SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] મતિજ્ઞાનના પર્યાયો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ ત્રીજા સમયે મંથાનનાં આંતરા પૂરાવા વડે સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ થાય. એ રીતે લોકપૂર્ણ થવામાં ત્રણ સમય લાગે પણ ચાર સમય ન લાગે. ૩૯૩. પ્રશ્ન :- જો એમ હોય, તો અચિત્ત મહાત્કંધમાં જીવનો વ્યાપાર નથી, તો પણ તેનો બીજા સમયે કપાટ કહ્યો છે, અને તેથી પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં તેના વડે લોક પૂર્ણ થતાં ચાર સમય કહ્યા છે, તેનું શું કારણ ? ઉત્તર :- અચિત્ત મહાઅંધ કેવળ વિશ્રસાપરિણામથી થાય છે, જીવપ્રયોગ વડે થતો નથી. એ વિશ્રસાપરિણામ વિચિત્ર હોવાથી તેમાં પ્રશ્ન કરવો યોગ્ય નથી. તેથી એ પ્રમાણે ચાર સમયે લોક પૂર્ણ થાય છે. વળી એ દ્રવ્યોમાં પરાઘાત સ્વભાવ નથી તેથી બીજાદ્રવ્યોમાં તે સ્વપરિણામ ઉત્પન્ન કરી શકતા નથી, પરંતુ પોતાના પુદ્ગલોવડે જ લોકને પૂર્ણ કરે છે. જો એમાં પણ પરાઘાત સ્વભાવ હોય, તો તે પણ ત્રણ સમયે લોકને પૂર્ણ કરે ; પરંતુ એમ નથી, તે કારણથી સિદ્ધાન્તમાં અચિત્ત મહારૂંધ માટે ચાર સમય કહ્યા છે, અને ભાષાદ્રવ્યમાં પરાઘાતસ્વભાવ હોવાથી લોક પૂર્ણ થવા માટે ત્રણ સમય કહ્યા છે. એટલી તે અચિત્ત મહાત્કંધમાં ને આ શબ્દપુદ્ગલોની વ્યાપ્તિમાં વિષમતા છે. ૩૯૪. આ સંબંધમાં કેટલાક એમ કહે છે કે પ્રથમ સમયે ઉર્ધ્વ દિશામાં દંડ કરે છે અને બીજા સમયે ત્યાં જ મંથાન કરે છે, તથા અધોદિશામાં પુનઃ દંડ કરે છે, ત્રીજા સમયે ઉર્ધ્વદિશાના મંથાનના આંતરા પૂરે છે અને અધો દિશામાં મંથાન કરે છે પછી ચોથા સમયે નીચેના અંતર પૂરીને સમગ્ર લોક ભાષાદ્રવ્યથી પૂર્ણ કરે છે. ઉપર મુજબ બીજાઓનું કથન યોગ્ય નથી. કેમ કે આગમમાં એ પ્રમાણે કયાંય પણ જોયું કે સાંભળ્યું નથી. વળી તે યુક્તિસંગત પણ નથી. કેમકે શ્રેણીના અનુસાર ગતિ કરવાના સ્વભાવવાળા પુલો શું એક જ દિશામાં ગતિ કરે છે? બીજી દિશામાં નથી કરતા? વક્તાના મુખતાલ આદિના પ્રયત્નથી એ પ્રમાણે ગતિ થાય છે એમ કહેવામાં આવે, તો તે પણ યોગ્ય નથી. કેમ કે કોઈ વખત વક્તા વિશ્રેણિ સન્મુખ રહીને વિશ્રેણિ તરફ ભાષાના પુદ્ગલોને પ્રેરે, તો તેથી વિદિશામાં પણ એ પુદ્ગલો જાય. વળી એમ થવાથી પડહ આદિના શબ્દપુદ્ગલોને ચાર સમયનો નિયમ ન રહે. કેમ કે એવા પુદ્ગલોને વક્તાનો પ્રયત્ન નથી, તેથી ગમે તેમ ગતિ કરે માટે ઉપરોક્ત માન્યતા યુક્તિરહિત અને આગમવિરૂદ્ધ હોવાથી ઉપેક્ષા કરવા યોગ્ય છે. ૩૯૫. હવે આભિનિબોધિક-મતિજ્ઞાનના પર્યાયો કહે છે. (૨૨) { 3gp બંસા, મUT ૨ ગોસTI सण्णा सई मई पण्णा, सव्वं आभिणिबोहियं ।।३९६॥१२।। होइ अपोहोऽवाओ, सई धिई सव्वमेव मइ-पण्णा । ईहा सेसा सव्वं, इदमाभिणिबोहियं जाण ॥३९७।। मइ-पन्ना-ऽभिणिबोहिय-बुद्धिओ होंति वयणपज्जाया । जा उग्गहाइसण्णा, ते सव्वे अत्थपज्जाया ।।३९८॥ सव्वं वाऽभिणिबोहियमिहो-ग्गहाइवयणेण संगहियं । केवलमत्थविसेसं, पइ भिन्ना उग्गहाईया ॥३९९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy