________________
૨૭૬]
ક્ષેત્ર કાળ આદિ અવધિનું સ્વરૂપ.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
ક્ષેત્રમાં (અવધિ) ઉત્પન્ન થાય, અથવા જે ક્ષેત્રમાં અવધિની પ્રરૂપણા થાય, અથવા જે ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યો જુએ, તે સર્વ ક્ષેત્રઅવધિ છે. એ જ પ્રમાણે જે કાળમાં અવિધ ઉત્પન્ન થાય, પ્રરૂપણા થાય, કે જોવાય, તે કાળઅવિધ છે. ક્ષેત્ર અને કાળને તો અવિધજ્ઞાની સાક્ષાત્ જુએ નહિ. ૫૮૫.
જે નગરના ઉદ્યાનાદિમાં રહેલા સાધુ આદિને અવધિ ઉત્પન્ન થાય, તે અવધિના અધિકરણભૂત ક્ષેત્ર, તે ક્ષેત્રઅવધિ કહેવાય છે. અહીં આધારભૂતક્ષેત્રની મુખ્યતાની વિવક્ષાએ વ્યપદેશ કર્યો છે. અથવા જે ક્ષેત્રમાં અવધિની પ્રરૂપણા કરાય તે, તેમજ જે ક્ષેત્રમાં રહેલાં દ્રવ્યો અવધિજ્ઞાની જુએ છે. તેને પણ તેની મુખ્યતાની વિવક્ષાએ ક્ષેત્રઅવધિ કહેવાય છે. એજ પ્રમાણે જે પ્રથમપૌરૂષીઆદિ કાળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તે, અથવા જે કાળમાં અવધિની પ્રરૂપણા કરાય તે, તેમજ જે કાળવિશિષ્ટદ્રવ્યોને અવિધજ્ઞાની જુએ છે, તેને તેની મુખ્યપણાની વિવક્ષાએ કાળઅવિધ કહેવાય છે.
પ્રશ્ન :- અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળમાં રહેલા દ્રવ્યો જુએ છે એમ કહ્યું છે, તો શું તે અવધિજ્ઞાની ક્ષેત્ર અને કાળને સાક્ષાત્ નથી જોતા ?
ઉત્તર :- ક્ષેત્ર અને કાળ અરૂપી હોવાથી અધિજ્ઞાની સાક્ષાત્ તેને જોઇ શકતા નથી, કેમ કે અવધિજ્ઞાની રૂપીવસ્તુને જ જોઇ શકે છે. તેથી આધારભૂત ઉઘાનાદિ જુએ છે. તથા વર્તનારૂપ કાળને તો તે જુએ છે, કારણ કે વર્તના તો દ્રવ્યનો પર્યાય છે. ૫૮૫.
હવે ભવ અને ભાવ અવધિનું સ્વરૂપ કહે છે.
जमि भवे उप्पज्जइ, वट्टइ पासइ व जं भवोही सो ।
एमेव य भावोही, वट्टइ य तओ खओवसमे ॥ ५८६ ॥
જે ભવમાં અવધિ ઉત્પન્ન થાય, વર્તતું હોય અને જુએ, તે અવિધ ભવઅવધિ છે. એજ પ્રમાણે ભાવઅવિધે છે, અને તે ક્ષયોપશમભાવમાં છે. ૫૮૬.
જે નારકાદિ ભવમાં અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે તે, અથવા જે ભવમાં અવિધ ઉત્પન્ન થએલ હોય છે તે નારકાદિ ભવ અથવા પોતાના કે પરના એકથી અસંખ્યાતા ભવને જુએ તે ભવઅવિધ છે. અહીં આધારભૂત અથવા વિષયભૂત ભવને વિષે જે અવિધ હોય તેને ભવઅધિ કહેલ છે. આજ પ્રમાણે ભાવઅવધિ પણ સમજવું. જેમકે-જે ક્ષાયોપશમિકભાવમાં અવધિ ઉત્પન્ન થાય તે, અથવા જે ક્ષાયોપશમિકભાવ થએથીજ ઉત્પન્ન થાય તે, અથવા ઔદયિકાદિ પાંચ ભાવોમાંના કોઇ પણ એકને કે સર્વને જુએ છે, તે ભાવઅવિષે કહેવાય છે. આ પ્રમાણે પ્રથમ વ્યાખ્યાનમાં દ્વારપણે આવેલા અને બીજા વ્યાખ્યાનમાં વિશેષણપણે આવેલા અવધિનો નિક્ષેપ કહ્યો. ૫૮૬.
હવે અવધિજ્ઞાનનું ક્ષેત્રપરિમાણ કહેવાને ભાષ્યકાર મહારાજ પ્રસ્તાવના કરતાં કહે છે કેओहिस्स खेत्तमाणं, जहण्णमुक्कोरस-मज्झिमं तत्थ । पाएण तदाईए, जं तेण जहन्नयं वोच्छं || ५८७ ।।
હવે અવધિજ્ઞાનના (વિષયભૂત) ક્ષેત્રનું પ્રમાણ જઘન્ય-ઉત્કૃષ્ટ-ને મધ્યમ એમ ત્રણ પ્રકારે છે; તેમાં પ્રથમ ઘણું કરીને જધન્યપ્રમાણવાળું અવધિ થાય છે, તેથી પથમ તે ક્ષેત્રનું જઘન્ય પ્રમાણ કહીશ. ૫૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org