________________
ભાષાંતર
શ્રવણા અને અનુયોગનો વિધિ.
[૨૯૯
શુશ્રુષા એટલે વિનય સહિત ગુરૂ મુખથી સાંભળવાની ઇચ્છા કરે. પુનઃ પૂછે એટલે તે ગ્રહણ કરેલું પુનઃ શંકારહિત કરે, શ્રવણ કરે એટલે તેનો અર્થ ભણીને સાંભળે, તે પછી ગ્રહણ કરી, વિચારી, નિશ્ચય કરી, ધારી રાખીને તેનું શાસ્ત્રાજ્ઞાનુસાર અનુષ્ઠાન કરે. કેમકે તેથી બીજાં પણ શ્રત પ્રાપ્ત થાય. અથવા ગુરૂ જે જે કહે તે સાંભળવાની ઇચ્છા કરે, અને પૂર્વે કહ્યું હોય તે પ્રમાણ કરે, પુનઃ પૂછીને સૂત્ર અથવા તેનો અર્થ સાંભળે. ૫૬૨-૫૬૩-૫૬૪. હવે શ્રવણ કરવાનો વિધિ કહે છે. (૨૩) મૂર્ય સુંવાર વા, વાઢિયાર-પરિપુચ્છ-મીમંસા
तत्तो पसंगपारायणं, च परिणिट्ट सत्तमए ॥५६५॥ મૂક રહેવું. હુંકારો આપવો, બાઢંકાર કરવો, પ્રતિપૃચ્છા કરવી, મીમાંસાં કરવી, પછી પ્રસંગ પારંગત થવું તેમ કરવાથી છેલ્લે સાતમે પરિનિષ્ઠા થાય. ૫૬૫.
પહેલીવાર સાંભળતાં ગાત્ર સ્થિર કરીને મૌનપણે સર્વ એક ચિત્તે ધારી રાખવું. તે પછી બીજીવારે હુંકારો દેવો. વંદન કરવું. પછી ત્રીજીવખતે બાઢકાર કરવો એટલે આપે કહ્યું તે તેમજ છે, અન્યથા નથી, એમ કહેવું. ચોથી વખત પછી પૂર્વાપરસૂત્રનો અભિપ્રાય સાંભળીને કંઇક પૃચ્છા કરવી, એટલે એ બાબત એમ કેમ ? એવી રીતે પૂછવું. પછી પાંચમી વખત મીમાંસા કરવી, એટલે પ્રમાણની જીજ્ઞાસા કરવી. છઠ્ઠી વખત ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ અને ચાલતા વિષયની સંપૂર્ણ માહિતી થાય. સાતમી વખતે છેલ્લે પરિનિષ્ઠા થાય એટલે ગુરૂની પેઠે સારી રીતે બીજાને કહી શકે એવું જ્ઞાન થાય. આ પ્રમાણે શિષ્ય શ્રવણ કરવાનો વિધિ છે. પ૬૫.
હવે ગુરૂએ કેવી રીતે વ્યાખ્યાન કરવું તે કહે છે. (२४) सुत्तत्थो खलु पढमो, बिओ निज्जुत्तिमीसिओ भणिओ ।
__ तइओ य निरवसेसो, एस विही होइ अणुओगो ॥५६६॥ પ્રથમ અનુયોગમાં (પહેલીવાર સૂત્રાર્થ પ્રતિપાદન કરતાં) માત્ર સૂત્રનો જ અર્થ કહે, બીજી વખત સૂત્રસ્પર્શકનિયુક્તિમિશ્ર કહે, અને ત્રીજીવાર પ્રસક્તાનુપ્રસક્ત સંપૂર્ણ અનુયોગ કહે. આ પ્રમાણે સૂત્રના અર્થ કહેવાનો વિધિ છે. પ૬૬.
શ્રુતજ્ઞાનનો અધિકાર સમાપ્ત થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org