________________
ભાષાંતર
ગણધરઆદિને નમસ્કાર.
[૪૧૫
अमर-नररायमहियंति, पूइयं तेहिं किमुय सेसेहिं ? ।
संपइतित्थस्स पहुं, मंगल्लं महोवगारिं च ॥१०६१॥ ભાગ એટલે અચિત્ત્વશક્તિ તેથી તે મહાભાગ અથવા મહાપ્રભાવવાળા. અનન્ત અર્થ જાણે તે મહામુનિ અથવા મુનિઓમાં પ્રધાન તે મહામુનિ. ત્રિભુવનમાં વિખ્યાત યશવાળા હોવાથી મહાયશ એવા મહાવીરજિન, અથવા કષાયાદિ શત્રુ સૈન્યનો પરાજય કરવાથી વીર. અથવા જે વિશેષ કરીને કર્મ ખપાવે, અથવા મોક્ષ પમાડે અને પોતે મોક્ષે જાય, તેથી તે વીર. એવા મહાન્ વીર તે મહાવીર. બીજાઓથી તો શું? પણ અમર-નરરાજ પૂજીત એટલે ઈન્દ્ર અને ચક્રવર્તિઓથી પણ પૂજીત. તથા વર્તમાન તીર્થના સ્વામિ માંગલ્યકારી અને મહોપકારી એવા શ્રી મહાવીરદેવને વંદન કરું છું. ૧૦૫૮ થી ૧૦૬૧. એ પ્રમાણે અર્થ પ્રણેતાને મંગળ માટે વંદન કર્યું, હવે સૂત્રકારને વંદન કરે છે. (૮૨) પારસવિ હરે, પવાય પવયાર વંતાન છે
सव् गणहरवंसं, वायगवंसं पवयणं च ॥१०६२॥ (ઉત્તમ જ્ઞાન-દર્શનાદિ ગુણોના સમૂહને ધારે તે ગણધર.) એવા ગૌતમાદિ અગીઆરે ગણધરો, જે આગમના પ્રથમ ઉપદેશક છે તેમને, તથા સર્વ ગણધરો-આચાર્ય પરંપરારૂપ વંશને, અને ઉપાધ્યાયના વંશને, તેમજ આગમને, હું વંદન કરું છું. એ નિર્યુક્તિની ગાથા ઉપર ભાષ્યકાર મહારાજ કહે છે.
पुज्जो जहऽत्थवत्ता, सुयवत्तारो तहा गणहरावि । पुज्जा पवायगा पवयणस्स ते बारसंगरस ॥१०६३।। जह वा रायाणत्तं, रायनिउत्तपणओ सुहं लहइ । तह जिणवरिंदविहियं, गणहरपणओ सुहं लहइ ॥१०६४॥ जह मूलसुयप्पभवा, पुज्जा जिण-गणहरा तहा जेहिं । तदभयमाणीयमिदं, समयं तेसिं वंसो किह न पज्जो ? ॥१०६५॥ जिणगणहरुग्गयस्सऽवि, सुयस्स को गहण-धरण-दाणाई । कुणमाणो जड़ गणहरवायगवंसो न होज्जाहि ? ॥१०६६॥ सीसहिया वत्तारो, गणाहिवा गणहरा तयत्थरस । सुत्तस्सोवज्झाया, वंसो तेसिं परंपरओ ॥१०६७॥ पगयं पहाणवयणं, पवयणं बारसंगमिह तरस ।
जइ वत्तारो पुज्जा, तंपि विसेसेण तो पुज्जं ॥१०६८॥ જેમ અર્થના વક્તા તીર્થંકર પૂજય છે, તેમ સૂત્રના વક્તા ગણધરો પણ પૂજય છે, કેમકે તેઓ દ્વાદશાંગ પ્રવચનના વાચક છે; અથવા જેમ રાજાએ કહેલ દ્રવ્યાદિ વસ્તુ રાજનિયુક્ત એવા પ્રધાન આદિને નમસ્કાર કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તેમ જિનેશ્વરે કરેલ મંગળ આદિ પણ ગણધરોને પ્રણામ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે; વળી જેમ મૂળ શ્રુતના હેતુભૂત જિનેશ્વર અને ગણધરો પૂજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org