________________
ભાષાંતર]
અનારક્રુત ને સંશ્રિત
[૨૪૧
रूढीए तं सुयं सुब्बइ त्ति चेट्ठा न सुब्बइ कयाइ ।
अहिगमया वण्णा इव, जमणुस्सारादओ तेणं ॥५०३।। - ઉચ્છવાસાદિ દ્રવ્યશ્રત માત્ર છે, અથવા શ્રુતપયુક્તનો સર્વ વ્યાપાર (ચેષ્ટા) અહીં શ્રત માનેલ છે. તો (ગમનાદિ) ચેષ્ટા પણ શ્રુત કેમ નહિ? સંભળાય તે શ્રત એ ન્યાયે ઉચ્છવાસાદિજ શ્રુતપણે પ્રસિદ્ધ છે, (ગમનાદિ) ચેષ્ટા કદિ પણ સંભળાતી નથી તેથી તે શ્રુત નથી. વળી અક્ષરોની પેઠે અનુસ્વારાદિ અર્થ જણાવનારા છે, તેથી તે શ્રત છે. ૫૦૦-૫૦૩.
ઉપરોક્ત ઉચ્છવાસાદિ અનક્ષરધૃત, શબ્દમાત્ર હોવાથી દ્રવ્યશ્રુત છે. કેમકે શબ્દ તે ભાવકૃતનું કારણ છે, અને કારણ તે દ્રવ્ય જ છે. તથાવિધ ઉચ્છવાસ-નિઃશ્વાસ સાંભળવાથી “આ વ્યક્તિ શોકયુક્ત છે” એવું જ્ઞાન થાય છે. એ જ પ્રમાણે વિશિષ્ટ સંકેતપૂર્વક થુંકવું, બગાસું ખાવું, ખુંખારો કરવો વિગેરે સાંભળવાથી પોતાનું અથવા પરનું જ્ઞાન વ્યક્તિને થાય છે. માટે એ ઉચ્છવાસાદિ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. અથવા શ્રુતજ્ઞાનના ઉપયોગવાળી વ્યક્તિનો ઉચ્છવાસાદિ સર્વ વ્યાપાર શ્રુત જ છે.
પ્રશ્ન :- જો એ પ્રમાણે શ્રતોપયોગવાળાનો સર્વવ્યાપાર શ્રુત જ કહેવાય, તો પછી તેમનો ગમન-આગમન-ચલનઆદિ ચેષ્ટારૂપ વ્યાપાર પણ શ્રુત કેમ ન કહેવાય ?
ઉત્તર :- ઉપરોક્તન્યાયે એ બન્નેમાં શ્રતપણાની પ્રાપ્તિ સમાન છતાં પણ ઉચ્છવાસાદિનેજ શ્રુત કહેવાય છે. મસ્તક ધુણાવવું-હાથ ચલાવવો વિગેરે ચેષ્ટાને શ્રુત નથી કહેવાતું, કેમકે શાસ્ત્રજ્ઞા લોકમાં એ જ પ્રસિદ્ધ છે, વળી “સંભળાય તે શ્રુત” એ ન્યાયથી ઉચ્છવાસાદિ સંભળાય છે, માટે તે શ્રુત છે. પણ હસ્તાદિની ચેષ્ટા દશ્ય હોવાથી કદિ સંભળાતી નથી, તેથી તે શ્રત નથી. અને અનુસ્વારાદિ તો અકારાદિ અક્ષરોની પેઠે અર્થ જણાવનારા છે, તેથી તે તો નિર્વિવાદ શ્રત છે. ૫૦૨-૫0૩. અનક્ષરશ્રત પૂર્ણ થયું; હવે સંજ્ઞિકૃતનું સ્વરૂપ કહે છે
सण्णिस्स सुयं जं तं, सण्णिसुयं सो य जस्स सा सण्णा ।
होइ तिहा क्रालिय-हेउ-दिट्ठिवाओवएसेणं ॥५०४॥ સંજ્ઞિનું જે શ્રુત તે સંશ્રિત, જેને સંજ્ઞા હોય તેને સંજ્ઞી કહેવાય, સંજ્ઞા દીર્ઘકાલિકીહેતુવાદોપદેશિકી-અને દૃષ્ટિવાદોપદેશિકી. એમ ત્રણ પ્રકારે છે. ૫૦૪. અહીં શિષ્ય પૂછે છે કે
जइ सण्णासंबंधेण सणिणो, तेण सण्णिणो सब्वे ।
एगिदियादयाणवि, जं सण्णा दसविहा भणिया ॥५०५॥ જો સંજ્ઞાના સંબંધથી સંજ્ઞી હોય, તો સર્વજીવો સંજ્ઞી કહેવાય, કેમકે એકેંદ્રિયાદિને પણ દશ પ્રકારની સંજ્ઞા કહી છે. ૫૦૫.
જેને સંજ્ઞા હોય તે સંજ્ઞી. એ પ્રમાણે સંજ્ઞાના સંબંધથી જો સંજ્ઞી કહેવાય, તો તે સંજ્ઞાના સંબંધથી સર્વ એઢિયાદિ જીવો પણ સંજ્ઞી કહેવાય. કોઇપણ છદ્મસ્થ અસંજ્ઞી ન કહેવાય; એ પ્રમાણે અતિવ્યાપિનો પ્રસંગ આવે, કારણકે સર્વ એકેંદ્રિય જીવોને પ્રજ્ઞાપનાદિસૂત્રોમાં દસ પ્રકારની
૩૧ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org