SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ક્ષેત્રાનુયોગનું સ્વરૂપ. [૪૫ તથા ક્ષેત્રથી-કાળથી અને ભાવથી વિચારણા તે પરસ્થાને માર્ગણા સમજવી. તેમાં ક્ષેત્રથી સર્વજીવ અને અજીવ દ્રવ્યો સમસ્ત લોકાવગાહી છે, કાળથી અનાદિ અનંત છે અને ભાવથી અનંત પર્યાયવાળાં છે. ૧૩૯૭. હવે દ્રવ્યવડે અથવા દ્રવ્યોવડે, દ્રવ્યમાં અથવા દ્રવ્યોમાં અનુયોગ જે કહ્યો છે, તેનું સ્વરૂપ હે છે. वत्तीए अक्रोण व, करंगुलाईण वावि दवेणं । अक्रोहिं य दव्बेहिं, अहिगरणे कप्प कप्पेहिं ॥१३९८।। વર્તી-અક્ષ-અથવા હાથની અંગુલી આદિ દ્રવ્યવડે જે વ્યાપાર કરાય તે દ્રવ્યાનુયોગ, તથા અક્ષો વડે અને કલ્પનીય અધિકરણ અથવા અધિકરણોરૂપ દ્રવ્યોવડે જે વ્યાખ્યા કરાય તે દ્રવ્યાનુયોગ. ૧૩૯૮. ખડી અથવા ચાકના ભૂકાથી બનાવેલ સળી વડે અક્ષર અથવા પદ વિગેરે લખીને વ્યાખ્યા કરાય તે દ્રવ્યવડે અનુયોગ. ભાંગાઓના વિચારમાં અક્ષોવડે પાસાઓ વડે જે વ્યાખ્યા કરાય તે પણ દ્રવ્યવડે અનુયોગ કહેવાય. તથા હાથની અંગુલીઆદિવડે કંઈક બતાવતાં જે વ્યાખ્યા કરાય તેપણ દ્રવ્યવડે અનુયોગ કહેવાય છે. તથા ઘણા અક્ષ-પાસાઓ વડે જે વ્યાખ્યા કરાય તે દ્રવ્યો વડે અનુયોગ, અને એક કાંબળીથી બનાવેલ કલ્પનીય સંથારારૂપ અધિકરણપર બેસીને જયારે વ્યાખ્યા કરે ત્યારે તે દ્રવ્યમાં અનુયોગ કહેવાય, તેમજ બહુ કામળીઓથી બનાવેલ કલ્પનીય સંથારારૂપ દ્રવ્યો પર રહીને જયારે વ્યાખ્યા કરાય ત્યારે તે દ્રવ્યોમાં અનુયોગ કહેવાય. ૧૩૯૮. એ છ પ્રકારે દ્રવ્યાનુયોગ કહ્યો, હવે છ પ્રકારે ક્ષેત્રાનુયોગ કહે છે. पन्नत्तिजंबुदीवे, खेत्तस्सेमाइ होइ अणुओगो । खेत्ताणं अणुओगो दीव-समुद्दाण पन्नती ॥१३९९।। ક્ષેત્રનો અનુયોગ આ પ્રમાણે છે. જંબૂઢીપપ્રજ્ઞપ્તિસૂત્ર તે ક્ષેત્રાનુયોગ છે, કેમકે તેમાં એક જંબૂદ્વીપ ક્ષેત્રનું વ્યાખ્યાન છે, અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ સૂત્રમાં દ્વીપ-સમુદ્રોની જે પ્રજ્ઞપ્તિ, તે ક્ષેત્રોનો અનુયોગ છે, કેમ કે તેમાં ઘણા દીપ-સમુદ્રોનું વ્યાખ્યાન છે. ૧૩૯૯. जंबुद्दीवपमाणं, पुढविजियाणं तु पत्थयं काउं । एवं मविज्जमाणा, हवंति लोगा असंज्जा ॥१४००। જંબૂઢીપ જેવડો પ્રસ્થક (પાલો) કરીને તેને ભરવા અને ખાલી કરવાના ક્રમવડે જ્યારે સર્વ સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાય જીવો તેથી મપાય, ત્યારે અસંખ્ય લોકાકાશ પ્રદેશ જેટલા જંબૂદ્વીપ જેવડા પ્રસ્થ થાય; એવી પ્રરૂપણામાં ક્ષેત્રવડે અનુયોગ કહેવાય છે. અને બહુ દ્વીપ જેવડો પ્રસ્થક કરીને નિરંતર ભરવા અને ખાલી કરવાના ક્રમવડે તેમાં સર્વ પૃથ્વીકાયના જીવો મપાય, ત્યારે અસંખ્ય લોકાકાશ પ્રદેશના સમૂહ જેટલા બહુ લીપ જેવડા પ્રસ્થ થાય છે. આ પ્રરૂપણામાં ક્ષેત્રો વડે અનુયોગ જાણવો. અહીં જે અસંખ્યાતું છે, તે પૂર્વના જંબૂદ્વીપના અસંખ્યાતા કરતાં નાનું છે, કેમ કે અહીં પ્રસ્થ બહુ મોટા માનેલ છે. ૧૪૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy