SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] કેવળી અને અચિત્તસમુદ્યાત ભિન્ન છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ વ્યાપ્તિના ત્રીજા સમયે, લોકના સંખ્યામાં ભાગે સર્વલોકવ્યાપિની ભાષાનો પણ સંખ્યાતમો ભાગ હોય છે એમ સિદ્ધ થયું. ( પાંચ સમયની વ્યાપ્તિના ત્રીજા સમયે લોકના અસંખ્યાતમાભાગે ભાષાનો અસંખ્યાતમો ભાગ હોય છે, કેમકે એ વ્યાપ્તિમાં દંડસમય હોવાથી તેનું અસંખ્યય ભાગ વર્તિપણે પૂર્વે કહેલું છે, તથા ચાર સમયની વ્યાપ્તિમાં ચોથાસમયે મંથાનના અત્તર પૂરાવાથી ભાષાદ્રવ્ય સર્વલોકમાં વ્યાપે છે. અને પાંચસમયની વ્યાપ્તિમાં ચોથાસમયે લોકના સંખ્યાતમાભાગે ભાષાનો સંખ્યાતમો ભાગ હોય છે. એ વિચાર પણ પૂર્વે કહેલ છે, પરન્તુ પાંચ સમયની વ્યાપ્તિમાં પાંચમા સમયે મન્થાનના અન્તર પૂરાવાથી ભાષાદ્રવ્ય સર્વ લોકવ્યાપિ થાય છે. આ પ્રમાણે ત્રણ-ચાર-અને પાંચસમયે ભાષાદ્રવ્યની લોકવ્યાપિપણાની ભજના છે. આ સર્વ હકીકત મહાપ્રયત્નવાન વક્તાએ મૂકેલા દ્રવ્યની અપેક્ષાએ જાણવી. મન્દપ્રયત્નવાનું વક્તાએ મુકેલા દ્રવ્યો તો લોકના અસંખ્યાતમાભાગે જ હોય છે, કેમ કે દંડાદિના ક્રમથી તે દ્રવ્યો વડે લોકપૂર્ણ થતો નથી. ૩૯૦. પૂર્વે કહેલી વાત જણાવે છે. आपूरियम्मि लोगे, दोण्हवि लोगस्स तह य भासाए । चरिमंते चरिमन्तो, चरिमे समयम्मि सव्वत्थ ॥३९१।। न समुग्घायगईए, मीसयसवणं मयं व दंडम्मि । जइ तोऽवि तीहिं पूरइ, समएहिं जओ पराघाओ ॥३९२।। जइणे न पराघाओ, स जीवजोगो य तेण चउसमओ । हेउ होज्जाहिं तहिं, इच्छा कम्मं सहावो वा ॥३९३॥ खंधोऽवि वीससाए, न पराघाओ य तेण चउसमओ । अह होज्ज पराघाओ, हवेज्ज तो सोऽवि तिसमइओ ॥३९४।। एगदिसमाइसमए, दंडं काउण चउहिं पूरेइ । अन्ने भणंति तंपि य, नागम-जुत्तिक्खम होइ ॥३९५॥ ગાથાર્થ - લોકપૂર્ણ થએ લોકનો તથા ભાષાનો ચરમાંતે ચરમાં સર્વત્ર છેલ્લા સમયે થાય છે. જૈનસમુદ્ધાત (કેવળીસમુદ્દાત)ની ગતિએ માનીયે તો મિશ્ર શબ્દ શ્રવણ ન થાય, અને જો દંડમાં તારો મત માનવામાં આવે તો પણ પરાઘાતથી વાસિત દ્રવ્યવડે ત્રણ સમયમાં લોકપૂર્ણ થાય છે. જૈનસમુઘાતમાં વાસના નથી, તે તો જીવનો વ્યાપાર છે તેથી ચાર સમય થાય છે. તેમાં ઇચ્છા-કર્મ-અથવા-સ્વભાવ હેતુ છે. સ્કંધ પણ વિશ્રસાપરિણામે થાય છે તેમાં પરાઘાત નથી, તેથી ચાર સમયે લોક પૂર્ણ કરે છે; જો તેમાં પરાઘાત હોય, તો તે પણ ત્રણ સમયે લોક પૂર્ણ કરે. એક દિશામાં દંડ કરીને ચાર સમયે લોકને પૂર્ણ કરે છે. એમ બીજાઓ કહે છે, તે પણ આગમ અને યુક્તિથી સંગત નથી. ૩૯૧ થી ૩૯૫. રાણ-ચાર અને પાંચ સમયે ભાષાવડે સમગ્ર લોકપૂર્ણ થવાથી તે ત્રણ આદિ સમયના છેલ્લા સમયે પર્યન્તવર્તિ અત્ત થાય છે અને ભાષાનો પણ પર્યન્તવર્તિ અન્ન થાય છે. કેમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy