SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દ્રવ્ય અવધિનું સ્વરૂપ. [૨૭૫ અથવા તેનું જ “અવધિ એવું નામ એ નામ અવધિ છે. કેમ કે (અવધિ) એવું નામ એ પણ અવધિજ્ઞાનનો સ્વપર્યાય છે. તથા તે અવધિના દ્રવ્યક્ષેત્ર અને સ્વામીનો આકાર વિશેષ તે સ્થાપના અવધિ છે. ૫૮૩. અથવા “અવધિ” એવા અક્ષરોની પંક્તિરૂપ સંજ્ઞા તે નામ અવધિ છે, અવધિ એવું નામ એ અવધિજ્ઞાનનો વચનરૂપ સ્વપર્યાય છે. તથા અવધિજ્ઞાનના વિષયભૂત પૃથ્વી-પર્વતાદિ દ્રવ્ય, ભરતાદિ ક્ષેત્ર, અને સ્વામિપણાના આધારભૂત જે સાધુ વિગેરે તેઓનો આકાર વિશેષ તે પણ સ્થાપના અવધિ છે. કેમકે વિષય અને વિષયભાવના સંબંધથી તેઓના આકારમાં અવધિ સ્થપાય છે. પૂર્વની ગાથામાં મર્યાદા અને અાદિમાં અવધિજ્ઞાન અસંબદ્ધ છતાં પણ તેમને નામઅવધિ અને સ્થાપનાઅવધિ તરીકે કહ્યા છે, અને અહીં નામ અને દ્રવ્યાદિ આકારમાં અવધિજ્ઞાન સંબદ્ધ હોવાથી તેમને નામ અવધિ ને સ્થાપના અવધિ કહેલ છે. એટલો એમાં ને આમાં તફાવત છે. ૫૮૩. હવે દ્રવ્યઅવધિ કહે છે, તે બે પ્રકારે છે, આગમથી અને નોઆગમથી, તેમાં અવધિ પદાર્થને જાણનારો છતાં તેમાં ઉપયોગરહિત હોય, તે આગમથી દ્રવ્યઅવધિ કહેવાય, કેમકે “ઉપયોગ રહિત, હોય તે દ્રવ્ય” એ વચનથી તે ઉપયોગ શૂન્ય મનુષ્ય દ્રવ્યઅવધિ કહેવાય છે. તથા નોઆગમથી જે જ્ઞશરીર દ્રવ્યઅવધિ ને ભવ્ય શરીર દ્રવ્યઅવધિ છે, તેનું સ્વરૂપ તો જાણીતું છે. તેથી તેને છોડીને જ્ઞશરીર ભવ્યશરીરથતિરિક્ત દ્રવ્યઅવધિ ભાષ્યકાર મહારાજ પોતે કહે છે. दव्योही उप्पज्जइ, जत्थ तओ जं च पासए तेणं । जं वोवगारि दव्वं, देहाई तदुब्भवे होइ ॥५८४॥ જ્યાં અવધિ ઉત્પન્ન થાય છે, તથા તે અવધિવડે જે દ્રવ્ય જાએ તે, અથવા અવધિ ઉત્પન્ન થવામાં જે દ્રવ્ય-દેહાદિ ઉપકારી હોય તે દ્રવ્ય અવધિ છે. ૫૮૪. મોટા પર્વતની જે શિલા આદિ ઉપર કાર્યોત્સગાદિમાં રહેલા સાધુ આદિને અવધિ ઉત્પન્ન થાય તે શિલાદિ, તથા પૃથ્વી-પર્વતાદિરૂપી દ્રવ્ય-પદાર્થને તે અવધિવડે સાધુઆદિ જુએ છે, તેમજ અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં શરીરાદિ દ્રવ્ય સહકારીપણે ઉપકારી હોય તે, એ સર્વ દ્રવ્યઅવધિ કહેવાય છે. કારણ કે અહીં આધારઆદિભૂત જે શિલાદિ દ્રવ્યો તે ઉત્પન્ન થતા અવધિજ્ઞાનના સહકારી કારણો છે. એ માટે કહ્યું છે કે- મૂતરી ભાવિનો વા માવસ્ય દિ વાર તુ યત્નો . તત્ ચં તત્ત્વઃ, सचेतनाऽचेतनं गदितम् ॥१॥ ભૂત અથવા ભાવિ પદાર્થનું જે કારણ; સચેતન અથવા અચેતન હોય, તેને લોકમાં તત્ત્વજ્ઞોએ દ્રવ્ય કહ્યું છે. આ વચનથી ઉપરોક્ત શિલાદિ સર્વ વસ્તુદ્રવ્ય-અવધિ કહેવાય છે. આ સિવાય બીજા પણ તપ-સંયમાદિ અવધિજ્ઞાનની ઉત્પત્તિના કારણો છે, તેને પણ દ્રવ્યઅવધિપણે જાણવા. પણ દ્રવ્યરૂપે તે ન હોવાથી અહીં ગણાવેલ નથી. ૫૮૪. હવે ક્ષેત્રઅવધિ અને કાળઅવધિનું સ્વરૂપ કહે છે. खेत्ते जत्थुप्पज्जइ, कहिज्जए पेच्छए व दवाई। एवं चेव य काले, न उ पेच्छइ खित्त-काले सो ॥५८५।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy