________________
૩૨૬]
દેવ નારકીને અત્યંતર અવધિ હોય.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
નારકી દેવ-અને તીર્થકરો અવધિજ્ઞાનના ક્ષેત્રની અભ્યત્તર હોય છે, અને સર્વ દિશામાં જાએ છે; તથા બાકીનાજ જીવો દેશથી જુએ છે. ૭૬૬.
નારકી દેવ-અને તીર્થકરો અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અંદર જ વર્તનારા હોય છે, જેમ દીપક પોતાના પ્રભાપડળની બહાર નથી હોતો, તેમ તેઓ પણ અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની બહાર નથી હોતા. તેથી તેઓ અબાહ્ય અવધિજ્ઞાનવાળા કહેવાય છે. અથવા ગાથાના પૂર્વાર્ધનો બીજી રીતે અર્થ કરતાં નારકીદેવને તીર્થકરો અવશ્ય અવધિજ્ઞાનવાળા હોય છે, અને તેઓ સર્વ દિશાઓ અને વિદિશાઓમાં જાએ છે, પણ દેશથી અમુક દિશા કે વિદિશામાં જુએ છે એમ નહિ. પણ એ સિવાયના અવધિજ્ઞાનવાળા તિર્યંચ અને મનુષ્યો જ દેશથી જુએ છે અને સર્વથી પણ જુએ છે એટલે ઉભય પ્રકારે જુએ છે, માત્ર દેશથી જુએ છે એમ નહિ. ૭૬૬ . એજ વ્યાખ્યાન ભાષ્યકાર કહે છે.
ओहिणाणक्खेत्तभंतरगा होंति नारयाईया।।
सव्वदिसोऽवहिविसओ, तेसिं दीवप्पभोवम्मो ॥७६७॥ (પૂર્વે જણાવેલ) નારકી આદિ જીવો અવધિજ્ઞાનના ક્ષેત્રની અંદર જ હોય છે, અને તેમના અવધિજ્ઞાનનો વિષય દીપકપ્રભાની પેઠે સર્વ દિશામાં હોય છે. ૭૬૭. આ સંબંધમાં શંકા કરીને સમાધાન કરે છે.
अभितरत्ति भणिए, भण्णइ पासंति सव्वओ कीस ? ।
ओयइ जमसंतयदिसो, अंतोऽवि ठिओ न सव्वत्तो ।।७६८॥ “અભ્યત્તર અવધિવાલા” એમ કહીને, સર્વ દિશાઓમાં જુએ છે, એવું શા માટે કહો છો?
ઉત્તર :- દિશા-વિદિશામાં જોનાર અવધિજ્ઞાનવાળો મધ્યમાં રહ્યો છતો પણ સર્વ દિશામાં જોઈ શકતો નથી. ૭૬૮. આ પ્રશ્ન :- “નારકી વિગેરે જીવો અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અભ્યન્તર હોય છે.” એમ કહીને તેઓ “સર્વ દિશિ-વિદિશિમાં જુએ છે” એમ ફરી શા માટે કહ્યું ? કારણ કે જે અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અભ્યન્તર હોય છે, તેઓ સર્વ તરફથી જાએ છે જ.
ઉત્તર - પૂર્વે ૭૪૯મી ગાથામાં ફકાવધિ અને અસંબદ્ધ વલયાકાર ક્ષેત્ર પ્રકાશક અવધિ એમ બે પ્રકારનું બાહ્ય અવધિ કહ્યું છે, તેવા અવધિવાળા સાધુ વિગેરે અવધિજ્ઞાનથી જણાતા ક્ષેત્રની અંદર રહ્યા છતાં પણ વચ્ચે વચ્ચે અંતરાલ નહિ જોવાથી, સર્વ દિશા-વિદિશામાં નિરંતર જોઈ શકતા નથી. આ કારણથી તેવા અવધિજ્ઞાનવાળાને જુદા પાડવા “સર્વ દિશા-વિદિશામાં જુએ છે.” એમ વિશેષથી ફરીને કહ્યું છે.
પ્રશ્ન :- આ અવધિ અબાહ્યઅવધિ જ નથી, તેને જાદું પાડવાનું શું પ્રયોજન છે?
ઉત્તર :- તારું કહેવું સત્ય છે, છતાં સિદ્ધાંતમાં કહેલ અબાહ્મઅવધિપણું એમાં નથી, પરંતુ લોકપ્રસિદ્ધ, અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રની મધ્યમાં રહેવાપણું તો અહીં પણ છે, તેથી તેને જાડું પાડવા “સર્વ તરફથી જુએ છે” એમ કહેવું જોઈએ. ૭૬૮.
હવે બીજા વ્યાખ્યાનમાં શિષ્ય શંકા કરે છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org