SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪] ભાંગાની રીત, [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ થાય. માટે ત્રણની નીચે અનુયેષ્ટ અંક એક સ્થાપવો, આગળના ભાગમાં ઉપર મુજબ બેનો અંક સ્થાપવો. અને પાછળ વધેલો ત્રણનો અંક સ્થાપવો, એટલે ૩-૧-૨ આ ચોથો ભાંગો થાય. આની નીચે ત્રણનો જયેષ્ટ છે અને અનુજયેષ્ટ એક છે, પણ તે તેની નીચે ન સ્થાપવો, કેમ કે આગળ સમાન અંક આવવાથી સમયભેદ થાય, વળી એકનો જયેષ્ટ અંક નથી, પણ એનો જયેષ્ટ એક છે તે તેની નીચે સ્થાપવો અને પાછળથી વધેલા બે અને ત્રણ અનુક્રમે સ્થાપવા, એટલે ૨૩-૧ આ પાંચમો ભાંગો થાય. આગળના ભાગમાં જયેષ્ટ એક છે પણ તે તેની નીચે ન મૂકવો, કેમકે આગળ સમાન અંક આવવાથી સમયભેદ થાય, માટે ત્રણનો જયેષ્ટ અંક બે છે, તે તેની નીચે સ્થાપવો, આગળના ભાગમાં એક મૂકવો અને પાછળના ભાગમાં વધેલો ત્રણનો અંક મૂકવો એટલે ૩-ર-૧ આ છઠ્ઠો ભાંગો થાય. આ છએ ભાંગાની સ્થાપના આ પ્રમાણે છે : ૧-૨-૩ ૨-૧-૩ ૧-૩-૨ ૩-૧-૨ ૨-૩-૧ ૩-૨-૧ - આ છ ભાંગામાંનો પહેલો ભાગો અનુપૂર્વીનો છે અને છેલ્લો ભાંગો પશ્ચાનુપૂર્વીનો છે, તેથી એ બે સિવાયના મધ્યના ચાર ભાંગા અનાનુપૂર્વાના છે. બીજા પણ ચાર-પાંચ-છ-સાત આદિ પદોના ભાંગા કરવા હોય, તો આજ રીતે કરવા. આ પ્રમાણે સંક્ષેપથી ઉત્કીર્તના અને ગણનાઆનુપૂર્વી કહી, અને વિસ્તારથી તો નામાંદિ ભેદે અનુયોગદ્વારથી જાણવી. ૯૪૩. એમ આનુપૂર્વીનામનો ઉપક્રમનો પહેલો ભેદ કહ્યો, હવે બીજો ભેદ જે નામ છે, તેનું સ્વરૂપ સંક્ષેપથી કહે છે. जं वत्थुणोऽभिहाणं, पज्जयभेयाणुसारि तं नाम । पइभेयं जं नमए, पइभेयं जाइ जं भणियं ॥९४४॥ જે વસ્તુનું નામ હોય અને પર્યાયભેદાનુસારી દરેક ભેદમાં નમે અને દરેક ભેદના વાચકપણે પરિણમે તેને નામ કહેલું છે. ૯૪૪. * જે જીવ આદિ વસ્તુના જ્ઞાન-દર્શન-ચારિત્ર-રૂપ-રસ-ગંધ-સ્પર્શ-નવા-પુરાણ આદિ વિવિધ સ્વભાવોને વાચકપણે અનુસરે, અને દરેક પર્યાયભેદને બોલતાં તેના વાચકપણે પરિણમે તે નામ કહેવાય છે. ૮૪૪. એ નામ એકનામ-બેનામ-ત્રણ નામ ઈત્યાદિ દસનામ પર્યત દસ ભેદે છે. વળી એ સર્વ અભિલા વસ્તુવિષય હોવાથી તેને અનુયોગદ્વારમાં દશ અને પેટા ભેદથી ઘણા ભેદવાળું કહ્યું છે. તેમાં છનામમાં ક્ષાયોપથમિક ભાવની અંદર સામાયિકઅધ્યયનનો અવતાર થાય છે. તેજ જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy