________________
ભાષાંતર)
જિન પ્રવચનની ઉત્પત્તિ આદિ. [૪૮૩ અને પર્યાય સહિત દ્રવ્ય કહ્યું; સર્વ દિશામાં સર્વ પ્રકારે લોકાલોક જુએ છે.” એમ કહેવાથી ક્ષેત્ર પ્રમાણ કહ્યું. એ દ્રવ્યાદિ ચાર પ્રકારનું શેય જોનાર કેવળીને ત્રિકાળમાં એવી કોઈ વસ્તુ નથી, કે જેને તે ન જોઈ શકે, કારણ કે પંચાસ્તિકાય પર્યાયરાશિ પ્રમાણ જ જાણવા યોગ્ય વસ્તુ છે, એમ આગમમાં કહ્યું છે. ૧૩૪૩-૧૩૪૪-૧૩૪૫. અહી સુધી-આટલા ગ્રંથ વડે શું કહ્યું ? તે કહે છે.
तव-नियम-नाणरुक्खं, आरूढो यं जिणो अमियनाणी ।
एत्तो स परंपरओ, एत्तो जिणपवयणुप्पत्ती ॥१३४६॥ તપ-નિયમ-અને જ્ઞાનરૂપ વૃક્ષ પર આરૂઢ તેમજ અમિત જ્ઞાનવાળા જિનેશ્વર ભગવાન જ્ઞાનવૃષ્ટિ કરે છે, તેમનાથી આ જિન પ્રવચનની ઉત્પત્તિ છે, અને આચાર્યોની પરંપરાએ તે રૂપે જ સામાયિકાદિ શ્રત આવેલું છે. ૧૩૪૬. હવે આ વિષયના ઉપસંહારપૂર્વક પ્રસ્તુત વિષયનું સ્મરણ કરતાં આચાર્યશ્રી કહે છે કે -
निज्जुत्तिसमुत्थाणप्पसंगओ जाव पवयणुप्पत्ती । . पासंगियं गयमियं, वोच्छामि इओ उवग्घायं ॥१३४७॥ अच्छउ तावुग्घाओ, का पुण जिणप्पवयणप्पसइत्ति । तं कित्तियाभिहाणं, पवयणमिह को विभागो से ? ||१३४८॥ एय पसंगसेसं, वोत्तमवग्घावित्थरं वोच्छं ।
तो सेसद्दाराइं, कमेण तस्संगहो चेमो ॥१३४९॥ નિર્યુક્તિના સમુત્થાનના પ્રસંગથી તપ નિયમ ૧૦૯૪મી ગાથાથી આરંભીને અહીં સુધી જિનેશ્વર મહારાજના જ્ઞાનની ઉત્પત્તિ કહી અને બીજું પ્રાસંગિક કહ્યું. હવે પછી ઉપોદ્દાત કહીશું. એ ઉપોદ્દાત પહેલાં આ જીનવચનની ઉત્પત્તિ કહી. પ્રવચનનાં કેટલા નામ છે? અને તે પ્રવચન કેટલાં વિભાગવાળું છે? આ ત્રણ પ્રાસંગિક કહીને પછી વિસ્તારથી ઉપોદ્દાત કહીશું. તે પછી બાકીનાં દ્વારો કહીશું, તેનો સંગ્રહ આ પ્રમાણે છે. (१२३) जिणपवयणउप्पत्ती, पवयणएगट्ठिया विभागो य ।
दारविही य नयविही, बक्खाणविही य अणुओगो ॥१३५०॥ - જિન પ્રવચનની ઉત્પત્તિ, પ્રવચનનાં એકાર્થિકનામો, અને એકાર્થિકવિભાગ, (આ ત્રણ ધારો પ્રાસંગિક છે.) દ્વારવિધિ, નવિધિ, વ્યાખ્યાનવિધિ, અને અનુયોગ એ દ્વારા કહેવાશે. ૧૩૫૦.
पासंगियमाइतियं, दारविहित्ति विहिउ उवग्घाओ । अणुओगद्दारं पुण, चउत्थमिटुं नयविहित्ति ।।१३५१।। सीसा-यरियपरिक्खा, वक्खाणविहित्ति कहणमज्जाया । सुत्तप्फासियनिजुत्ती, सुत्ताणुगमो य अणुओगो ॥१३५२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org