SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪] વિષયો કેવી રીતે ગ્રહણ થાય છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ વિઠ્ઠ-સુકુમ-મgs, ગં પરં સત્તવિપUTTI શંઘાવાડું, વિવરીયાડું નો તારું રૂફટા फरिसाणंतरमत्तप्पएसमीसीक याइं धेप्पंत्ति । पडुयरविण्णाणाइं, जं च न घाणाइकरणाई ॥३३९॥ अप्पत्तकारि नयणं, मणो य नयणस्स विसयपरिमाणं । आयंगुलेण लक्खं, अइरित्तं जोयणाणं तु ॥३४०।। સ્પર્શેલો શબ્દ સંભળાય છે, અસ્પર્શલ રૂપ જોવાય છે, અને ગંધ, રસ, તથા સ્પર્શ બદ્ધસ્પષ્ટપણે ગ્રહણ થાય છે. શરીર ઉપર રેતીની જેમ સંબદ્ધ તે સ્પષ્ટ કહેવાય છે, અને આત્મપ્રદેશો સાથે ગાઢ સંબદ્ધ તે બદ્ધ કહેવાય છે. શબ્દઆદિ દ્રવ્યો સ્પર્શ માત્રથી જ ગ્રહણ થાય છે, કેમકે તે દ્રવ્યો ઘણા સૂક્ષ્મ અને વાસિત હોય છે, તેમજ શ્રોત્રેન્દ્રિયનું વિજ્ઞાન અતિ પટુ હોય છે. ગંધાદિ દ્રવ્ય એથી વિપરીત છે, કેમ કે તે દ્રવ્યો સ્પર્શ થયા પછી, આત્મપ્રદેશ સાથે મિશ્ર થયેલા ને ગાઢ સંબંધવાળા હોય, તો જ ગ્રહણ કરાય છે. વળી ઘાણઆદિ ઇન્દ્રિયો પટુતર વિજ્ઞાન વાળી નથી. ચક્ષુ અને મન અપ્રાપ્તકારી છે. ચક્ષુના વિષયનું પરિમાણ, આત્માંગુલથી એક લાખ યોજન કરતાં અધિક છે. ૩૩૬ થી ૩૪૦. - શરીર પર રજના સ્પર્શની જેમ શબ્દ દ્રવ્યને, સ્પર્શ માત્રથી જ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે, કેમકે પ્રાણઆદિ ઈન્દ્રિયોના વિષયભૂત દ્રવ્યો કરતાં તે શબ્દ દ્રવ્યો સૂક્ષ્મ-ઘણા-અને ભાવુક (વાસિત કરનાર) શ્રેય છે. વળી વિષયને ગ્રહણ કરવામાં બીજી પ્રાણઆદિ ઈન્દ્રિયો કરતાં શ્રોત્રેન્દ્રિય વધારે પટુ છે. - ધ્રાણેન્દ્રિય-રસેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય અનુક્રમે સ્વવિષયભૂત ગંધ-રસ-અને સ્પર્શવાળા દ્રવ્યને બદ્ધ પૃષ્ટ હોય તો જ ગ્રહણ કરે છે. એટલે કે સ્વપ્રદેશો સાથે, એ દ્રવ્યો અત્યંત ગાઢ સંબંધવાળા હોય, તોજ તેને પ્રાણઆદિ ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે છે, અન્યથા નહી. કારણ કે વિષયભૂત એ ગંધ આદિ દ્રવ્યો શબ્દ દ્રવ્યની અપેક્ષાએ થોડા છે, સ્થૂલ છે અભાવુક (વાસિત કરવાના સ્વભાવ વિનાના) છે; વળી વિષયને ગ્રહણ કરવામાં શ્રોત્રેન્દ્રિયની અપેક્ષાએ ધ્રાણઆદિ ઇન્દ્રિયો અપટુ છે. એટલા માટે બદ્ધ-સ્કૃષ્ટ ગંધ આદિ દ્રવ્ય સમૂહને ઘાણ આદિ ગ્રહણ કરે છે. ચક્ષુ ઇન્દ્રિય યોગ્ય દેશમાં રહેલા સ્વવિષયભૂત રૂપને, સ્પર્શ વિના જ ગ્રહણ કરે છે, પણ અયોગ્ય દેશમાં રહેલ સૌધર્મ દેવલોકઆદિ, અથવા ભીંત આદિથી અન્તરિત ઘટઆદિ વસ્તુને (તે ગ્રહણ કરી શકતી નથી) જોઈ શકતી નથી. કારણ કે - ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. તેથી તે સ્પર્શ વિના જ વસ્તુ ગ્રહણ કરે છે. ૩૩૬. ' પ્રશ્ન :- જો એ પ્રમાણે ચક્ષુ અપ્રાપ્ત રૂપને ગ્રહણ કરે છે, તો લોકાન્તની પહેલાં જે કંઈ હોય, તે સર્વને ચક્ષુઈન્દ્રિય જોઈ શકે. કેમકે અપ્રાપ્તપણું સર્વત્ર સમાન છે. ઉત્તર:- આગમમાં ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પરિમાણ આત્માંગુલથી એક લાખ યોજનથી અધિક કહ્યું છે. આથી સર્વ સ્થળે અપ્રાપ્તકારીપણું સમાન હોવા છતાં પણ કહેવા પ્રમાણથી અધિક દૂર રહેલી, વસ્તુને ચક્ષુ જોઈ શકતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy