SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર આભિનિબોધજ્ઞાનની વ્યાખ્યા. [૪૯ તથા ભવિષ્યમાં જાણકાર થનારો બાલક છે. વ્યતિરિક્ત દ્રવ્યનંદી એટલે બાર પ્રકારનાં વાજિંત્રોનો સમૂહ, જેવાં કે ભંભા-મુકુન્દ-મઈલ-કડમ્બ-ઝલ્લરી-હુડક્ક-કંસાલ-કાહલ-તાલિમા-વાંસ-શંખઅને પણવ. નામનંદી આદિનું સ્વરૂપ પૂર્વોક્ત નામમંગળાદિના અનુસાર સમજી લેવું, અને ભાવનંદી આગમથી તથા નોઆગમથી એમ બે પ્રકારે છે. નંદી પદાર્થનો જાણ અને તેમાં ઉપયોગવાનું હોય, તે આગમથી ભાવનંદી છે, અને નોઆગમથી ભાવનંદી મતિ આદિ પાંચ જ્ઞાનો છે. અહીં નોશબ્દ એક દેશવાચી છે, અને આગમ (શ્રત) તે પાંચ જ્ઞાનનો એક દેશ છે. તેથી પાંચ જ્ઞાનોને નિરૂપણ કરનાર નંદી, તે અહીં નોઆગમથી ભાવનંદી છે. એ પાંચ જ્ઞાનરૂપી ભાવનન્દી હવે પછીની નિર્યુક્તિની ગાથાથી બતાવે છે. ૭૮, (૨) fમળવોફિયના, સુર્યના વેવ દિના સો तह मणपज्जवनाणं, केवलनाणं च पंचमयं ॥७९॥ આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન અને પાંચમું કેવળજ્ઞાન. ૭૯. આ પાંચે જ્ઞાનનું સ્વરૂપ ભાગકાર મહારાજ પોતે જ વિસ્તારથી કહેશે; તેમાં પ્રથમ દરેક અવાંતર પદોનો અર્થ કહીને આભિનિબોધિકજ્ઞાન શબ્દનો અર્થ જણાવે છે. ___ अत्थाभिमुहो नियओ, बोहो जो सो मओ अभिनिबोहो । सो चेवाऽऽभिणिबोहियमहव जहाजोगमाउज्जं ॥८॥ અર્થની (પદાર્થના) અભિમુખ એટલે પદાર્થની હાજરીમાં ઉત્પન્ન થતો નિશ્ચિત એટલે સંશય રહિત બોધ, તે અભિનિબોધ કહેવાય છે, અને તેજ આભિનિબોધિક જ્ઞાન છે. અથવા (બીજી રીતે પણ) જેમ વ્યુત્પત્તિથી ઘટે તેમ યોજવું. ૮૦. અર્થની અભિમુખ જે નિશ્ચિત બોધ-જ્ઞાન તે અભિનિબોધ, ક્ષયોપશમાદિની નિપુણતા વિના ઉત્પન્ન થતું અનિશ્ચિયાત્મક જે જ્ઞાન, તે અભિનિબોધ ન થઈ જાય, એટલા માટે “નિશ્ચિત' એવું વિશેષણ આપ્યું છે. “અર્વાભિમુખ' એવું વિશેષણ ન આપ્યું હોત તો તૈમિરિકાદિદોષવાળાને એક ચંદ્ર છતાં બે ચંદ્રનું નિશ્ચિત જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન અર્થને અભિમુખ ન હોવાથી સત્યજ્ઞાન નથી, આ ઉભયદોષ ટાળવાને તીર્થંકર-ગણધર આદિએ “અર્વાભિમુખ અને નિયત એવો જે બોધ' તેને અભિનિબોધ કહેલ છે. અને તેજ આભિનિબોધિક જ્ઞાન છે. અથવા આ સિવાય બીજી રીતે પણ જેમ ઘટે તેમ સંબંધાનુસારે એ આભિનિબોધિકજ્ઞાનની વ્યાખ્યા કરવી. જેમ કે અર્થની હાજરીમાં નિશ્ચિત બોધથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન અથવા તે વડે થયેલું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન, અથવા તેથી કે તે છતાં થયેલું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન, અથવા તન્મયજ્ઞાન અથવા તે માટે જ્ઞાન, તે આભિનિબોધિક જ્ઞાન, ઇત્યાદિ. ૮૦. * ૧. આંખનો અમુક રોગ કે જેનાથી વસ્તુ એક હોવા છતાં ડબલ દેખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy