SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] મતિશ્રુતનો વિશેષ વિચાર [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પણ સર્વઈન્દ્રિયના નિમિત્તવાળું થયું. આ પ્રમાણે બન્ને જ્ઞાનમાં સર્વઈન્દ્રિયોની કારણતા સમાન હોવાથી, આપે ઈન્દ્રિયના વિભાગથી મતિ-શ્રુતનો ભેદ કહેવાને આરંભ કર્યો તે સિદ્ધ થતો નથી. ઉત્તર ઃ- શેષ ઈન્દ્રિય દ્વારા થયેલો અક્ષર લાભ અભિલાપાત્મક હોવાથી, શ્રોત્રેન્દ્રિયને ગ્રહણ યોગ્ય છે, તેથી ખરી રીતે જોતાં અક્ષરલાભ તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિજ્ઞાન છે; એમ છે, તો પરમાર્થથી સર્વ શ્રુત શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું જ છે, મતિજ્ઞાન તો શ્રોત્રેન્દ્રિયના વિષયવાળું તેમજ બીજી ઈન્દ્રિયોના વિષયવાળું પણ છે. આ પ્રમાણે ઈન્દ્રિયના વિભાગથી મતિ-શ્રુતનો ભેદ માનતા કંઈ હાનિ નથી. પૂર્વગત ગાથાનો આ સંક્ષેપ અર્થ છે, વિસ્તૃતઅર્થ આગળ ભાષ્યકાર મહારાજ પોતે જ કહે છે. ૧૧૭. પ્રશ્ન :- અહીં ‘“શ્રોત્રોપલબ્ધિજ શ્રુત છે” એવા નિશ્ચયનો અર્થ જાણ્યા સિવાય “શ્રોત્રોપલબ્ધિ શ્રુતજ છે” એવો શ્રુતનો અર્થ સમજીને શિષ્ય પૂછે છે કે જો “શ્રોત્રોપલબ્ધિશ્રુતજ" છે, તો શ્રોબેન્દ્રિયથી થયેલ અવગ્રહ ઈહા વિગેરે મતિજ્ઞાન નહિ કહેવાય, કેમકે સર્વ શ્રોત્રોપલબ્ધિને શ્રુત માનેલ છે. શ્રોત્રના અવગ્રહાદિ ભેદો મતિજ્ઞાન ન થાય તો શું હાનિ છે ? એમ કહેવામાં આવે તો મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ કેવી રીતે થશે ? અઠ્ઠાવીસ ભેદોની સંખ્યામાં વાંધો આવશે, એવા ભયથી શ્રોત્રના અવગ્રહાદિને મતિજ્ઞાન માનવમાં આવે, તો બધી શ્રોત્રેન્દ્રિયોપલિબ્ધ શ્રુતજ્ઞાન નહિ થાય, અને “શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રુત જ છે.” એ વચન યુક્તિ સંગત નહિ થાય. એ બંને દોષ દૂર કરવાને તે અવગ્રહાદિને મતિ અને શ્રુત બંને જ્ઞાન તરીકે કહેવામાં આવે તો મતિ-શ્રુત એકત્ર થઈ જવાથી ઉભયનો અભેદ થશે, (એટલે જે મતિ તેજ શ્રુત અને જે શ્રુત તેજ મતિ) અને આપ તો એનો ભેદ કહી રહ્યા છો. આ તો એવું થયું કે શાન્તિને માટે યત્ન કર્યો, અને ઉલટો એ યત્નથી શાન્તિને બદલે ઉપદ્રવ થયો. ૧૧૮. ઉત્તર :- ભાઈ ! તું કહે છે તેમ ઉભયનો અભેદ નથી. પણ ભેદ છે, તે સમજાવવાને હું સત્ય હકીકત કહું છું. પરંતુ તે પહેલાં તારી શંકાના સમાધાન માટે બીજાઓ જે કહે છે, તેની સત્યતાની તુલના કરી જો. કેટલાક એમ કહે છે કે - “શ્રોત્રેન્દ્રિય વડે જેની ઉપલબ્ધિ તે શ્રોત્રેન્દ્રિયોપલિબ્ધ, એ પ્રમાણે બહુવ્રીહિસમાસથી અર્થ કરતાં શબ્દ તેજ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ છે. કારણ કે શબ્દ વક્તાને સંભળાય છે, માટે શ્રુત છે, અને શ્રોતાને તે શબ્દ અવગ્રહાદિરૂપે જણાય છે, માટે તે મતિ છે. આ પ્રમાણે માનવાથી ઉભયસંગત થશે અને શ્રોતામાં થતા અવગ્રહઆદિ શ્રુત નહિં બની જાય.” એ પ્રમાણે જેઓ સમાધાન કરે છે તે યોગ્ય નથી, કારણ કે વક્તા અને શ્રોતા સંબંધી શબ્દ એ દ્રવ્યશ્રુત જ છે. ઉભયવ્યક્તિને દ્રવ્યશ્ચતરૂપે સમાન એવા શબ્દમાં શો તફાવત છે ? કે જેથી તે શબ્દ વક્તાને શ્રુત ગણાય અને શ્રોતાને મતિ ગણાય ? જો કદી “સંભળાય શ્રુત” અને “મનાય તે મતિ” એમ કહેવામાં આવે, તો તેમાં ધાતુ માત્ર જુદા છે પણ શબ્દ જ સંભળાય છે અને મનાય છે, કોઈ ભિન્ન વસ્તુ સંભળાતી કે મનાતી નથી. ૧૧૯, વળી ઉપરોક્ત મતાન્તર માનવાથી બીજું પણ દૂષણ પ્રાપ્ત થશે, કે અહીં જ્ઞાનના વિચારનો અધિકાર છે, તેમાં અપ્રસ્તુત પુદ્ગલના સમૂહરૂપ શબ્દને ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy