________________
૫૦]
શ્રત અને અવધિજ્ઞાનની વ્યાખ્યા
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
આ પ્રમાણે આભિનિબોધિક શબ્દથી વાચ્ય એવા જ્ઞાનની વ્યાખ્યા કરી; હવે આભિનિબોધિક એટલે જ્ઞાન-ક્ષયોપશમ અથવા આત્મા એવા અર્થમાં વ્યાખ્યા કરે છે. ને સાથે સાથે શ્રુતજ્ઞાનની પણ તેની માફક ધાતુની સાથે લાગેલ પ્રત્યયનો અર્થ જણાવી વ્યાખ્યા કહે છે.
तं तेण तओ तम्मि व, सो वाऽभिणिबुज्झए तओ वा तं ।
तं तेण तओ तम्मि व, सुणेइ सो वा सुअं तेणं २ ॥१॥ તેને-તે વડે-તે થકી તે છતે (આત્મા જાણે) અથવા તે જાણે, તે અભિનિબોધ. તે તે વડેતે થકી તે છતાં સંભળાય અથવા તે સાંભળે, તે ઋત. ૮૧.
અર્થને અભિમુખ નિશ્ચયપણે આત્મા જે જાણે, તે અવગ્રહાદિ જ્ઞાનરૂપ અભિનિબોધ. અથવા • તે અભિનિબોધમાં કરણભૂત એવો છે, તેને આવરણ કરનાર કર્મનો ક્ષયોપશમ, તે વડે આત્મા ઘટ-પટાદિ વસ્તુ જાણે અથવા તદાવરણીયકર્મના ઋયોપશમથી આત્મા ઘટપટાદિને જાણે, અથવા કદાવરણીયકર્મનો ક્ષયોપશમ થયે છતે આત્મા જાણે, તેથી ત્રણે વ્યુત્પત્તિથી જે તેના આવરણનો ક્ષયોપશમ તે અભિનિબોધ; આ વ્યાખ્યાથી આત્મા એજ આભિનિબોધિક છે, કેમકે જ્ઞાન અને જ્ઞાની કથંચિત્ અભિન્ન છે.
પ્રશ્ન :- આત્મા અને ક્ષયોપશમ એવો જે અર્થ આભિનિબોધકશબ્દનો કર્યો છે તેમાં જ્ઞાનની સાથે આત્મા ને ક્ષયોશમને સમાન અધિકરણતા કેમ ઘટે ?
ઉત્તર :- આત્મા જ્ઞાનનો આશ્રય છે, અને ક્ષયોપશમ એ જ્ઞાનનું કારણ છે, તેથી ઉપચારથી તેને આભિનિબોધિક કહેવાય છે.
એ પ્રમાણે આભિનિબોધિક જ્ઞાનની વ્યુત્પત્તિ કહીને હવે, શ્રુત જ્ઞાનની વ્યુત્પત્તિ કહે છે. આત્મા વડે જે સંભળાય તે મૃત (આત્મા વડે શબ્દ સંભળાય છે, માટે આ વ્યુત્પત્તિથી શબ્દ તે શ્રુત છે.) જે વડે એટલે ક્ષયોપશમ વડે સંભળાય માટે તે ક્ષયોપશમ શ્રુત, અથવા જે ક્ષયોપશમથી સંભળાય તે શ્રતનો ક્ષયોપશમ શ્રુત, અથવા ક્ષયોપશમ છતે જે સંભળાય તે શ્રુત (અહીં સાંભળનાર આત્મા છે, માટે આ વ્યુત્પત્તિથી આત્માને શ્રુત કહ્યો છે.) આ વ્યુત્પત્તિઓમાં શબ્દ-આત્મા-અને ક્ષયોપશમનો શ્રત કહેલ છે, તેનું કારણ એ છે કે શબ્દ શ્રુતજ્ઞાનનું કારણ છે, ક્ષયોપશમ શ્રુતજ્ઞાનનો હેતુ છે; અને આત્મા શ્રતથી કથંચિત્ અભિન્ન છે, તે માટે ઉપચારથી તેમને શ્રુત કહેલ છે. ૮૧. હવે અવધિજ્ઞાનની વ્યુત્પતિ કહે છે.
तेणावहीयए तम्मि, वाऽवहाणं तओऽवही सो य ।
मज्जाया जं तीए, दबाइ परोप्परं मुणइ ॥४२॥ તે વડે અથવા તે છતે, ઇંદ્રિય અને મનની મદદ સિવાય, સાક્ષત્ આત્માથી અર્થ જણાય, તે અવધિ. તે અવધિ મર્યાદારૂપ છે, કેમકે તે અવધિજ્ઞાન વડે (આત્મા) દ્રવ્યાદિ પરસ્પર મર્યાદિત જાણે છે.
અવ અને ધિ એ બે શબ્દથી અવધિપદ બનેલ છે. તેમાં અવ શબ્દ અવ્યય હોવાથી, અનેક અર્થ વાચી છે. તેથી જે જ્ઞાન વડે “અવ” એટલે “અધઃઅધઃ” નીચે નીચે વિસ્તારથી રૂપી વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org