SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬] વ્યંજનાવગ્રહનું વિવરણ [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તેમાં અવગ્રહ બે પ્રકારે છે, કારણ કે વ્યંજન અને અર્થનું ગ્રહણ થાય છે. વ્યંજનાવગ્રહથી અર્થાવગ્રહ થાય છે, માટે પહેલાં વ્યંજનાવગ્રહ કહીશું. દીપકથી જેમ ઘટ પ્રગટ થાય છે, તેમ જેનાથી અર્થ પ્રગટ થાય તે વ્યંજન અને તે ઉપકરણેન્દ્રિય અને શબ્દઆદિ રૂપે પરિણત દ્રવ્યના સંબંધરૂપ છે. બહેરામુંગાની જેમ તત્કાળ પ્રાપ્તિ નહિ થતું હોવાથી તે અજ્ઞાન છે, એમ નહિ. પરંતુ તેના પછી, તે વડે નિશ્ચય ઉપલંભ થાય છે તેથી તે જ્ઞાન છે. ૧૯૩ થી ૧૯૫. ગ્રહણ કરવું તે અવગ્રહ. એ અવગ્રહ બે પ્રકારે છે, કારણ કે વ્યંજન અને અર્થનું જ ગ્રહણ થાય છે, અન્યનું ગ્રહણ થતું નથી. એમ વિષય બે પ્રકારે હોવાથી અવગ્રહ પણ બે પ્રકારે છે. તેમાં પ્રથમ પ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં વ્યંજનાવગ્રહ થાય છે, તે પછી તરત જ અર્થાવગ્રહ થાય છે, માટે પ્રથમ વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહેવાશે. ૧૯૩. જેમ દીપકવડે ઘટ પ્રગટ કરાય છે તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે. એ વ્યંજન, ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યના સંબંધરૂપ છે. અહીં ઈન્દ્રિયો બે પ્રકારની છે. ૧ દ્રવ્યેન્દ્રિય અને ૨ ભાવેન્દ્રિય, તેમાં નિવૃત્તિ અને ઉપકરણ એ બે પ્રકારે દ્રવ્યન્દ્રિય છે, તથા લબ્ધિ અને ઉપયોગ એ બે ભેદ ભાવેન્દ્રિય છે. એમાં નિવૃતિ ઇન્દ્રિય બે પ્રકારે છે. એક અન્તર્નિવૃત્તિ અને બીજી બાહ્યનિવૃત્તિ. શ્રોત્ર, ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયોની અંતનિવૃત્તિ પ્રમાણમાં અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણ છે. આકારમાં અનુક્રમે કદંબપુષ્પ, મસૂરધાન્ય, કાહલ, સુરપ્ર સમાન છે. સ્પર્શેન્દ્રિય શરીર પ્રમાણ છે, અને બાહ્યનિવૃત્તિ બહાર દેખાતા આકાર મુજબ છે. જેમ આંખ, નાક વિગેરે. - તેમાં કદંબપુષ્પગોલકાકાર જે માંસખંડાદિરૂપ અન્તર્નિવૃત્તિ છે, તેની શબ્દાદિ વિષય જાણવાના હેતુભૂત શક્તિ વિશેષ તે ઉપકરશેંદ્રિય. શ્રોત્રાદિ ઇન્દ્રિયોના વિષયો અને શબ્દાદિ (આદિ શબ્દથી રૂપ-રસ-ગન્ધ-ને સ્પર્શ સમજવા) રૂપે પરિણામ પામેલા ભાષાવર્ગણઆદિના દ્રવ્યો બન્ને વ્યંજન તરીકે ગણાય છે. આ શબ્દાદિરૂપે પરિણામ પામેલા દ્રવ્યો અને ઉપકરણેન્દ્રિયનો પરસ્પર સંબંધ તે વ્યંજન કહેવાય છે. ઇન્દ્રિયો વડે પણ અર્થ પ્રગટ કરાય છે. તેથી તે ઇન્દ્રિયો પણ વ્યંજન કહેવાય છે, અને શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્ય સમૂહ પ્રગટ કરાય છે, તેથી તે પણ વ્યંજન કહેવાય છે. એ પ્રમાણે ઉપલક્ષણથી એ ત્રણે વ્યંજન કહેવાય છે. તેથી ઇન્દ્રિયરૂપ વ્યંજન સાથે શબ્દાદિરૂપે પરિણામ પામેલ દ્રવ્યસંબંધ સ્વરૂપ વ્યંજનનું ગ્રહણ થવું તે વ્યંજનાવગ્રહ, અથવા તે વ્યંજનરૂપ ઉપકારણેદ્રિયવડે શબ્દાદિ રૂપે પરિણામ પામેલ દ્રવ્યાત્મક વ્યંજનોનું ગ્રહણ કરવું તે વ્યંજનાવગ્રહ. ૧૯૪. પ્રશ્ન :- જેમ બહેરા વિગેરે મનુષ્યને ઉપકરણેન્દ્રિયનો શબ્દાદિ દ્રવ્યો સાથે સંબંધ થતી વખતે, કંઈ પણ જ્ઞાન અનુભવાતું નથી, માટે તેનું તેને અજ્ઞાન છે; તેમ અહીં પણ તે વ્યંજનાવગ્રહ અજ્ઞાનરૂપ હોય એમ જણાય છે, કારણ કે ઉપકરણેન્દ્રિય અને શબ્દાદિરૂપે પરિણમેલા દ્રવ્યના સંબંધ કાળે સ્વસંવેદનપણે તે અનુભવાતું નથી. તેથી તે જ્ઞાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy