SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] મતિૠતનું વિશેષ વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેટલાક આચાર્યો નહિ બોલતા મતિવિશેષ શ્રુતાનુસારી છતાં પણ તેને મતિરૂપ માને છે. (પણ એમ નથી.) કારણ કે એથી ભાવશ્રુતનો અભાવ થશે, જો ભાષ્યમાણ સિવાયનું શેષ સર્વજ્ઞાન મતિરૂપ હોય તો મતિ-શ્રુતજ્ઞાની પરસ્પર ષસ્થાનગત કેવી રીતે થાય ? અથવા સામાન્ય બુદ્ધિ એટલે મતિ-શ્રુતજ્ઞાન; અને તે વડે જણાયેલા અર્થને બોલે તે ભાવૠત છે. (અહીં) બોલે એ શબ્દ સંભવ માત્રથી ગ્રહણ કરેલ છે, ભાગમાણતા માત્ર નહિ. તથા અભાષ્યમાણ છતાં પણ તે ભાવક્રુત નક્કી મતિ સહિત છે. અને તે સિવાયનું મતિજ્ઞાન છે. (અહીં) “મતિ સહિતપણું કહ્યું છે, તે શ્રુતમાં ઉપયોગવાળાને સમજવું. જેને વક્તા બોલે છે જ, તે શ્રત છે, પણ ભાષ્યમાણ શ્રુત જ છે, એમ નહિ, કારણ કે કેટલાક ભાવો મતિથી પણ દષ્ટ છે, જે દ્રવ્યશ્રુતપણે પામે છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાન ધ્વનિ પરિણામવાળું છે, અને મતિજ્ઞાન ઉભય પ્રકારે છે, જેથી તે ભિન્ન સ્વભાવવાળાં છે, તેથી તે ભિન્નસ્વરૂપવાળાં પણ છે. ૧૪૫-૧૫૦. કેટલાક વ્યાખ્યા કરનારાઓ, જે અમુક મતિવિશેષ શ્રતને અનુસારી હોવા છતાં તેમાં શબ્દપ્રવૃત્તિ ન થવાથી, કેવળ હૃદયમાં સ્કુરાયમાન થાય છે, તેથી તેને મતિજ્ઞાન જ માને છે. તેઓનું એ મન્તવ્ય યોગ્ય નથી, કારણ કે એમ માનવાથી ભાવકૃતનો સર્વથા અભાવ થાય છે. એ સંબંધી પૂર્વે ૧૩૨-૧૩૩મી ગાથામાં વિસ્તારથી કહ્યું છે, એટલે ફરી અહીં નથી કહેતા. ૧૪૬ . વળી જો બોલતા સિવાયનું શેષ સર્વજ્ઞાન મતિ હોય, તો મતિ-શ્રુતજ્ઞાની પરસ્પર સ્વસ્થાનમાં પંસ્થાનપતિત કેવી રીતે થાય ? ન જ થાય. કારણ કે આખા જીવન પર્યત મતિ-શ્રુત વડે જણાયેલા અર્થોનો અનંતમો ભાગ જ બોલી શકાય છે. તેથી કરીને મતિજ્ઞાની શ્રુતજ્ઞાની કરતાં નિરંતર અનંતગુણાધિક જ હોય, અને શ્રુતજ્ઞાની બીજાઓ કરતાં હમેશાં અનન્તગુણહીન જ હોય. એ પ્રમાણે જ ભાષ્યમાણ સિવાયનું શેષ સર્વજ્ઞાન મતિ હોય, તો પરસ્પર સ્વસ્થાનમાં ષસ્થાન પતિત ન થાય, અને સ્વસ્થાનમાં પણ શ્રુતજ્ઞાની બીજા શ્રુતજ્ઞાની કરતાં સંખ્યાતગુણહીન વા અધિક થાય. પરંતુ અસંખ્યાત કે અનન્તગુણ ન્યૂનાધિક ન થાય. કારણ કે ભાષક એવા ચૌદ પૂર્વધરને સંખ્યાત વર્ષના આયુષ વડે અસંખ્યાત કે અનન્તગુણ ભાષણ સંભવે નહિ. આ દૂષણ જણાવવાને માટે જ અહીં મતાન્તર જણાવેલ છે, નહિ તો પાછલ ૧૩રમી ગાથામાં આ સર્વ હકીકત કહેલ જ છે. બુદ્ધિદિ અલ્પે” ઈત્યાદિ કહેલ ૧૨૮મી પૂર્વગત ગાથાનું વ્યાખ્યાન શ્રતનું સ્વરૂપ બતાવવાને કહ્યું, અહીં મતિ-શ્રુતનો ભેદ કહેવો એ જ પ્રસ્તુત છે, તેથી મતાન્તરથી ભેદ બતાવીને તેનાં દૂષણ જણાવ્યાં. હવે ભાષ્યકાર મહારાજ પોતાના અભિપ્રાય મુજબ મતિશ્રુતનો દોષ રહિત જે ભેદ છે તે જણાવવાને પુનઃ ૧૨૮મી ગાથાનું વ્યાખ્યાન કરે છે. “બુદ્ધિદિ અલ્થ” એ ગાથામાં જે બુદ્ધિ કહી છે તે મતિ-શ્રુત રૂપ સામાન્ય બુદ્ધિ સમજવી. એ સામાન્ય બુદ્ધિથી જણાયેલા ભાવોમાંથી, જે ભાવોને વક્તા બોલે તે ભાવઠુત છે. “બોલે એ પદનું તાત્પર્ય એ છે કે – તે સ્થળમાં અથવા બીજા સ્થળમાં, તે કાળે અથવા અન્ય કાળે, તે પુરૂષથી અથવા અન્ય પુરૂષથી, સામગ્રી પ્રાપ્ત થયે તે ભાવો બોલી શકાય, અર્થાત્ જે ભાવો અંતરમાં સ્કુરાયમાન થાય છે, તે ભાવો નહિ બોલાતા છતાં પણ કહેવાને યોગ્ય હોવાથી ભાવઠુત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy