________________
કાલાનુયોગનું સ્વરૂપ.
खेत्तम्मि उ अणुओगो, तिरियं लोगम्मि जम्मि वा खेत्ते । अड्डाइयदीवेसुं, छलद्धवीसाइ खेत्ते || १४०१ ॥
તિયંગ્લોકક્ષેત્રમાં અથવા જે ગામ-નગરાર્દિમાં, વ્યાખ્યાન સભા વિગેરે ક્ષેત્રમાં રહીને અનુયોગ કરનાર અનુયોગ કરે, તે ક્ષેત્રમાં અનુયોગ કહેવાય; અને અઢીદ્વીપ-સમુદ્રમાં અથવા સાડી પચીસઆર્યક્ષેત્રોમાં રહીને જે અનુયોગ પ્રવર્તે, તે ક્ષેત્રોમાં અનુયોગ કહેવાય. ૧૪૦૨.
હવે છ પ્રકારે કાલાનુયોગ કહે છે.
૪૯૬]
कालस्स समयरूवण, कालाण तदाइ जाव सव्वद्धा । काणानिलावहारो, कालेहि उ सेसकायाणं ।। १४०२ ।।
સમયની પ્રરૂપણા કરવી તે કાલનો અનુયોગ, સમયથી માંડીને સર્વ કાલની પ્રરૂપણા કરવી તે કાલનો અનુયોગ, વાયુકાયના અપહારથી કાલવડે અનુયોગ, અને શેષકાયના અપહારથી કાલવડે અનુયોગ કહેવાય છે. ૧૪૦૨.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
કમળપત્રને ભેદવાના અથવા જીર્ણવસ્ર ફાડવાના દૃષ્ટાન્તથી સમયની પ્રરૂપણા વ્યાખ્યા કરવી તે કાલનો અનુયોગ કહેવાય. અને સમયથી આરંભીને સર્વકાળની પ્રરૂપણા-વ્યાખ્યા કરવી તે કાળોનો અનુયોગ કહેવાય. વૈક્રિયશરીરવાળા બાદર પર્યાપ્ત વાયુકાયજીવો અર્ધા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે અપહરી શકાય, આ પ્રમાણે પ્રરૂપણા કરવી તે કાળ વડે અનુયોગ કહેવાય. કોટ્યાચાર્યનું કહેવું એ પ્રમાણે છે, અને તે સિવાય બીજે અનુયોગદ્વારાદિમાં તો એમ કહ્યું છે, , કે વૈક્રિયશરીરવાળા વાયુકાય જીવો ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ જેટલા છે. આ બે અભિપ્રાયમાં સત્ય શું છે, તે કેવળી જાણે. તથા શેષ પૃથ્વીકાયાદિના અપહારથી કાળોવડે અનુયોગ થાય છે. જેમકે એક આવલિકામાં જેટલા સમયો છે, તેનો વર્ગ કરીએ, અને તેવા અસંખ્યાતા વર્ગમાં જેટલા સમયો હોય, તેટલા બાદ પર્યાપ્તા તેઉકાય જીવો છે તે, તથા ઉત્પન્ન થતા ત્રસકાય જીવો એ સર્વ અસંખ્યાતઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે અપહરી શકાય. એજ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં પણ યથાસંભવ કહેવું. ૧૪૦૨.
હવે શેષ કાળાનુયોગના બે પ્રકાર તથા વચનાનુયોગના પહેલા બે પ્રકાર આચાર્યશ્રી કહે છે. कालम्मि बीयपोरिसि, समासु तिसु दोसु वावि कालेसु । वयणस्सेगवयाई, वयणाणं सोलसहं तु || १४०३॥
બીજી પોરિસિના કાળમાં સૂત્રનું વ્યાખ્યાન કરાય, તે કાળમાં અનુયોગ કહેવાય. ઉત્સર્પિણીઅવસર્પિણિ કાળના ત્રણ આરામાં અનુયોગ-વ્યાખ્યાન પ્રવર્તે છે, તે કાળોમાં અનુયોગ, એકવચનદ્વિવચનાદિમાંથી કોઈપણ વચનની વ્યાખ્યા કરવી, તે વચનનો અનુયોગ અને બહુવચનોનો અનુયોગ તે પણ વચનાનુયોગ છે, તે સોળ પ્રકારે છે. ૧૪૦૩.
પહેલી પોરિસિમાં સૂત્ર ભણાય છે, અને બીજી પોરિસિમાં તેનો અનુયોગ એટલે વ્યાખ્યાન કરાય છે. તેથી તે બીજી પોરિસિ તે કાળનો અનુયોગ કહેવાય, કેમકે એમાં બીજી પો૨િસિરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org