________________
ભાષાંતર
જાસૂત્રનયે નિપાનો વિચાર
[૪૭
પૈઠે, ઋજુસૂત્રનયનો પણ દ્રવ્યાસ્તિકનયમાં અંતર્ભાવ થાય છે. એ સંબંધમાં અનુયોગદ્વાર સૂત્રની અંદર કહ્યું છે કે - ઋજુસૂત્રનયના મતે ઉપયોગશૂન્ય એવા ઘણા હોય, તો પણ, સંગ્રહનયની માફક ઋજુસૂત્રનયના મતે પણ એક જ આગમથી દ્રવ્યાવશ્યક છે અને ઋજાસૂત્ર ઘણા ઉપયોગ શૂન્ય વક્તાઓમાં પણ જુદાપણું ઈચ્છતો નથી. (પણ વર્તમાન કાલીન ગ્રહણ કરે છે.)
- એટલે કે અતીત-અનાગતનો ત્યાગ કરી, સરળપણે વર્તમાનકાળભાવી વસ્તુને ઋજુસૂત્રનય અંગીકાર કરે છે. કેમકે અતીત વસ્તુ નાશ પામેલી છે, અને અનાગત વસ્તુ અનુત્પન્ન છે. વર્તમાનકાળભાવી પણ સ્વકીયવસ્તુને જ તે માને છે, કારણ કે સ્વકીય વસ્તુ જ સ્વધનની જેમ કાર્ય સાધક છે, પરકીય વસ્તુ પારકાના ધનની જેમ કાર્ય સાધક નથી, તેથી પરકીય વસ્તુને તે નથી માનતો એટલે ઉપયોગ શૂન્ય એક અગર અનેક મનુષ્ય હોય તો પણ, તે એક જ દ્રવ્યાવશ્યક છે, એમ આ નયના મતે આગમથી એકજ દ્રવ્યઆવશ્યક છે. આ પ્રમાણે જાસૂત્ર દ્રવ્યાવશ્યકને માનનાર છે, એ રીતે સિદ્ધાન્તઅનુસારે ઋજાસૂત્રનું દ્રવ્યવાદીપણું કહ્યું, તેથી પર્યાયાસ્તિકમાં તેનો સમાવેશ ન થાય.
સંગ્રહ આદિનયો નામાદિ સર્વનિક્ષેપને એકપણે માને છે? કે ભેદથી માને છે? એવી શંકાના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે -
जं सामन्नग्गाही सगिण्हइ, तेण संगहो निययं । जेणविसेसग्गाही, ववहारो तो विसेसेइ ॥७६॥ सहज्जुसुया पज्जायवायगा भावसंगहं बेंति ।
उवरिमया विवरीआ, भावं भिदंति तो निययं ॥७७॥ સંગ્રહનય સામાન્યગ્રાહી છે, તેથી (ત્રણેને) એક રૂપે ગ્રહણ કરે છે; અને વ્યવહારનય વિશેષગ્રાહી છે, તેથી તેને વિશેષરૂપે-ભિન્નરૂપે ગ્રહણ કરે છે. શબ્દ અને ઋજુસૂત્ર પર્યાયવાદી હોવાથી ભાવનો સંગ્રહ કરીને કહે છે. તથા ઉપરના (બે) નો વિપરીત છે, તેથી ભાવનો પણ નિશ્ચય ભેદ કરે છે. ૭૬-૭૭,
સંગ્રહનય સામાન્યગ્રાહી સામાન્યવાદી હોવાથી, નામ-સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ, એ પ્રત્યેકને એક રૂપે ગ્રહણ કરે છે. એટલે કે જેટલાં નામમંગળ છે, તે સર્વ એક જ નામ મંગલ છે. બધાં સ્થાપના મંગળ પણ એક જ સ્થાપના મંગળ છે. સર્વ દ્રવ્યમંગળો એક જ દ્રવ્યમંગળ છે. વ્યવહારનય વિશેષગ્રાહી-વિશેષવાદી હોવાથી, નામાદિનિક્ષેપાઓને ભેદથી માને છે. એટલે તે સર્વ નામમંગળોને ભિન્ન ભિન્ન માને છે, એવી જ રીતે સ્થાપનામંગળ અને દ્રવ્યમંગળને પણ ભિન્ન ભિન્નપણે માને છે.
શબ્દ અને ઋજાસૂત્રનય પર્યાયવાદી હોવાથી, એક જ પદાર્થ ભિન્ન ભિન્નપર્યાયથી વાચ્ય કહેવા યોગ્ય હોય, તો પણ તે સર્વનો સંગ્રહ કરીને નામ-સ્થાપના અને દ્રવ્યનિક્ષેપનો ત્યાગ કરી કેવળ ભાવનિક્ષેપને જ પ્રતિપાદન કરે છે, એટલે કે બેઉ નયો પૂર્વના નયોથી વિશુદ્ધ હોવાથી નામ, સ્થાપના અને દ્રવ્યને ઈચ્છતા નથી, માત્ર ભાવને જ માને છે, પણ સમભિરૂઢ અને એવંભૂતનયની અપેક્ષાએ અવિશુદ્ધ હોવાથી, અનેકપર્યાયથી કહેવા યોગ્ય ભાવનિક્ષેપનો સંગ્રહ કરીને, એક રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org