________________
૨૬ ]
સંગ્રહનયથી મંગળનો વિચાર
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
चूओ वणस्सइ च्चिय, मूलाइगुणो त्ति तस्समूहो व्य ।
गुम्मादओ वि एवं, सब्वे न वणस्सइविसिठ्ठा ॥३३॥ આંબો મૂળ આદિ ગુણવાળો હોવાથી આંબાના સમૂહની માફક વનસ્પતિ જ છે. ગુહ્માદિ સર્વ એજ પ્રમાણે વનસ્પતિથી જુદા વિશેષ નથી. ૩૩.
ઉપર જણાવેલા વૃક્ષ, ગુલ્મ વગેરે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે, પરંતુ વિશેષ નથી, એમ સિદ્ધ કરવા માટે, સામાન્યવાદી ન્યાય પૂર્વક દલીલ કરતાં કહે છે, કે “આંબો' એ વનસ્પતિ સામાન્ય છે, કારણ કે તે મૂળ, કંદ, સ્કંધ, છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરે ગુણયુક્ત છે. જેમ આંબાનો સમૂહ. જે જે મૂળ આદિ ગુણયુક્ત હોય છે, તે તે વનસ્પતિ સામાન્ય રૂપ જ છે, જેમ કે વૃક્ષનો સમૂહ. આંબો એ મૂલાદિ ગુણયુક્ત છે, તેથી તે વનસ્પતિ-સામાન્ય રૂપ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે ગુલ્માદિનું સમજવું. જેમ વિશેષ વાદીએ વિશેષપણે માનેલો ગુલ્મ પણ. વનસ્પતિ સામાન્યરૂપ, જ છે. ગુલ્મ સમૂહની માફક મૂલાદિ ગુણવાળો હોવાથી, આજ પ્રમાણે અન્ય લતાદિવિશેષો પણ વનસ્પતિ-સામાન્યથી યુક્ત સિદ્ધ થાય છે. તેનાથી જો જુદા કહીએ, તો પૃથ્વી આદિપણાનો તેમાં પ્રસંગ આવી પડે. આ ઉપરથી સામાન્ય જ છે, વિશેષ નથી એમ સાબિત થાય છે. એ જ વાતની પુષ્ટિ કરતાં આગળ કહે છે.
सामन्नाउ विसेसो, अन्नोऽणन्नो व होज्ज जइ अण्णो । .. सो नत्थि खपुष्पं पिवऽणण्णो सामन्नमेव तयं ॥३४॥ સામાન્યથી વિશેષ અન્ય હોય અથવા અનન્ય હોય (ભિન્ન હોય કે અભિન્ન હોય) ? જો ભિન્ન હોય તો આકાશપુષ્પની માફક તેની અતિ નથી, અને અભિન્ન હોય, તો તે સામાન્ય જ છે. ૩૪.
સામાન્યવાદી વિશેષવાદીને કહે છે, કે કાં તો વિશેષ સામાન્યથી અન્ય એટલે જુદો ભિન્ન હોય, કાં તો તેથી અનન્ય એટલે અભિન્ન અર્થાત્ તેની સાથે એક જ હોય, આ બે વિકલ્પ છે. જો પ્રથમ ભિન્ન પણાનો વિકલ્પ અંગીકાર કરો, તો આગળ કહ્યું તેમ સામાન્યરહિત હોવાથી, આકાશપુષ્પની માફક વિશેષનામનો પદાર્થ હોય જ નહી. કારણ કે એવો ન્યાય છે, કે જે જે સામાન્ય રહિત હોય, તે તે ગગનકમળની જેમ વિઘામાન જ નથી. તમે જે વિશેષ અંગીકાર કરો છો, તે સામાન્યરહિત છે, તેથી તે હોઈ શકે જ નહીં.
જો બીજો વિકલ્પ ગ્રહણ કરો, તો તમારો વિશેષ તે સામાન્ય જ છે. કારણ કે એવો ન્યાય છે, કે જે જેનાથી અનન્ય એટલે અભિન્ન હોય, તે તે જ છે, જેમ કે સામાન્યનું સ્વરૂપ. જો તમે આગ્રહથી સામાન્યમાં પણ વિશેષનો ઉપચાર કરવા માંગતા હો, તો તેમાં અમને કાંઈ હાની નથી, કારણ કે ઉપચારથી કહેવામાં આવતો ભેદ તાત્ત્વિક એકતાને બાધા કરી શકતો નથી. આથી સામાન્ય જ છે અને વિશેષ નથી. તેથી સંગ્રહનયને મતે સર્વત્ર એક જ દ્રવ્યમંગળ છે. એમ સ્થાપિત થયું.
આ પ્રમાણે સંગ્રહનયવાળાએ પોતાને ઇષ્ટ એવો સામાન્ય પદાર્થ સિદ્ધ કર્યો, હવે વિશેષને માનનાર નૈગમ અને વ્યવહારનયવાળા કહે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org