________________
ભાષાંતર]
ક્ષેત્રવર્ગણાનું સ્વરૂપ.
[૨૯૫
પ્રદેશવાળો છે, તે સિવાય બીજા કોઈ તેટલા કે વધારે પ્રદેશવાળા સ્કંધો નથી, આ ઉપરાંત બીજા પુદ્ગલ વિશેષોની કથા જ બંધ થાય છે. આ પ્રમાણે કેટલાકનું માનવું છે.
ઉપર મુજબ તેઓનું માનવું સત્ય નથી, કેમ કે ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધની જેવા બીજા જે ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધો, તે તેની અપેક્ષાએ પ્રજ્ઞાપનામાં ચતુઃસ્થાન પતિત કહેલ છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે – “હે ભગવન્! ઉત્કૃષ્ટ પ્રદેશવાળા સ્કંધોના કેટલા પર્યવો કહ્યા છે ? ગૌતમ ! અનન્તા કહ્યા છે. ભગવદ્ શા માટે એમ કહેવાય છે? ગૌતમ ! ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધ બીજા ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધો (એકેક દ્રવ્ય હોવાથી) એની સાથે દ્રવ્યાર્થપણે સમાન છે, પ્રદેશાર્થપણે સમાન છે. અને અવગાહનાર્થપણે ચતુઃસ્થાન પતિત છે, જેમ કે અસંખ્યય ભાગહીન, સંખેય ભાગહીન, સંખ્યય ગુણહીન, અસંખ્યય ગુણહીન, અસંખ્યય ભાગઅધિક, સંખેય ભાગ અધિક, સંખેય ગુણ અધિક, અસંખ્યય ગુણ- અધિક. એ જ પ્રમાણે સ્થિતિ વડે પણ ચતુઃસ્થાન પતિત છે.” અને આ અચિત્ત મહાત્કંધ તો બીજા અચિત્ત મહાત્કંધની સાથે અવગાહના અને સ્થિતિ વડે સમાન જ છે. આ ઉપરથી જણાય છે કે આ સિવાય બીજા પણ કેટલાક ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધો પ્રજ્ઞાપનામાં માનેલા છે.
વળી પ્રજ્ઞાપનામાં ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધ આઠ સ્પર્શવાળો કહ્યો છે, અને આ અચિત્ત મહાત્કંધ ચાર સ્પર્શવાળો માન્યો છે, તેથી ઉત્કૃષ્ટપ્રદેશીસ્કંધોના ભેદ સિદ્ધ થવાથી, પૂર્વોક્ત વર્ગણા મિશ્રને અચિત્તમહાત્કંધો સિવાય બીજા પણ કેટલાક પુગલ વિશેષો ગ્રહણ કર્યા વિનાના છે એમ માનવું, આટલાથી જ સર્વ પગલાસ્તિકાય ગ્રહણ કરેલ છે એમ ન સમજવું. ૬૪-૬૪૬.
એ પ્રમાણે ૬૩૧મી ગાથામાં કહ્યા મુજબ દ્રવ્ય વર્ગણાઓ કહી. હવે ક્ષેત્રાદિ વર્ગણાઓનું સ્વરૂપ કહે છે.
एगपएसोगाढाण, वग्गणेगा पएसवुड्डीए । संखेज्जोगाढाणं, संखेज्जा वग्गणा तत्तो ॥६४७॥ तत्तो संख्राईयाऽसंखाईयप्पएसमाणाणं । गंतुमसंख्नेज्जाओ, जोग्गाओ कम्मणो भणिया ॥६४८॥ तत्तो संखाईया, तस्सेव पुणो हवंतिजोग्गाओ।
माणसदव्वाईण वि, एवं तिविगप्पमेक्केक्कं ॥६४९॥ એકપ્રદેશાવગાહીસ્કંધોની એક વર્ગણા, તે પછી એકેક પ્રદેશની વૃદ્ધિએ સંખ્યાતપ્રદેશાવગાહીસ્કંધોની સંખ્યય વર્ગણા, અસંખ્યાતપ્રદેશાવગાહીસ્કંધોની અસંખ્યય વર્ગણા (એ વર્ગણા અતિક્રમીને) તે પછી અસંખ્યયપ્રદેશાવગાહીસ્કંધોની કર્મપ્રહણ યોગ્ય વર્ગણાઓ કહી છે. તે પછી તેને જ અગ્રહણ યોગ્ય અસંખ્યાત વર્ગણાઓ છે. એ જ પ્રમાણે મનોદ્રવ્યાદિ દરેકના ત્રણ ત્રણ ભેદ જાણવા. ૬૪૭-૬૪૮-૬૪૯.
ક્ષેત્રવર્ગણાનો ક્રમ દ્રવ્યવર્ગણાથી વિપરીત જાણવો, એટલે કે એકેક પરમાણું અને યણુકાદિથી માંડીને અનન્તાણુ પર્વતના સ્કંધો, જે એક આકાશપ્રદેશમાં અવગાહી રહ્યા હોય, તે સર્વની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org