SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નૈગમે અને વ્યવહારનયથી મંગળ વિચાર न विसेसऽत्थंतरभूअं, अत्थि सामण्णमाह ववहारो । उवलंभ-ववहाराभावाओ खरविसाणं व ॥३५॥ વ્યવહારનય કહે છે, કે વિશેષથી સામાન્ય અર્થાન્તરભૂત (જુદું) નથી, કેમ કે ઉપલબ્ધિ-જ્ઞાન અને વ્યવહારના અભાવે તે ખરઋગવત અવિદ્યમાન છે. ૩૫. વિશેષનું સમર્થન કરનાર વ્યવહાર અને નૈગમનય કહે છે, કે તમે જે વનસ્પતિ સામાન્ય સ્વીકારો છો, તે બકુલ-અશોક, ચંપક, આમ્ર આદિ વિશેષથી જુદુ છે, કે એક જ છે ? જો અલગ માનો તો વિશેષ વિનાનું સામાન્ય-ખરઝંગની જેમ કોઈની નજરમાં આવશે જ નહિ. અને તે અદશ્ય માનશો તો તેનું જ્ઞાન વિશેષ દ્વારા જ થાય છે, તેથી પણ વિશેષ જ મુખ્ય રહેશે. કારણ કે વિશેષ વિના સામાન્ય હોતું નથી. વિશેષમાં જ સામાન્યનો ઉપચાર કરશો તો અમને વાંધો નથી, ઉપચારથી વસ્તુતત્ત્વને હાનિ નથી આવતી. એજ વિષય ઉદાહરણથી દઢ કરે છે. चूयाईएहिंतो को सो, अण्णो वणस्सई नाम ?। नत्थि विसेसत्थंतरभावाओ सो खपुष्पं व ॥३६॥ આમ્ર આદિ (વિશેષ) થકી તે વનસ્પતિરૂપ (સામાન્ય) શું અન્ય-ભિન્ન છે? જો છે, તો વિશેષથી ભિન્ન હોવાને લીધે તે આકાશપુષ્પની જેમ અવિદ્યમાન છે. આગ્રાદિ વૃક્ષરૂપ વિશેષને માન્ય કર્યા વિના, સામાન્યરૂપ વનસ્પતિનો પગે લેપ કરવો વિગેરે લોકવ્યવહારના કાર્યમાં કયો ઉપયોગ થવાનો ? લોકવ્યવહારના ઉપયોગમાં પણ તે સામાન્યની અનુપલબ્ધિ હોવાથી, આકાશપુષ્પની જેમ સામાન્યનો અભાવ છે, અને લોકવ્યવહારમાં કાંઈ કરનાર હોવાથી, વિશેષ જ ઉપયોગી છે, અને તેની જ ઉપલબ્ધિ હોવાથી તે વિશેષો જ વિદ્યમાન છે. નૈગમ અને વ્યવહાર એ બે નયો વિશેષનું સમર્થન કેમ કરે છે ? તેનું કારણ કહે છે. जं नेगम-ववहारा, लोअववहारतप्परा सो य । पाएण विसेसमओ, तो ते तग्गाहिणो दोऽवि ॥३७॥ નૈગમ અને વ્યવહાર નય લોકવ્યવહારમાં તત્પર છે, અને લોકવ્યવહાર તો ઘણું કરીને વિશેષથી જ ચાલે છે, માટે તે બે નયો ફક્ત વિશેષને જ ગ્રહણ કરે છે. ૩૭. લોકમાં લેવું મુકવું વિગેરે વ્યવહાર પ્રાયઃ વિશેષથી જ ચાલે છે, સામાન્ય એ લોકવ્યવહારમાં ઉપયોગી નથી. કોઈ ઠેકાણે સામાન્ય વાચક વન-સેના-આદિ શબ્દોનો પ્રયોગ થાય છે. તેથી પ્રાયઃ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ સંબંધમાં શિષ્ય પૂછે છે કે – तेसिं तुल्लमयत्ते, को णु विसेसोऽभिहाणओ अन्नो ?। તુનત્તેવિ રૂદ અમરસ થત્યંતરે મેડો //રૂ૮. તે નૈગમ અને વ્યવહાર એ બે નયોની સમાનતા હોવાથી, નામમાં તફાવત સિવાય અન્ય શો તફાવત છે? (ઉત્તર) વિશેષને માનવો ને સામાન્યને ન માનવો, તેમાં નૈગમનને વ્યવહારનયની સાથે સમાનતા છતાં પણ અજવસ્તુમાં ભેદ છે. ૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy