SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨] સ્વર અને વ્યંજન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જેમ ભીંત ઉપર કાળા લીલા પીતઆદિ-વર્ણ-રંગ વડે ચિત્રચિત્રામણ પ્રકાશાય છે, તેમ જે વડે અર્થ પ્રકાશાય-પ્રગટ કરાય તે વર્ણ. અથવા શ્વેતાદિ વર્ણ વડે ગાયઆદિ દ્રવ્યનું વર્ણન કરાય, દેખાડાય અને બોલાય, તે વર્ણ અક્ષર કહેવાય છે. ૪૬૦. એ વર્ણ (અક્ષર) સ્વર અને વ્યંજન એમ બે પ્રકારે છે, તેથી સ્વર અને વ્યંજન શબ્દનો અર્થ કહે છે.” अक्खरसरणेण सरा, वंजणमवि वंजणेण अत्थस्स । अत्थे य खरइ न य, जेण खिज्जई अक्खरं तेणं ॥४६१।। અક્ષરોના અનુસરવા વડે સ્વરો કહેવાય છે, અને અર્થને પ્રગટ કરવા વડે વ્યંજન કહેવાય છે. અથવા જે અર્થનું પ્રતિપાદન કરે, પણ સ્વયં ક્ષીણ ન થાય તે અક્ષર કહેવાય છે. ૪૬૧. અક્ષરો (પદાર્થોદિરૂ૫)ને અનુસરણ કરવા રૂપ સ્વરણવડે અ-આ વિગેરે સ્વરો કહેવાય છે. અથવા અક્ષરના એટલે ચૈતન્યના અનુસરણથી તે સ્વરો કહેવાય છે. કેમકે શબ્દના ઉચ્ચાર વિના અંતર્વિજ્ઞાન જાણી શકાય નહિ, અને શબ્દમાં સ્વરો તો હોય જ છે, માટે અક્ષરના અનુસરણથી અકારાદિ સ્વરો કહેવાય. અર્થ-પદાર્થને પ્રગટ કરવા વડે “ક” આદિ વ્યંજન કહેવાય. અહીં પહેલાં અક્ષરશબ્દ તે જ્ઞાનવાચી કહ્યો છે, અને અહીં વર્ણવાચી કહ્યો છે. “તેથી અર્થોને જે ફરે છે' તે વ્યુત્પત્તિથી અક્ષર કહેવાય છે અથવા જુદા જુદા વર્ગોના સંયોગથી જે અનન્ત અર્થો પ્રતિપાદન કરે છે, પણ સ્વયં ક્ષીણ નથી થતા, તે અક્ષર કહેવાય છે. ૪૬૧ એ પ્રમાણે સંક્ષેપથી સ્વર અને વ્યંજનનો શબ્દાર્થ કહ્યો; હવે વિસ્તારથી કહે છે. सुद्धाऽवि सरंति सयं, सारेंति य वंजणाइं जं तेणं । होंति सरा न कयाइवि, तेहिं विणा वंजणं सरइ ॥४६२।। वंज्जिइ जेणऽत्थो, घडो ब्ब दीवेण वंजणं तो तं । अत्थं पाएण सरा वंजेति न केवला जेणं ॥४६३॥ કેવળ એકલા અ-આ વગેરે સ્વરો વિષ્ણુઆદિ વસ્તુને કહે છે અને વ્યંજનોને ઉચ્ચારયોગ્ય કરે છે; કેમકે સ્વરો વિના વ્યંજન કદિ પણ અર્થપ્રતિપાદન નથી કરતા, તેથી તે સ્વરો કહેવાય છે. તથા જેમ દીવાવડે ઘડો પ્રગટ કરાય છે, તેમ જે વડે અર્થ પ્રગટ કરાય તે વ્યંજન કહેવાય છે, કેમ કે વ્યંજન વિનાના એકલા સ્વરો પ્રાયઃ (ઘણું કરીને) અર્થને પ્રગટ કરી શકતા નથી. ૪૬૨-૪૬૩. | વ્યંજન રહિત એકલા અકારાદિ સ્વરો સ્વયં વિષ્ણુઆદિ વસ્તુનું કથન કરે છે, પણ વ્યંજનો સ્વર સંયુક્ત હોય તો જ ઉચ્ચારાય છે. તેમને ઉચ્ચાર યોગ્ય કરે છે, માટે અકારાદિ સ્વરો કહેવાય છે, કેમકે તે સ્વરો વિના વ્યંજનોનો ઉચ્ચાર કદિપણ અર્થને પ્રતિપાદન કરતો નથી. તેમજ બીજા વ્યંજન સાથે જોડાયેલ વ્યંજનો સ્વરો વિના ઉચ્ચારી શકાય પણ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy