________________
ભાષાંતરી
ભાષા વ્યાપ્તિનો ક્રમ.
[૧૯૫
ત્રણ આદિ સમયના છેલ્લા સમયે લોકનો છેડો આવવાથી ભાષા પણ ત્યાં પૂર્ણ થાય છે, તે પછી આગળ ધર્માસ્તિકાયના અભાવે તે ભાષાદ્રવ્યની ગતિ નથી થતી. અહીં જે અત્ત કહ્યો છે. તે પર્યતભાગે રહેલો અંત સમજવો, પણ આદિમાં રહેલો અંત ન સમજવો એજ કારણથી “રિમાન્ત' શબ્દ ગ્રહણ કર્યો છે. ૩૯૧. - હવે ૩૮૩મી ગાથામાં કહ્યા મુજબ જૈનસમુદ્યાત-કેવળીસમુદ્યાતની ગતિના અનુસાર ભાષાદ્રવ્યથી લોકપૂર્ણ થાય છે, એમ માનવામાં આવે, તો સર્વ દિશાઓમાં મિશ્રશબ્દ સંભળાય નહિ. કેમ કે કેવળી સમુદ્યાતમાં પ્રથમ સમયે ઉર્ધ્વ-અધોદિશા તરફ જનારો દંડ થાય છે. તેવો દંડ ભાષાદ્રવ્યમાં પણ માનીએ, તો ઉર્ધ્વ અને અધો એ બે દિશામાંજ મિશ્રશબ્દ સંભળાય, પૂર્વપશ્ચિમ-ઉત્તર-ને દક્ષિણ દિશામાં ન સંભળાય. કારણ કે એ દિશાઓમાં વિદિશાની પેઠે વક્તાએ મૂકેલાં દ્રવ્ય જતાં નથી. માટે પરાઘાતથી વાસિત દ્રવ્યજ સંભળાય. વળી સામાન્યથી “માસમતો દ્ ગં સુપર મીસર્ચ સુખ - ભાષાસમશ્રેણિથી જે શબ્દ સંભળાય છે. તે મિશ્ર સંભળાય છે.” આ કથનથી એ દિશાઓમાં મિશ્રશબ્દ સાંભળવાનું કહ્યું છે, અથવા વ્યાખ્યાથી વિશેષ પ્રતિપત્તિ થાય, એ ન્યાયથી ઉપરોક્ત કથન માન્ય કરીએ, તો ઉપર-નીચે બે દિશામાં રહેલા દંડમાં જ મિશ્ર શબ્દ સંભળાય, અને બાકીની દિશાઓમાં પરાઘાતથી વાસિત દ્રવ્યો જ સંભળાય, એમ વિવાદની ખાતર ઉપરોક્ત મત માની લઇએ તો પણ એથી ત્રણ સમયે ભાષાદ્રવ્યથી લોકપૂર્ણ થાય છે. ચાર સમયે પૂર્ણ નથી થતો. કેમકે ભાષાદ્રવ્યમાં વાસના સ્વભાવ હોવાથી તે દંડ ઉપર-નીચે જતાં સામાન્યથી ચારે દિશામાં શબ્દયોગ્ય દ્રવ્યને વાસિત કરીને શબ્દ-પરિણામવાળા કરે છે, તે પછી બીજા સમયે મંથાન કરીને ત્રીજા સમયે અન્તર પૂર્ણ કરીને લોક પૂર્ણ કરે છે. એ રીતે ત્રણ સમયે લોકપૂર્ણ થાય છે. ૩૯૨.
પ્રશ્ન :- કેવળીસમુદ્ધાતની પેઠે ભાષાદ્રવ્યથી પણ ચારસમયે લોક પૂર્ણ થાય છે, એમ માનવામાં આવે તો કંઈ દોષ છે ?
ઉત્તર :- કેવળ સમુદ્ધાતમાં આત્મપ્રદેશો જ સ્વરૂપે લોકને પૂર્ણ કરે છે તેમાં કોઈનો પરાઘાત કે વાસના નથી; ને તેથી જ બીજા સમયે મંથાન નથી થતો પણ કપાટજ થાય છે. વળી કેવળીસમુદ્યાત એ જીવનો વ્યાપાર છે, તેથી લોકવ્યાપ્તિને અપેક્ષીને ચાર સમય કહ્યા છે.
પ્રશ્ન :- કેવળીસમુદ્ધાતમાં બીજા સમયે મંથાન કેમ ન થાય ?
ઉત્તર :- ત્યાં કેવળજ્ઞાનથી કેવળી ગુણ-દોષનો વિચાર કરીને બીજા સમયે મંથાન નથી કરતા. અથવા ભવોમગ્રાહી કર્મના વશથી કે સ્વભાવથી જ તે વખતે મંથાન નથી કરતા, પણ કપાટ જ કરે છે, તે પછી ત્રીજા સમયે મંથાન કરીને ચોથાસમયે આંતરાં પુરે છે. એ પ્રમાણે કેવળ સમુદ્ધાતમાં લોક પૂર્ણ કરતાં ચાર સમય લાગે છે; પરન્તુ ભાષા-દ્રવ્યની ગતિ શ્રેણિના અનુસારે થાય છે અને જે પરાઘાત સ્વભાવ છે તે લોકવ્યાપ્તિમાં હેતુ છે. તેથી પહેલા સમયે ઉર્ધ્વ-અધોગામી દંડ કરીને બીજા સમયે ચાર દિશામાં શ્રેણિના અનુસાર ગતિ થતી હોવાથી, તે બીજા સમયે એ ભાષાદ્રવ્યના મંથાન થાય છે. કારણ કે-ઉર્ધ્વ-અધોગામી દંડ વડે અન્ય દ્રવ્યોને પરાઘાત થાય છે. વળી તેનો તેવો વાસકસ્વભાવ અને ભાષાદ્રવ્ય સર્વત્ર સુલભ હોવાથી બીજા સમયે મંથાન જ થાય, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org