________________
ભાષાંતર]
મતિશ્રુતનું વિશેષ વિવરણ
[૮૭
પણ બોલાતા પદાર્થો જ ભાવશ્રુત છે એમ નહિ. આમ હોવાથી મતિ વડે જણાયેલા અનભિલાપ્ય ભાવી ભાષણને અયોગ્ય હોવાથી ભાવશ્રુત નથી, અને મતિથી જણાયેલા સર્વે અભિલાખ ભાવો, નહિ બોલાતા છતાં પણ બોલાવાની યોગ્યતાવાળા હોવાથી તે ભાવઠુત છે.
પ્રશ્ન :- સામાન્ય બુદ્ધિથી જણાયેલા અર્થો જે ભાષણ યોગ્ય છે, તે જો ભાવૠત છે, તો પછી મતિજ્ઞાનાન્તર્ગત અપાયરૂપ વિચારમાં જણાતા અર્થ પણ ભાવશ્રત બનશે. કેમકે તે પણ ભાષણને યોગ્ય છે.
ઉત્તર :- શ્રુત અને મતિ સહિત જે ભાવોને બોલવામાં આવે છે તે ભાવો ભાવકૃત છે. બીજા નહિ. તેથી શ્રુત ઉપયોગવન્તને જ ભાષણ યોગ્ય અર્થોનો વિચાર કરતાં, ભાવશ્રુત સિદ્ધ થાય છે. તથા શ્રુતાનુસરણના અભાવે મૃતોપયોગ નથી હોતો, તેથી મતિ વડે ચિત્તિત અર્થ ભાષણ યોગ્ય છતાં પણ ભાવકૃત નથી. આ પ્રશ્ન :- અહીં મતિ-શ્રુતાત્મક સામાન્ય બુદ્ધિ કહી છે, પણ આપે તો શ્રતોપયોગને ગ્રહણ કર્યો, ત્યારે પદાર્થો મતિથી દષ્ટ છે, એમ કેમ સંભવે ? કારણ કે જ્યાં હૃતોપયોગ હોય ત્યાં પદાર્થો મૃતરૂપ બુદ્ધિના જ વિષય હોઈ શકે છે, પણ મતિરૂપ બુદ્ધિના વિષય નહિ બને.
ઉત્તર -શ્રુત મતિપૂર્વક છે અને તેથી જે પદાર્થો શ્રુતજ્ઞાનના વિષય હોય, તે મતિજ્ઞાનના પણ વિષય હોય છે જ. તાત્પર્ય એ છે કે- શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત પ્રાણી સામાન્યબુદ્ધિથી જણાયેલા અર્થોને સામગ્રી સંભવે બોલે છે, તે ભાવો-પદાર્થો ભાવૠત છે.
પ્રશ્ન :- અર્થોને ભાવઠુત કેમ કહી શકાય ? જ્ઞાનને જ ભાવઠુત કરૂં યોગ્ય છે.
ઉત્તર :- તારું કથન સત્ય છે, પરંતુ અહીં વિષય અને વિષયીનો અભેદ આરોપ કરીને, ભાવકૃતમાં જણાતા અર્થોને ભાવકૃત કહ્યું છે. આ ભાવકૃતથી જે ભિન્ન હોય તે મતિ જાણવી. અર્થાત્ જે ઘટાદિ પદાર્થો અભિલાપ્ય છતાં, શ્રુતાનુસારીપણાના અભાવે શ્રુતના ઉપયોગપૂર્વક વિચારાતા નથી, અને જે પદાર્થો અર્થબોધક નિયત શબ્દોના અભાવે મૂળથી જ અનભિલાપ્ય છે, તે પદાર્થો જે વિજ્ઞાનમાં જણાય તે મતિજ્ઞાન છે, પણ શ્રુત નથી. કેમકે અભિલાપ્ય વસ્તુ વિષયવાલી મતિમાં શ્રુતઅનુસારીપણાનો અભાવ છે અને અનભિલાપ્ય વસ્તુ વિષયવાલી મતિમાં બોલવાની અયોગ્યતા છે. ૧૪૭-૧૪૮. * બુદ્ધિદષ્ટ અર્થોમાંથી જે ભાવોને કોઈપણ વખતે સંભવમાત્રથી વક્તા બોલે છે જ તે શ્રુત છે, એમ નિશ્ચય જાણવું; પરંતુ જે ભાવો બોલાય છે, તે ભાવો શ્રુત જ છે એમ નિશ્ચયથી ન સમજવું, કારણ કે કેટલાક અભિલાપ્ય ભાવો મતિ વડે જણાયેલા હોય છે, તે અવગ્રહથી ગ્રહણ કરેલા હોય, ઈહાથી વિચારેલા હોય, અને અપાયથી નિશ્ચય કરાયા હોય છે, તે અભિલાખ ભાવો શબ્દરૂપ દ્રવ્યકૃત વડે બોલાય છે, તેથી દ્રવ્યશ્રુત બને છે. જો બોલાતા ભાવોને શ્રુત જ કહીએ તો ઉપર કહેલા અભિલાપ્ય અર્થો પણ શ્રુત બની જાય, પણ એમ માનવું તે ઇષ્ટ નથી, કારણ કે એમાં શ્રુતાનુસારીપણાના અભાવે શ્રુતના ઉપયોગનો અભાવ છે. ૧૪૯,
ઉપર કહ્યા મુજબ કેવળ અભિલાખ અર્થ વિષયી સર્વશ્રુત જ્ઞાન, ધ્વનિપરિણામવાળું જ છે. (શબ્દનો પરિણામ જેમાં હોય તે ધ્વનિપરિણામ કહેવાય છે. તેવો ધ્વનિપરિણામ શ્રુતાનુસારીપણે ઉત્પન્ન થયેલો હોય છે, એમ માનેલ છે. વળી શ્રુતજ્ઞાન સંકેતકાળભાવિ પરોપદેશરૂપ અને શ્રતગ્રંથરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org