SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] મતિજ્ઞાનમાં સત્પદ આદિ પ્રરૂપણા. [૨૦૩ ઉપયોગી પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય, પ્રતિપદ્યમાન ન હોય, કેમકે મતિજ્ઞાન લબ્ધિસ્વરૂપ હોવાથી અનાકાર ઉપયોગમાં તેની ઉત્પત્તિ થાય નહિ. - ઉપરોક્ત સિવાયના બાકીના ગતિદ્વારમાં નારકી વિગેરે, ઇન્દ્રિયદ્વારમાં પંચેન્દ્રિય કાયદ્વારમાં ત્રસકાય વિગેરે જાતિની અપેક્ષાએ અવશ્ય મતિજ્ઞાન પૂર્વે પામેલા હોય, અને પ્રતિપદ્યમાનની તો ભજના જાણવી. એટલે કોઈ વખત મતિજ્ઞાન પામતા હોય અને કોઈ વખત ન પણ પામતા હોય, તથા કષાયદ્વારમાં અકષાયી અને વેદધારમાં અવેદી, ભજનાએ પૂર્વે પ્રતિપન્ન હોય એટલે છદ્મસ્થ હોય ત્યારે પૂર્વે મતિજ્ઞાન પામેલા હોય અને કેવળી હોય તો ન હોય. અને પ્રતિપદ્યમાન તો ન જ હોય. કેમકે જેઓ પર્વે મતિજ્ઞાન પામ્યા હોય તેમને જ ક્ષપકશ્રેણિને ઉપશમશ્રેણિની પ્રાપ્તિ હોય. અને તે અકષાયી અને અવેદી હોય છે. ૪૧૨ થી ૪૧૩. ' આ પ્રમાણે ભાષ્યકાર મહારાજે ગતિઆદિ દ્વારોમાં મતિજ્ઞાનની સત્પદપ્રરૂપણા સંક્ષેપથી કરી. પણ શિષ્યજનના અનુગ્રહ માટે વૃત્તિકાર મહારાજ કંઈક વિસ્તારથી કહે છે. જેમ કે – ગતિદ્વાર-નારકી-તિર્યંચ-મનુષ્ય-અને દેવ એમ ગતિ ચાર પ્રકારે છે. એ ચારે ગતિમાં અવશ્ય મતિજ્ઞાન પૂર્વે પ્રતિપન્ન નિશ્ચથી હોય, અને પ્રતિપદ્યમાનની ભજના એટલે કોઈ વખત હોય અને કોઈ વખત ન પણ હોય, મતિજ્ઞાનપ્રાપ્તિના પ્રથમ સમયે પ્રતિપદ્યમાન કહેવાય અને મતિજ્ઞાન પામ્યા પછીના બીજા આદિ સમયમાં પૂર્વ પ્રતિપન્ન કહેવાય. એટલો પ્રતિપદ્યમાન અને પૂર્વમતિપત્રમાં તફાવત છે. ઇજિયદ્વાર-સિદ્ધાન્તના મતે એકેંદ્રિયમાં પૂર્વપ્રતિપન્ન કે પ્રતિપદ્યમાન એક્કે ન હોય, અને કર્મગ્રંથના અભિપ્રાયે તો લબ્ધિપર્યાપ્યા બાદર પૃથિવી-અપ-ને વનસ્પતિ જે કરણ અપર્યાપા તેમને મતિજ્ઞાન પૂર્વપ્રતિપન્ન હોય છે, કારણ કે ત્યાં સાસ્વાદન સમકિતવાળાની ઉત્પત્તિ હોય છે. સિદ્ધાંત અને કર્મગ્રંથ ઉભયના મતે કરણઅપર્યાપ્તા એવા-વિકલેન્દ્રિયો તો પૂર્વભવથી આવેલ સાસ્વાદનભાવને અપેક્ષીને પૂર્વ પ્રતિપન્ન મતિજ્ઞાનવાળા હોય પરંતુ પ્રતિપદ્યમાન ન હોય. તથા પંચેન્દ્રિય અવશ્ય પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ તેમાં પ્રતિપદ્યમાનની ભજના હોય છે. કાયદ્વાર- પૃથિવી-અપ-તેજન્ધાયુ-વનસ્પતિ અને ત્રસકાય, એ છ પ્રકારે કાય છે. તેમાં પ્રથમની પાંચ કાયમાં પ્રતિપદ્યમાન કે પૂર્વ પ્રતિપન્ન એક્ટ ન હોય. અને ત્રસકાયમાં તો પંચેન્દ્રિયની પેઠે સમજવું. યોગદ્વાર-યોગ ત્રણ પ્રકારના છે. તેમાં જેને મન-વચનને કાયા એ ત્રણે યોગ હોય, તેમને પંચેન્દ્રિયની પેઠે સમજવું. મનોયોગ સિવાય બે યોગવાળાને વિકસેન્દ્રિયની પેઠે સમજવું. કેવળ કાયયોગવાળાને એકેંદ્રિયની પેઠે સમજવું. વેદકાર-સ્ત્રી-પુરૂષ-ને નપુંસક એ ત્રણે વેદમાં પંચેન્દ્રિયની પેઠે જ વિચારી લેવું. કષાયદ્વાર-અનંતાનુબંધી ચારેમાં સાસ્વાદનની અપેક્ષાએ પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન નથી હોતા. ને બારે કષાયમાં પંચેન્દ્રિયની પેઠે સમજવું. લેશ્યદ્વાર-ભાવલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણાદિ ત્રણ અશુભલેશ્યામાં પૂર્વપ્રતિપન્ન મતિજ્ઞાન હોય, પણ પ્રતિપદ્યમાન ન હોય, તથા તેજોઆદિ ત્રણ શુભલેશ્યામાં પંચેન્દ્રિયની પેઠે હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy