________________
ભાષાંતર ]
ઉત્કૃષ્ટ અવધિનો વિષય.
[ ૩૦૩
કામણદ્રવ્યોથી એ તૈજસાદિદ્રવ્યો અતિસ્થૂલ છે, તેથી અહીં ક્ષેત્ર-કાળને થોડા વિષયપણે કહ્યા છે. ૬૭૪.
પ્રશ્ન :- હે ગુરૂદેવ ! જેમ જઘન્ય અને મધ્યમ અવધિજ્ઞાન કેટલાકજ રૂપીદ્રવ્યોને જુએ છે, તેમ ઉત્કૃષ્ટ અવધિ પણ કેટલાક રૂપીદ્રવ્યોનેજ જુએ છે, કે સર્વ રૂપીદ્રવ્યને જુએ છે. ? શિષ્યની એ શંકાના સમાધાનાર્થે ગુરૂદેવ નિયુક્તિની ગાથા કહે છે કે(४४) एगपएसोगाढं, परमोही लहइ कम्मगसरीरं ।
लहइ य अगुरुलहुयं, तेयसरीरं भवपुहुत्तं ॥६७५॥ એકપ્રદેશાવગાઢ દ્રવ્ય, કાર્મણશરીર અને અગુરુલઘુદ્રવ્ય પરમાવધિ જુએ છે અને તૈજસશરીર જોનાર બેથી નવ ભવ સુધી જુએ છે. ૬૭૫.
“એક પ્રદેશાવગઢ” (એક આકાશના પ્રદેશમાં રહેલ) પરમાણુ-યણુકાદિ અનન્તાણુક સ્કંધ પર્યન્ત સર્વદ્રવ્ય, તથા કાર્યણશરીર પરમાવધિજ્ઞાન-ઉત્કૃષ્ટાવધિજ્ઞાન જુએ છે.
પ્રશ્ન : - “એકપ્રદેશાવગાઢ” એમ સામાન્યથી કહેલ છતાં પરમાણુ-યણુકાદિ દ્રવ્ય જાણે છે, એમ શાથી કહો છો ? અને મૂળમાં કહ્યા મુજબ “એકપ્રદેશાવગાઢ” કાર્મણ શરીર જાણે છે, એમ કેમ નથી કહેતા ?
ઉત્તર : - કાર્યણશરીર અસંખ્યયપ્રદેશાવગાહી હોવાથી એક પ્રદેશાવગાહી કહી શકાય નહિ. વળી અગુરુલઘુસર્વદ્રવ્ય અને ચ શબ્દથી ગુરૂલઘુસર્વદ્રવ્ય પરમાવધિ જુએ છે. જાતિની અપેક્ષાએ એક વચન છે. એમ ના કહીએ તો-એક પ્રદેશ અવગાહવાળા કાર્મણ શરીર અગુરૂ લઘુદ્રવ્ય તથા ગુરૂલઘુદ્રવ્ય પરમાવી જાણે છે, એમ અંગીકાર થઈ જાય. તથા જે અવધિ તૈજસશરીરને જુએ છે, તે અવધિ કાળથી ભવપૃથકત્વ (બેથી નવ ભવ પર્યત જુએ છે.) પૂર્વે તૈજસ શરીર જોનાર અવધિજ્ઞાનનો કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે કહ્યો છે, તે અસંખ્યાતો કાળ આ ભવપૃથફત્વકાળથી જુદો નથી, પણ ભવપૃથકત્વની અંદર જ એ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ છે તેથી અધિક નથી. અને એ ભવપૃથત્વકાળ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની અંદરનો જ છે. તેથી બહારનો નથી.
પ્રશ્ન :- એક પ્રદેશાવાહી પરમાણુ વિગેરે અતિસૂક્ષ્મ છે, તે સૂક્ષ્મ પરમાણુ આદિને જાણવાથી, સ્થૂલ કાર્પણ શરીરાદિ પણ જણાય જ, તો પછી તેમને જુદા શાથી કહ્યા છે ? અથવા “એક પ્રદેશાવાહી દ્રવ્ય જુએ છે” એમ ન કહેતાં “સર્વરૂપી દ્રવ્ય જાએ છે.” એમ કહો તો શું બાધા છે. ?
ઉત્તર :- જે પરમાણુ આદિ સૂક્ષ્મ દ્રવ્ય જુએ છે, તે કાર્મણ શરીરાદિ સ્થૂલ દ્રવ્યને અવશ્ય જુએ છે જ, પરંતુ જે સ્થૂલ દ્રવ્ય જુએ છે, તે સૂક્ષ્મ દ્રવ્યને અવશ્ય જુએ છે એવો નિયમ નથી; કારણ કે ૬૨૭મી ગાથામાં કહ્યા મુજબ ઉત્પન્ન થતું અવધિજ્ઞાન અગુરૂ લઘુદ્રવ્ય જુએ છે અને ગુરૂલઘુદ્રવ્ય નથી જોઈ શકાતું, અથવા ઘટાદિ પૂલ વસ્તુને પણ નથી જોઈ શકતું, વળી મન:પર્યાયજ્ઞાની મનોદ્રવ્ય સૂક્ષ્મ છતાં પણ પ્રત્યક્ષ જુએ છે, અને ચિંતનીય ઘટાદિવસ્તુ પૂલ છતાં પણ નથી જોઈ શકતા, આમ વિજ્ઞાનવિષય વિચિત્ર હોવાથી થતા સંશયનો છેદ કરવા માટે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org