SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨] ઉદેશનિર્દેશની પૂર્ણાહુતિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કે જૈનમત નિર્દેશના બાહ્ય અને અત્યંતર નિમિત્તને ગ્રહણ કરનાર છે, તેમાં બાહ્ય નિમિત્ત ઘટપટ શકટ (ગાડું) વિગેરે અભિધેય વસ્તુ છે, અને અત્યંતર નિમિત્ત સ્વરનામકર્મનો ઉદય-તાલુઇન્દ્રિયપ્રયત્ન વિગેરે નિમિત્તો છે. એ ઉભય પ્રકારના નિમિત્તરૂપ સામગ્રી જન્ય નિર્દેશ માનનાર હોવાથી જૈનમત સમ્યફપ્રમાણરૂપ છે. અહીં એવી શંકા ન કરવી કે “બાહ્ય ઘટાદિ અર્થ સંબંધ રહિત હોવાથી શબ્દનું નિમિત્ત કેવી રીતે થાય ? કારણ કે શબ્દ અને અર્થનો પરસ્પર વાચ્ય-વાચક સંબંધ છે, તેથી તે તેનું કારણ થઈ શકે છે. જો શબ્દ અર્થનો વાચક હોય, તો જેણે સંકેતગ્રહણ નથી કર્યો, એવા સ્વેચ્છાદિને પણ તે શબ્દ અર્થનું પ્રતિપાદન કરી શકે – જણાવી શકે.' આવી શંકા પણ ન કરવી, કેમકે કર્મના લયોપશમની અપેક્ષા યુક્ત તે શબ્દ અર્થનું પ્રતિપાદન કરે છે, અને તે ક્ષયોપશમ, સંકેતાદિની અપેક્ષાયુક્ત હોય છે. જેમ દીપક પ્રકાશક છે, છતાં પણ અન્ય વિગેરેને અર્થ જણાવી શકતો નથી. કારણ કે તે સાથે જોનારને ચહ્યું નથી એટલે તે અર્થ જણાવી શકતો નથી, તેવી જ રીતે શબ્દ વાચક છે, છતાં પણ ક્ષયોપશમની અપેક્ષા વિના તે અર્થ જણાવી શકતો નથી. પ્રશ્ન :- જો ક્ષયોપશમની અપેક્ષાયુક્ત શબ્દ અર્થને જણાવે છે, એમ કહેતા હો, તો સંકેત કર્યા છતાં પણ અર્થ પ્રગટ થવો ન જોઈએ; પણ એમ તો થતું નથી, જેઓએ સંકેતગ્રહણ કર્યો હોય, તેઓને અર્થ પ્રતીતિ થતી જણાય છે. તો પછી વચ્ચે નકામો ક્ષયોપશમ માનવાનું શું પ્રયોજન છે ? ઉત્તર :- એમ કહેવું અયોગ્ય છે, કારણ કે કેટલાક જડબુદ્ધિવાળાઓ વિશિષ્ટ ક્ષયોપશમના અભાવે શાસ્ત્રના વ્યાખ્યાનાદિમાં વિષમપદવાળા વાક્યોમાં સંકેત પણ કરી શકતા નથી, અને કેટલાક સંકેત કર્યા છતાં પણ અર્થ સમજી શકતા નથી. વળી કેટલાકને પૂર્વે નહિ સાંભળેલી મ્લેચ્છની ભાષા સાંભળીને, સંકેત ગ્રહણ નહિ ર્યા છતાં પણ કોઈક રીતે એકદમ શીધ્ર અર્થની પ્રતીતિ જણાય છે, આ સર્વેમાં ક્ષયોપશમની મંદતા કે પટુતા જ હેતુ છે. માટે કર્મક્ષયોપમાદિ સામગ્રી યુક્ત જ શબ્દ વાચક છે અને અર્થ વાચ્ય છે, એ રીતે શબ્દ અને અર્થનો પરસ્પર વાચ્ય-વાચક સંબંધ છે. ૧૫ર૯-૧૫૩૮. એ પ્રમાણે ઉદેશ તથા નિર્દેશ, એ બે દ્વાર ઉપોદ્દાત નિયુક્તિનાં કહ્યાં, હવે ત્રીજાં નિર્ગમનામનું દ્વાર કહેવાને માટે તેની પ્રસ્તાવના કરે છે. निद्दिट्ठस्स पसूई, सा दब्ब-क्नेत्त-काल-भावेहिं । किं तं ? जीवदव्वं, पसूयमेयं जओ जह वा ॥१५३१।। नेत्ते कम्मि व काले, पुरिसविसेसो व भावओ को सो ? । खेत्ताइतिगं निग्गमभेउ च्चिय छविहो जं सो ॥१५३२।। - નિર્દિષ્ટ એવા સામાયિક અધ્યયનની ઉત્પત્તિ હવે કહેવાશે, તે દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવવડે છે. જેમ કે-કયું તે જીવ દ્રવ્ય છે કે જેનાથી આ અધ્યયન ઉત્પન્ન થયું ? અથવા કોણે કહ્યું ? ક્યા ક્ષેત્રમાં ? ક્યા કાળે ? ભાવથી ક્યા પુરૂષ વિશેષે તે પ્રરૂપ્યું છે ? આ ક્ષેત્રાદિ ત્રણ નિર્ગમના જ ભેદ છે, કેમકે તે છ પ્રકારે છે. ૧૫૩૧-૧૫૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy