SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ભાંગાની રીત. ૩૮૩ હોય તો જે આ સામાન્ય રીત છે, તે પ્રમાણે કરવા. ૯૪ર. હવે વિશેષથી અનાનુપૂર્વીના ભાંગા કરવાની રીતિ કહે છે.. पुवाणुपुब्बिहेट्ठा, समयाभेएण कुण जहाजेटुं । उपरिमतुल्लं पुरओ, नसेज्ज पूबक्कमो सेसे ।।९४३॥ અનુક્રમે અમુક પદો સ્થાપવા અને તેની નીચે સંકેતનો ભેદ ન થાય તેમ યથાયેષ્ઠ સ્થાપવા. અને તેના આગળ ઉપર સમાન પદો સ્થાપવા. અને જે શેષ પદો રહે તે પૂર્વ ભાગમાં અનુક્રમે સ્થાપવા. ૯૪૩. - જે પદોની વિવેક્ષા હોય તે પદોની અનુક્રમે સ્થાપના કરવી, તેવી સ્થાપના તે પૂર્વાનુપૂર્વી કહેવાય. તે પૂર્વાનુપૂર્વીની નીચે બેઆદિ ભાંગા કરવાની ઈચ્છાથી પદોની સ્થાપના જયેષ્ઠપદને અતિક્રમ્યા સિવાય કરવી. અહીં જયેષ્ટ એટલે સ્ફોટો ન લેવો પણ જે અંક જેની આદિમાં હોય તેનું જયેષ્ટપદ કહેવાય. જેમકે બેનો જ્યેષ્ટ અંક એક તેજ ત્રણનો અનુજયેષ્ટ અને ચાર આદિ અંકનો તે જયેષ્ટાનુજયેષ્ટ કહેવાય. એજ પ્રમાણે બેનો અંક ત્રણનો જયેષ્ટ ચારનો અનુજયેષ્ટ અને પાંચ આદિનો જયેષ્ટાનુજયેષ્ટ કહેવાય. એ પ્રમાણે ઉપરના અંકની નીચે જયેષ્ટ અંક સ્થાપવો, જયેષ્ટ ન હોય, તો અનુજયેષ્ટ સ્થાપવો અને તે પણ ન હોય તો જયેષ્ટાનુજયેષ્ટ અંક સ્થાપવો. આમ સ્થાપના કરતાં સમય ભેદ ન કરવો. એટલે જે ભાંગા કરવાના હોય, તેમાં તેને તે આંક ફેર આવે તે સમયભેદ કહેવાય. તે સમય ભેદ કર્યા સિવાય ઉપરોક્ત સ્થાપના કરવી. વસ્તુત: સમયભેદ ક્યારે થાય કે જ્યારે કરેલા ભાંગાની અંદર બીજો આંક પહેલાની સમાન આવે ત્યારે સમયભેદ થાય. આ પ્રમાણે સમયભેદ (સંકેતનો ભેદ) કર્યા સિવાય જયેષ્ટાદિ અંકની સ્થાપના કરવી. એ સ્થાપેલા અંકની આગળ ઉપરના ભાગાના અંકોની સમાન અંકો સ્થાપવા. અને શેષ વધેલા અંકો તેની પૂર્વે ક્રમે સ્થાપવા. એટલે જે અંક સંખ્યાએ નાનો હોય તે પ્રથમ સ્થાપવો અને જે મોટો હોય તે પછી સ્થાપવો તે પૂર્વક્રમ કહેવાય. * આ રીતી વધારે સ્પષ્ટ સમજાવવાને માટે દર્શન-જ્ઞાન-અને ચારિત્ર એ ત્રણ પદના ભાંગા કરીએ. આ ત્રણ પદને પરસ્પર ગુણવાથી સામાન્ય રીતે બધા મળી છ ભાંગા થાય છે. વિશેષથી આ પ્રમાણે છે, ૧-૨-૩ આ પૂર્વાનુપૂર્વી લક્ષણ પહેલો ભાંગો છે. તેની નીચે ભાંગા કરવામાં એકનો જયેષ્ટ અંક નથી પણ એનો જયેષ્ટ એક છે, તેથી બેની નીચે એક મૂકવો અને તેની આગળ ઉપર કહ્યા મુજબ ઉપરના અંક સમાન અંક મૂકવો એટલે ઉપર ત્રણનો આંક હોવાથી અહીં પણ ત્રણનો અંક મૂકવો. અને શેષ રહેલો બેનો અંક પાછળથી મૂકવો. એટલે ર-૧-૩ આ બીજો ભાંગો થાય. આની નીચે ત્રીજો ભાગો કરવાને બેનો જયેષ્ટ અંક એક છે, પણ તે ત્યાં સ્થાપવો નહિ. કેમ કે આગળ ઉપરની મુજબ આંકો મુકવાથી તેની સમાન એક અંક આવવાથી સમયભેદ થાય. વળી એકનો જયેષ્ટ અંક છે નહિ, પણ છેડે ત્રણ છે તેનો જયેષ્ટ અંક બે છે તેથી ત્રણની નીચે બેનો અંક મૂકવો. અહીં આગળનો ભાગ નથી. તેથી પાછળના ભાગે એક અને ત્રણનો અંક પૂર્વક્રમે મુકવા એટલે ૧-૩-૨ એ ત્રીજો ભાંગો થાય, આની નીચે એકનો જયેષ્ટ અંક નથી અને ત્રણને જયેષ્ટ અંક બે છે. પણ તે તેની નીચે ન મૂકવો, કેમકે આગળ સમાન અંક આવવાથી સમયભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy