________________
૧૭૬ ]
ઇન્દ્રિયોનું પ્રમાણ આત્માંગુલથી છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
ઉત્સધાંગુલે ગણતરી કરી હોય તો, અનેક હજાર યોજન પ્રમાણ થાય, અને તેથી આયુધશાળામાં અને અંધાવારમાં વગાડેલ ભેરી આદિનો શબ્દ સર્વને તારા અભિપ્રાય વડે તો સંભળાય નહિ; કેમ કે બાર યોજનથી આવેલો આ શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરે છે, તે કરતાં વધારે દૂરથી આવેલો શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. હવે જો એ શ્રોત્રેન્દ્રિયના વિષયવાળા બાર યોજન, તારા કહેવા મુજબ ઉત્સધાંગુલથી ગણીએ, તો હજારો યોજન દૂરથી આવેલા ભેરી આદિના શબ્દને તે બધા નગરવાળા તથા સ્કંધાવારવાળા શ્રવણેન્દ્રિયથી ગ્રહણ કરે નહિ, પણ ભારતની આખી નગરી અને છાવણીમાં એ શબ્દ સંભળાય છે, માટે ઈન્દ્રિયોના વિષયનું પ્રમાણ આત્માંગલથી જ સમજવું, પણ ઉત્સધાંગુલથી નહિ. ૩૪૨.
વળી કદંબપુષ્પાદિ આકારવાળી શ્રોત્રાદિ દ્રવ્ય ઇન્દ્રિયોનું પ્રમાણ. અંગુલના અસંખ્યતમા ભાગાદિનું છે, તેમાં એક સ્પર્શનેન્દ્રિયનું પ્રમાણ ઉત્સધાંગુલથી મપાય છે અને બાકીની ઈન્દ્રિયોનું પ્રમાણ આત્માંગુલથી મપાય છે. ત્રણ ગાઉ આદિના શરીરવાળા યુગલિકોની જીવાઈન્દ્રિયનું માન જો ઉત્સધાંગુલ વડે માનીએ, તો તેમને કલ્પવૃક્ષના રસ વિગેરેના જ્ઞાનના વ્યવહારમાં વિરોધ આવે, કેમ કે આગમમાં જીલ્ડા ઇન્દ્રિયનું પ્રમાણ બે થી નવ અંગુલનું કહ્યું છે, ત્રણ ગાઉ આદિ પ્રમાણવાળા જીવોને શરીરાનુસારે તેમના મુખ અને જીલ્ડા વિશાળ હોય છે, હવે જો ઉત્સધાંગુલ વડે તેમની જીલ્ડા ઇન્દ્રિય બે થી નવ અંગુલ પ્રમાણ માનીએ, તો એવા વિશાળ મુખમાં એવી ક્ષુલ્લક આકારવાળી અતિ હાની જીદ્ધ. પુરી પડે નહિ, અને તેથી તે વડે રસાનુભવરૂપ વ્યવહાર થાય નહિ. માટે આત્માગુલ વડે જીલ્ડા ઇન્દ્રિયનું પ્રમાણ માનવું તે યોગ્ય છે. આ પ્રમાણે શરીરની બધી ઇન્દ્રિયો ઉત્સધાંગુલથી નથી મપાતી, તો પછી ઈન્દ્રિયોના વિષયનું પરિણામ તો ઉત્સધાંગુલથી ક્યાંથી જ મપાય ? ૩૪૩,
ઇન્દ્રિયનું અને ઈન્દ્રિયના વિષયનું પરિમાણ એકાન્ત ઉત્સધાંગુલ વડે માનવામાં ઉપર મુજબ દોષો બતાવ્યા છે, તેથી તે બે સિવાય કેવળ શરીરનું પ્રમાણ જ ઉત્સધાંગુલ વડે હોવું જોઈએ; અન્યથા યુગલધર્મી જનોને રસવેદન વ્યવહારનો તથા ચક્રવર્તિ ભરતની નગરી આદિમાં શબ્દ શ્રવણના વ્યવહારનો અભાવ થાય, એટલે કે તેઓને રસનું અને શબ્દનું જ્ઞાન થાય નહિ. એ વાત હમણાં જ ઉપર કહી ગયા છીએ. વળી ઇન્દ્રિય અને તેના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી તું કહે છે, તે કેવળ તારી મતિકલ્પનાથી જ કહે છે. સૂત્રમાં એવું સાક્ષાત્ કોઈપણ સ્થળે નથી કહ્યું. તેમાં તો કેવળ ઉત્સધાંગુલથી શરીર જ માપવાનું કહ્યું છે. જેમ કે - “
રૂur ૩રરોમુત્રપ્રમાણેof નેસ-તિરિવનો િમજુરા-રેવા સરીરોગણિUT૩ મિન્નતિ” એ ઉત્સધાંગુલ પ્રમાણ વડે નારકી-તિર્યંચમનુષ્ય અને દેવોનાં શરીરની ઊંચાઈ મપાય છે. આ પ્રમાણે સૂત્રમાં તો માત્ર શરીરની અવગાહના જ ઉત્સધાંગુલથી માપવાની કહી છે, પણ ઈન્દ્રિય કે તેના વિષયનું પરિમાણ ઉત્સધાંગુલથી માપવાનું નથી કહ્યું. ૩૪૧-૩૪૪. હવે પૂર્વાપર વિરોધ દૂર કરીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયનું પ્રમાણ બતાવે છે.
लक्नेहिं एक्कविसाए, साइरेगेहिं पुखरद्धम्मि । उदए पेच्छंति नरा, सूरं उक्कोसए दिवसे ॥३४५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org