________________
ભાષાંતર]
ત્રિસમયપનકમાં મતાન્તર.
[૨૭૯
શા માટે ત્રણ સમયનો આહારક ગ્રહણ કર્યો એ પ્રશ્નનો ઉત્તર આપે છે.
पढम-विइएउतिसण्हो, जमइत्थूलो चउत्थयाईसु ।
तइयसमयम्मि जोग्गो, गहिओ तो तिसमयाहारो ॥५९५।। પહેલા અને બીજા સમયમાં અતિસૂક્ષ્મ હોય છે, તથા ચોથા સમયથી અતિ સ્થૂલ થાય છે, પણ ત્રીજા સમયે યોગ્ય થાય છે, તે કારણથી ત્રણ સમયનો આહારક (પનકજીવ) ગ્રહણ કર્યો છે. પ૯૫. આ સંબંધમાં બીજા કેટલાએક આચાર્યોનો મત જણાવે છે.
केई दो झससमया, तइओ पणयत्तणोववायम्मि । अह तिसमओ आहारओ य सुहुमो य पणओ य ॥५९६॥ उववाए चेव तओ, जओ जहण्णो न सेससमएसु ।
तो इह तद्देहसमाणमोहिखेत्तं जहण्णं तु ॥५९७॥ કેટલાક આચાર્યો મત્સ્યના બે સમય અને ત્રીજો સમય પનકપણાની ઉત્પત્તિમાં; એ પ્રમાણે ત્રણ સમયનો આહારક સૂક્ષ્મપનક થાય છે. તે કારણથી ઉત્પત્તિમાંજ એ જઘન્ય (શરીરવાળો છે), બીજા સમયોમાં નથી. અને તેથી કેવળ તેના શરીર પ્રમાણ અવધિજ્ઞાનનું જઘન્યક્ષેત્ર છે. એમ કહે છે. ૧૯૬-૫૯૭.
“ત્રણ સમયનો આહારક' એ સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે-પ્રથમના બે સમય તો મત્સ્ય સંબંધી ગ્રહણ કરાય છે, તેમાં પહેલા સમયે આત્મપ્રદેશોના વિસ્તારનો સંકોચ કરી પ્રતર કરે છે, બીજા સમયે સૂચિ કરે છે અને ત્રીજા સમયે એ સૂચિ સંકોચીને પનકપણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વિગ્રહગતિ વિના ત્રણ સમયે ઉત્પન્ન થયેલો પનકજીવ ત્રણ સમય તો આહારક કહેવાય છે, જો વિગ્રહ ગતિએ ઉત્પન્ન થતો હોય તો તે આહારક ન હોય, કેમકે જેટલો સમય વિગ્રહગતિમાં વચમાં જાય તેટલા સમય તે અનાહારક હોય છે. આમ હોવાથી ત્રણ સમયે અને વિગ્રહગતિ વિના ઉત્પન્ન થયેલો પનક અતિસૂક્ષ્મ સિદ્ધ થાય છે, એમ સિદ્ધ થવાથી ૫૮૮મી ગાથામાં કહેલ નિર્યુક્તિકારનું વચન આરાધ્યું ગણાય, વળી અહીં એ પનક જેમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય એમ કહેવું જોઈએ, તો એ બાબત આ વ્યાખ્યાનમાં ઘણી સારી રીતે સિદ્ધ થાય છે, જેમકે- ઉત્પત્તિ સમયેજ તે પનકજીવ જઘન્ય અવગાહનાવાળો છે, બીજા સમયમાં નહિ, કેમ કે બીજા સમયોમાં તો તે કંઈક મોટો થાય છે, અને નિર્યુક્તિકારે તો જઘન્ય અવગાહનાવાળો કહ્યો છે, માટે ઉપરોક્ત સ્વરૂપવાળા અતિ સૂક્ષ્મપનક જીવના પ્રથમ સમયના શરીર જેટલું જઘન્યથી અવધિજ્ઞાનનું વિષયભૂત ક્ષેત્ર છે.
અહીં ભાષ્યકારની ગાથા વિના ટીકાકાર મહારાજ પોતે એ આચાર્યોના મતનું ખંડન કરે છે કે- એ પ્રમાણે તેઓનું વ્યાખ્યાન યોગ્ય નથી, કેમકે ત્રણે સમયનો આહારક એ શબ્દ પનકજીવન વિશેષણરૂપે કહેલ છે, અને તેથી મલ્યના આયુષ્યના જે બે સમય તે પનકના સમય છે, એમ કહેવું ઉચિત નથી. વળી એ પ્રમાણે માનવાથી જઘન્ય અવગાહના થાય છે, એમ કહ્યું છે, તે પણ યોગ્ય નથી. કારણ કે અહીં અતિ સૂક્ષ્મ અથવા અતિ મોટી અવગાહના સાથે કંઈ પ્રયોજન નથી, યોગ્ય અવગાહના સાથે પ્રયોજન છે, અને તેજ યોગ્ય અવગાહના તેના જાણનારાઓએ જોએલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org