SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. નિગમનયથી મંગળનો વિચાર [૨૫ નિંગમન સામાન્ય અને વિશેષ ઉભય ધર્મને જુદા જુદા અંગીકાર કરે છે, તથા સંગ્રહનય માત્ર સામાન્ય ધર્મનેજ ગ્રહણ કરે છે, માટે જુદી જુદી અપેક્ષાએ દ્રવ્ય મંગળ એક અથવા અનેક રૂપ છે. સામાન્યનું લક્ષણ કરી તેની સાબીતી કરે છે. एक्कं निच्चं निरवयवमक्कियं सब्बगं च सामन्नं । निस्सामन्नत्ताओ, नत्थि विसेसो खपुष्पं व ॥३२॥ અંક-નિત્ય-નિરવયવ-અક્રિય-અને સર્વગત એવું સામાન્ય વસ્તુરૂપે છે, આકાશ-પુષ્પની જેમ સામાન્ય વિનાનું વિશેષ એવું કાંઈ છે જ નહીં. સામાન્ય" એ એક છે એટલે કે એમાં કાંઈ ભેદ નથી. તે એક છે પણ ક્ષણિક નથી, નિત્ય છે. વળી એક અને નિત્ય છતાં આકાશની માફક સાવયવ એટલે વિભાગવાનું નથી, પણ નિરવયવ એટલે અંશરહિત છે. વળી તે એક, નિત્ય, અને નિરવયવ છતાં પરમાણુંની માફક સક્રિય નથી, પણ અક્રિય એટલે ક્રિયારહિત છે. એક, નિત્ય નિરવયવ અને અક્રિય છતાં તે દિશાની માફક સર્વગત છે, એટલે સકલ લોકમાં વ્યાપ્ત સત્તાવાળું છે. આ પ્રકારનું સામાન્ય જ છે. પરંતુ “વિશેષ” એવું તો કાંઈ છે જ નહીં, કારણ આકાશ પુષ્પની માફક તે સામાન્યરહિત કોઈ હોતું નથી, જે વિદ્યમાન છે તે સામાન્ય રહિત હોય નહિ. આ પ્રમાણે સંગ્રહ નયના મતે એકલું સામાન્ય જ પદાર્થ તરીકે હોવાથી, ફકત એકજ દ્રવ્યમંગળ છે. એના અનેક ભેદો નથી, કેમ કે અનેક ભેદો તો વિશેષની અપેક્ષા હોય છે. ઘટ આદિની જેમ વિશેષ તો સંગ્રહના મતે વસ્તુરૂપ જ નથી. વિશેષ નયનો પ્રશ્ન :- કે અનેક દ્રવ્યમંગળો કેમ સંભવતા નથી ? જેમ “વનસ્પતિ” એમ કહે ત્યારે વૃક્ષ, ગુલ્મ, લતા, આદિ વિશેષો જ પ્રતીત થાય છે, અને તેઓથી જુદી કાંઈ વનસ્પતિ નથી. એ માફક અહીં પણ “દ્રવ્યમંગળ” એમ કહે એટલે ઉપયોગરહિતપણે તેને પ્રરૂપણા કરનારા. બધા ઉપયોગ રહિત જ્ઞાનવાળા વક્તારૂપ વિશેષો જ સમજાય છે, અને તેનાથી જુદું કાંઈ સામાન્ય નથી, માટે “સામાન્ય રહિત હોવાથી વિશેષ એવું કાંઈ છે જ નહીં, આકાશ પુષ્પની જેમ આ પ્રકારનું મૂર્ખના જેવું તમો કેમ કથન કરો છો ?” સામાન્યવાદી સંગ્રહ નયનો ઉત્તર- વનસ્પતિ એમ કહે ત્યારે વૃક્ષ વિગેરે જણાય છે, તેથી જ વૃક્ષો વનસ્પતિથી જુદા નથી, જેમ કે હાથ એમ કહેવાથી હાથની આંગળીઓ પણ જણાઈ આવે છે. જે કહેવાથી જે પ્રતીત થાય છે તેનાથી જુદું હોતું નથી, જેમ “હાથ” એમ કહેવાથી આંગળી આદિ જણાય છે, તેથી તે આંગળીઓ હાથથી જુદી નથી. તેમજ “વનસ્પતિ” એમ કહેવાથી વૃક્ષ દિ જણાય છે, એટલે તે વનસ્પતિથી જુદા નથી. તેથી સામાન્યથી જુદું “વિશેષ” એવું કાંઈ પણ વિદ્યમાન નથી, માટે સર્વત્ર એક જ દ્રવ્યમંગળ છે. - હવે સામાન્યવાદી અન્ય વિચારસંકલનાથી વૃક્ષાદિ સર્વે જે વનસ્પતિ છે, તે સામાન્ય રૂપ છે, તેની પુષ્ટિ કરતાં કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy