SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ભાષાની લોકવ્યાપ્તિનો સમય. [૧૯૩ લોકમાં વ્યાપ્તિ થતી ભાષાનો અસંખ્યાતમો જ ભાગ પહેલા અને બીજા, સમયે લોકનાં અસંખ્યાતમાં ભાગ હોય છે, એટલે કે ત્રણસમયની વ્યાપ્તિમાં, ચારસમયની વ્યાપ્તિમાં ને પાંચ સમયની વ્યાપ્તિમાં, પહેલા અને બીજા સમયે સર્વત્ર લોકના અસંખ્યાતમા ભાગે ભાષાનો પણ અસંખ્યાતમો ભાગજ હોય છે. વિશેષ નહિ, કેમકે ત્રણ સમયની વ્યાપ્તિમાં પહેલા સમયે છ દંડ થાય છે, અને બીજા સમયે છ મન્થાન થાય છે. એ દંડાદિની લંબાઈ જો કે લોકાન્ત સ્પર્શી હોય છે, તો પણ વક્તાના મુખથી નીકળેલ હોવાથી તેના અનુસારે જાડાઇમાં ચાર અંગુલાદિ પ્રમાણવાળા હોય છે, અને એ ચાર અંગુલાદિ પ્રમાણ, તે તો લોકના અસંખ્યાતમા ભાગજ છે. આ પ્રમાણે ત્રણ સમયની વ્યાપ્તિમાં પહેલા ને બીજા સમયે ભાષાનો અસંખ્યાત્મો ભાગજ હોય છે. ચારસમયની વ્યાપ્તિમાં પણ એમજ સમજવું. એટલે કે પહેલા સમયે ભાષાદ્રવ્ય લોકના મધ્યમાં પેસે છે, અને બીજા સમયે દંડોનો સભાવ છે, તેથી એ પણ લોકનો અસંખ્યાતમો ભાગજ છે.પાંચ સમયની વ્યાપ્તિ તો સુખે સમજાય એવી છે. એટલે કે પહેલા સમયે ભાષાદ્રવ્ય વિદિશામાંથી પ્રવેશ કરે છે. અને બીજા સમયે લોકના મધ્યમાં પ્રવેશ કરે છે. એથી એ પણ લોકનો અસંખ્યાતમો ભાગ જ છે. એ રીતે ત્રણ આદિ સમયની વ્યાપ્તિમાં સર્વત્ર પહેલા ને બીજા સમયે લોકના અસંખ્યાતમા ભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ જ હોય છે. એ સિવાયના બાકીના ત્રીજા ચોથા ને પાંચમા સમયે ભજના સમજવી. એટલે કે એ સમયમાં કોઈ વખત લોકના અસંખ્યાતમાભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ જ હોય છે, વળી કોઈક વખત લોકના સંખ્યાતમાભાગે ભાષાની સંખ્યાતમો ભાગ જ હોય છે અને કોઈ વખત સર્વલોક વ્યાપી હોય છે. જેમકે-ત્રણ સમયની વ્યાપ્તિમાં ત્રીજા સમયે ભાષા સર્વલોકમાં વ્યાપનાર હોય છે, ચારસમયની વ્યાપ્તિમાં ત્રીજા સમયે લોકના સંખ્યાતમા ભાગે ભાષાનો સંખ્યાતમો ભાગ જ હોય છે, કેમકે સ્વયંભૂરમણના પશ્ચિમતટવર્તિ લોકાન્ત અથવા ત્રસનાડીની બહાર પશ્ચિમ દિશામાં રહીને બોલનાર વ્યક્તિના ભાષાદ્રવ્ય પહેલે સમયે ચાર અંગુલાદિ જાડાઈવાળો એક રાજ લાંબો દંડ થઇ તિર્થો થઈને સ્વયંભૂરમણના પૂર્વતટવર્તિ લોકાન્ત સુધી જાય છે. તે પછી બીજા સમયે એ દંડમાંથી ઉપર-નીચે ચૌદરાજ ઊંચો અને પૂર્વ-પશ્ચિમ તિર્થો એક રાજ પહોળો પરાઘાતવાસિત દ્રવ્યોનો દંડ થાય છે. અને લોકના મધ્યમાં રહી બોલનાર વ્યક્તિના ભાષાદ્રવ્યના દક્ષિણ ને ઉત્તર દિશાથી પરાઘાતવાસિત દ્રવ્યના ચાર અંગુલાદિ જાડાઇવાળા ને એક રાજ પહોળા બે દંડ નીકળીને સ્વયંભૂરમણના દક્ષિણ-ઉત્તરવર્તિલોકાન્ત સુધી જાય છે. આમ હોવાથી ચાર અંગુલાદિ જાડાઇવાળું ને એક રાજ પહોળું સર્વત્ર લોકના મધ્યમાં ગોળ છત્વર સિદ્ધ થાય છે. આ પ્રમાણે થયા પછી ત્રીજા સમયે ઉર્ધ્વ-અધો વ્યવસ્થિત દંડમાંથી ચારે દિશામાં ફેલાએલો પરાઘાતવાસિતદ્રવ્યનો સમૂહ મંથાનરૂપે થાય છે, અને લોકના મધ્યમાં રહેલા સર્વ તરફ એક રાજ વિસ્તૃત છત્વરથકી ઉપર-નીચે ફેલાએલો વાસિતદ્રવ્યનો સમૂહ સમસ્ત ત્રસનાડીને પૂરી દે છે. આમ થવાથી ઉપર-નીચે રહેલ દંડ અને મંથાનભાવે લોકની સંપૂર્ણ ત્રસનાડી પૂરાય છે. આટલું ક્ષેત્ર એ લોકની સંખ્યાતમો ભાગ છે. અને તેથી ચાર સમયની રે પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy