________________
૩૪૦]
મન:પર્યાયમાં દર્શન હોય કે નહિ?
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
છે તેથી તે શ્રુતના સમાન વિષયવાળું છે; પરંતુ “અવધિ-મન:પર્યાય-અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ હોવાથી” મન:પર્યાયજ્ઞાન પણ પ્રત્યક્ષ અર્થનો વિષય કરનાર છે. તેથી પરોક્ષ અર્થનો વિષય કરનાર અચક્ષુદર્શનની તે મન:પર્યવજ્ઞાનમાં કેવી રીતે પ્રવૃત્તિ થાય? કારણ કે તે ભિન્ન વિષયવાળું છે. ૮૧૫. શ્રીગુરૂ એનો ઉત્તર આપે છે -
जइ जुज्जए परोक्ने, पच्चक्खे नणु विसेसओ घडइ ।
नाणं जई पच्चक्खें, न ईसणं तस्स को दोसो ? ॥१६॥ જો પરોક્ષ અર્થમાં અચક્ષુદર્શન યુક્ત છે, તો પ્રત્યક્ષ અર્થમાં વિશેષ કરીને તે ઘટે છે. જો જ્ઞાન પ્રત્યક્ષ છે અને દર્શન પ્રત્યક્ષ નથી એમ કહો, તો જ્ઞાનમાં શું દોષ આવે છે ? ૮૧૬. - જો પરોક્ષ અર્થમાં અચસુદર્શનની પ્રવૃત્તિ માની શકાય છે, તો પછી પ્રત્યક્ષ અર્થમાં તો તે વિશેષ કરીને માનવી જોઈએ. કેમ કે ચક્ષુપ્રત્યક્ષથી જણાયેલ ઘટ આદિ જે પ્રત્યક્ષ અર્થ તે તે સંબંધી અચક્ષુદર્શનમાં વિશેષ અનુગ્રાહક છે; તેમ અહીં માત્ર મનોદ્રવ્યરૂપ અર્થને પ્રત્યક્ષપણે ગ્રહણ કરતાં મન:પર્યાયજ્ઞાનમાં પ્રત્યક્ષપણું યુક્ત છે; અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનનો ભેદ હોવાથી, તેમજ પરોક્ષ અર્થને ગ્રહણ કરનાર હોવાથી, તેમાં પ્રત્યક્ષપણું નથી; તોપણ તે દર્શન મન:પર્યવજ્ઞાનને અનુગ્રાહક તો થાય છે.
પ્રશ્ન :- એમ માનવાથી તો મન:પર્યાયજ્ઞાનના પ્રત્યક્ષપણામાં વિરોધ આવશે.
ઉત્તર :- વિરોધ નહિ આવે. કારણ કે જેમ અવધિજ્ઞાનવાળાને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનવડે પરોક્ષ અર્થને જોતાં તેના પ્રત્યક્ષપણામાં કંઈપણ વિરોધ નથી આવતો, તેમ અહીં પણ મન:પર્યાયજ્ઞાન અને અચક્ષુદર્શન અનુક્રમે પ્રત્યક્ષ તથા પરોક્ષ અર્થનો વિષય કરનાર હોવાથી મન:પર્યાયજ્ઞાનના પ્રત્યક્ષપણામાં કંઈ વિરોધ નથી. મન:પર્યાયજ્ઞાનવાળો પોતાના જ્ઞાનથી મનોદ્રવ્ય-પર્યાયોને સાક્ષાતપણે જાણે છે અને માનસઅચક્ષુદર્શનથી પરોક્ષપણે જુએ છે. ૮૧૬. બીજા આચાર્યો જુએ છે” એ પદ બીજી રીતે સમજાવે છે. તે માટે તેમનો મત જણાવે છે.
૩ન્ને વહિવંસ૩ો, વયંતિ ન ય તરસ તે સુઈ મળે છે
न य मणपज्जदंसणमन्नं च चउप्पयाराओ ।।८१७॥ બીજા આચાર્યો, અવધિદર્શનથી (મન:પર્યવજ્ઞાની) જાએ છે, એમ કહે છે, (તે યુક્ત નથી, કેમકે) મન:પર્યવજ્ઞાનીને તે અવધિદર્શન શ્રતમાં કહ્યું નથી, અને દર્શનના ચાર પ્રકાર (ચક્ષુદર્શન આદિ) સિવાય બીજાં મન:પર્યવદર્શન પણ કહ્યું નથી. ૮૧૭.
બીજા કેટલાક આચાર્યો એમ કહે છે કે મન:પર્યાયજ્ઞાની અવધિદર્શનથી જુએ છે અને મન:પર્યાયજ્ઞાનથી જાણે છે. તેઓનું એમ કહેવું અયોગ્ય છે, કારણ કે મનઃ પર્યાયજ્ઞાનવાળાને અવધિદર્શન શ્રતમાં કહ્યું નથી. અર્થાત્ મન:પર્યાયવાળાને અવધિજ્ઞાન અને અવધિદર્શન હોવું જ જોઈએ એમ કંઈ નથી; અવધિ સિવાય પણ મતિ-શ્રુત-ને મન:પર્યાય, એમ ત્રણ જ્ઞાન આગમમાં કહ્યાં છે. જેમ કે - “હે ભગવન્! મન:પર્યવજ્ઞાન લબ્ધિવાળા જીવો, જ્ઞાની હોય કે અજ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org