________________
૪૮]
શબ્દાદિ નયથી નિપાનો વિચાર
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
જ અંગીકાર કરે છે, તેથી આ નયના મતે વિપ્નને ઉપશમાવનાર-અનિષ્ટનો નાશ કરનાર વિઘ્ન હરનાર આદિ જે કોઈ મંગળશબ્દથી વાચ્ય હોય તે સર્વ એક જ ભાવમંગળ છે.
સમભિરૂઢ અને એવંભૂતનય, શબ્દ અને ઋજુસૂત્રની અપેક્ષાએ વિપરીત હોવાથી, ભિન્ન ભિન્ન અનેક પર્યાયથી કહેવા યોગ્ય ભાવને એકરૂપે ઇચ્છતા નથી. પરંતુ ભિન્ન રૂપે માને છે. જેમ કે સમભિરૂઢનયના મતે મંગળશબ્દથી વાચ્ય ભાવમંગળ જુદું છે. વિદન ઉપશમાવનાર આદિ જુદા જુદા પર્યાયથી વાચ્ય મંગળ તે પણ તેથી જુદું છે. એવંભૂતનયના મતે પણ એજ પ્રમાણે છે, માત્ર આ એવંભૂતનય પૂર્વના સમભિરૂઢથી વિશુદ્ધ હોવાથી, એકપર્યાયથી વાચ્ય એવા ભાવમંગળને પણ ભાવમંગળ રૂપ કાર્ય કરતું હોય, તો તેને ભાવમંગળ માને છે, તે સિવાય નહિ. એ રીતે ઋજાસૂત્ર અને શબ્દનયના મતની અપેક્ષાએ, સમભિરૂઢ અને એવંભૂત નામના નયો વિપરીત માન્યતાવાળા હોવાથી, ભાવમંગળઆદિ ભાવપદાર્થમાં પણ પર્યાય અને ક્રિયાના ભેદથી, તે તે વસ્તુમાં પણ અવશ્ય ભેદ માને છે. જો પર્યાય અને ક્રિયાનો ભેદ છતાં પણ વસ્તુનો ભેદ ન માનવામાં આવે, તો ઘટ પટ આદી વસ્તુનો પણ ભેદ ન માનવો જોઈએ. આથી આ બેઉ પર્યાય અને ક્રિયાના ભેદથી ભાવમંગળ પણ ભિન્ન માને છે. ૭૬-૭૭.
એ પ્રમાણે પ્રાસંગિક જે કહેવાનું હતું તે કહ્યું; હવે પ્રસ્તુત કહીએ છીએ. પૂર્વેનોઆગમથી ભાવમંગળ કહ્યું છે, તેમાં નોશબ્દને સર્વ નિષેધઅર્થમાં કહીને, વિશુદ્ધક્ષાયિકાદિ ભાવને નોઆગમથી ભાવમંગળ કહ્યું છે. પુનઃ નોશબ્દને મિશ્રવચનના અર્થમાં જણાવીને જ્ઞાન-દર્શન-ચારિત્રનું જે ઉપયોગ, તેને પણ નોઆગમથી ભાવમંગળ કહ્યું. તે પછી પુનઃ નોશબ્દને એકદેશ-અર્થમાં ગણીને, અહંન્તને નમસ્કાર કરવા વિગેરેનું જ્ઞાન અને ક્રિયા એ ઉભયથી મિશ્ર એવો જે પરિણામ, તેને નોઆગમથી ભાવમંગળ કહ્યું. હવે નોશબ્દને એક દેશવાચી અર્થમાં ગણીને પાંચ જ્ઞાનરૂપ નંદી નોઆગમથી ભાવમંગળ છે, એમ જણાવવાને આચાર્યશ્રી કહે છે કે -
मङ्गलमहवा नन्दी, चउबिहा मङ्गलं व सा नेया ।
ત્વે ત્રસમુદ્ર મામિ ય પંઘ નાગાડું છ૮ો. અથવા નોઆગમથી ભાવમંગળરૂપ નંદી છે. અને તે મંગળની પેઠે ચાર પ્રકારે છે. દ્રવ્યનંદીમાં વાજિંત્રોનો સમુદાય અને ભાવનંદીમાં પાંચ જ્ઞાનો જાણવાં. ૭૮.
અહિં નોઆગમથી ભાવમંગળની વાત ચાલે છે, એટલે “મંગલ' શબ્દથી ભાવમંગલ ગ્રહણ કરવાનું છે. તેમાં ત્રણ પ્રકાર જણાવી ગયા ચોથો પ્રકાર નંદી છે. જેથી ભવ્ય પ્રાણીઓ સમૃદ્ધિ પામે તે નંદી સામાન્યથી કહી છે, તો પણ વ્યાખ્યાનથી વિશેષ જ્ઞાન થાય છે, એ ન્યાયે અહીં પાંચજ્ઞાનરૂપ નંદી જાણવી. સામાન્ય રીતે વિચારતાં આ નંદી પણ મંગળની પેઠે નામાદિ ચાર પ્રકારે છે. જેમ કે “નંદી” એવું કોઈનું નામ કરીએ તે નામનંદી. અક્ષાદિમાં સ્થાપીએ તે સ્થાપનાનંદી. દ્રવ્યનંદી બે પ્રકારે છે. એક આગમથી અને બીજી નોઆગમથી. જે કોઈ નંદીપદાર્થને જાણનાર ઉપયોગ શૂન્ય હોય, તે આગમથી દ્રવ્યનંદી છે. નોઆગમથી જ્ઞશરીર-ભવ્ય શરીર નંદી જાણકારનું કલેવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org