SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૨] બે શેઠની પુત્રીનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ મોટા અવાજવડે તેને તેમ કરતાં અટકવા કહ્યું, પણ તેણે તે માન્યું નહી, અને ઉલટી કહેવા લાગી કે “આ તો મારા પોતાના આભરણો છે. તારાં નથી.' ઇત્યાદિ આક્રોશ કરતી તે પોતાને ઘેર ગઇ અને સર્વ હકીકત પોતાના માતાપિતાને જણાવી તેઓએ તેની વાતને આદર આપ્યો અને કહ્યું કે, “બેટા ! તું તારે કંઈ પણ બોલ્યા વિના જોયા કર, શું થાય છે તે અમે પણ જોઈએ છીએ.' નવા શેઠની પુત્રી પણ જળાશયમાંથી નીકળીને ઘેર ગઈ, તેણે પણ સર્વ હકીકત પોતાના માતાપિતાને કહી. તેના માતા-પિતાએ તે આભરણો જુના શેઠ પાસે માગ્યા પણ તેણે આપ્યાં નહિ. આથી બન્નેની તકરાર રાજદ્વારમાં ગઇ. ત્યાં ન્યાયાધિકારીએ આ સંબંધમાં કોઇ શાક્ષી છે કે નહિ ?’ એમ પૂછતાં બન્ને તરફથી કહેવામાં આવ્યું કે “ના, આમાં કોઈ સાક્ષી નથી.” તેથી બુદ્ધિમાન ન્યાયાધિકારીએ બન્ને છોકરીઓને બોલાવીને પ્રથમ જુના શેઠની પુત્રીને કહ્યું કે “જો આ આભરણો તારાં પોતાનાં હોય તો તે તું અમારી દેખતાંજ એકદમ પહેરી બતાવ.” ન્યાયાધિકારીના કહેવાથી તેણે તે આભરણો સત્વર પહેરવા માંડ્યા, પરન્તુ અનભ્યાસથી અન્ય સ્થાનનું આભરણ અવસ્થાને પહેરવા લાગી. કેટલેક સ્થાને તેણે પહેર્યા પણ તેને બરાબર બંધ બેસતાં આવ્યાં નહીં. તે તેણે ગભરામણથી જાણ્યું નહિ. પછી ન્યાયાધિકારીએ નવીન શેઠની પુત્રીને તે આભરણો તેજ પ્રમાણે જલ્દીથી પહેરવાનું કહ્યું, એટલે તેણે નિરંતરના અભ્યાસથી સર્વ આભરણો યોગ્ય સ્થાને સત્વર ધારણ કરી લીધાં, તે તેને બરાબર બંધ બેસતાં પણ આવ્યાં. તેથી તેને ઘણા શોભવા લાગ્યાં. ફરી તેને ન્યાયાધિકારીએ કહ્યું કે “એકદમ આ આભરણો ઉતારી નાખ.' તેણે તરતજ સત્વર ઉતારી નાંખ્યાં; જુના શેઠની પુત્રીને તેમ ઉતારવાનું કહ્યું હતું ત્યારે તે સત્વરે તે પ્રમાણે કરી શકી નહોતી. આથી ન્યાયાધિકારીએ નિશ્ચય કર્યો કે “આ આભરણો નવીન શેઠની પુત્રીનાં છે, પણ જુના શેઠની પુત્રીનાં નથી, તે તો કેવળ આને ગળેજ પડે છે. આ અભિપ્રાય તેઓએ રાજાને કહ્યો, એટલે રાજાએ તે આભરણો નવા શેઠની પુત્રીને અપાવ્યાં, અને જુના શેઠને ઉગ્ર દંડ કર્યો, કેમકે તેણે પુત્રીનો ખોટો પક્ષ અંગીકાર કરીને તેના અન્યાયને ઉત્તેજન આપ્યું હતું. આથી તેની પુત્રી પણ ઘણી દુઃખી થઇ. આ પ્રમાણે જેમ જુના શેઠની પુત્રી આભરણોને અયોગ્ય સ્થાને યોજવાથી અનર્થનું ભોજન થઇ, તેમ જે ગુરૂ પણ અર્થને અયોગ્ય સ્થાને જોડે, તે ગુરૂપદને લાયક નથી, કેમકે તેવા ગુરૂ આ લોક અને પરલોક સંબંધી અનેક અનર્થના ભાજન થાય છે. વળી શિષ્ય પણ ગુરૂએ યથાર્થ પ્રરુપેલા અર્થને અજ્ઞાનથી વિપરીતપણે યોજે તો તે શિષ્ય પણ અયોગ્ય છે; પરન્તુ સ્વસ્થાને આભૂષણો ધારણ કરનાર નવા શેઠની પુત્રીની પેઠે, અર્થને યોગ્ય સ્થાને યોજનાર ગુરૂ ગુરૂપદને યોગ્ય છે, અને શિષ્ય પણ ગુરૂએ કહેલા અર્થને યથાર્થ યોજે, તો તે વ્યાખ્યાન સાંભળવાને યોગ્ય છે, અને તેવા જ શિષ્ય કલ્યાણનું ભાજન થાય છે. ૧૪૪૦-૧૪૪૧. ચોથું શ્રાવકનું ઉદાહરણ . चिरपरिचियंपि न सरइ, सुत्तत्थं सावओ सभज्ज व्व । जो न स जोग्गो सीसो, गुरुत्तणं तस्स दूरेणं ॥१४४२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy