કરીને જે ઉપયોગ થાય, તે ઉપયોગથી અભિન્ન અભિધાયક જીવના ઉપયોગરૂપ સ્વરૂપને નિર્દેશ કહે છે.
પ્રશ્ન :- જો એમ હોય તો ઋજુસૂત્ર નયથી આનો શો તફાવત છે? ઋજુસૂત્રનય પણ નિર્દેશકની અપેક્ષાએ નિર્દેશ કહે છે, અને એવો જ નિર્દેશ આ નયમાં કહો છો ?
ઉત્તર - ઋજુસૂત્રનયના અભિપ્રાયે ઉપયોગરહિત વક્તાનો કેવળ શબ્દ માત્ર નિર્દેશ કહેવાય છે, અને આ નયમાં તો વાચ્ય-વસ્તુના જ્ઞાનનો ઉપયોગ તે નિર્દેશ કહેવાય છે. એટલો એ નય અને આ નયમાં તફાવત છે.
એ પ્રમાણે ઉપરોક્ત નૈગમાદિ સર્વ નયો પરસ્પર અપેક્ષા વિના એકેક અંશગ્રાહી છે, તેથી તેઓ મિથ્યારૂપ હોવાથી અપ્રમાણ છે. પણ જો તે સર્વ મળીને પરસ્પર એક બીજાની અપેક્ષાએ જો વસ્તુ ગ્રહણ કરે, તો તે સંપૂર્ણ વસ્તુઝાહી થવાથી જૈનમત રૂપ થઈ સત્ય સ્વરૂપ થાય છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org