________________
ભાષાંતર
થીણદ્વી નિદ્રાનાં દષ્ટાંતો
[૧૨૭
પણ બીજા સાધુઓએ તે લાવેલું માંસ ઉપાશ્રય ઉપર જોયું અને આચાર્યશ્રીને કહ્યું, તેથી સર્વને ખાત્રી થઈ કે આને થીણી નિદ્રાનો ઉદય છે, માટે તે ચારિત્રને યોગ્ય નથી એવો નિશ્ચય થયો. એટલે શ્રીસંઘે તેનો મુનિવેશ લઈ, રજા આપી. આ થીણદ્ધી નિદ્રા સમયે માંસ ખાનારનું ઉદાહરણ છે. ૧. ૨-મોદક ખાનારનું ઉદાહરણ.
કોઈ એક સાધુએ ભિક્ષાટન કરતાં, ગામમાં કોઈક ગૃહની અંદર થાળમાં ગોઠવેલા, સુરભિસ્નિગ્ધ અને મનોજ્ઞ એવા મોદક જોયા. તે સ્થળે ઉભા રહીને, ઘણીવાર સુધી લુબ્ધભાવે તે જોયા, પણ કોઈએ તેમાંથી કંઈ આપ્યું નહિ. છેવટે નિરાશ થઈ ત્યાંથી ઉપાશ્રયે ગયો અને તેજ લાડુની તીવ્ર અભિલાષા સાથે તે સાધુ રાત્રે સુઈ ગયો. સુતા પછી થીણદ્ધી નિદ્રાનો ઉદય થયો, તેના પ્રતાપથી લાડવાવાળા ગૃહ આગળ જઈ, ઘરના કમાડ તોડીને ઈચ્છા મુજબ લાડુ ખાધા અને ખાતાં વધ્યા, તે પાત્રામાં નાખી ઉપાશ્રયમાં લાવીને પાનું સ્થાનકે મુકીને સુઈ ગયો. સવારે ગુરૂ પાસે જઈ કહ્યું, કે મને આ પ્રમાણે સ્વમ આવ્યું. પણ બીજા સાધુ પડીલેહણા કરતી વખતે, એ પાત્રા પડીલેહતાં તે મોદક જોયા. આથી થીસદ્ધી નિદ્રાનો ઉદય છે, એમ જાણ્યું. તેથી તેનો મુનિવેશ લઈને શ્રીસંઘે રજા આપી. ૨. ૩-દાંતનું ઉદાહરણ.
કોઈક સાધુને એક દિવસે કોઈ હસ્તિએ બહુ હેરાન કર્યો, તેથી મહામુસીબતે ત્યાંથી ભાગીને ઉપાશ્રયમાં આવ્યો. પછી તે હસ્તિ ઉપર અવિચ્છિન્ન કોપ યુક્ત રાત્રિએ સુઈગયો. સુતા પછી થીદ્ધી નિદ્રાનો ઉદય થયો, થીસદ્ધી નિદ્રાના ઉદય વખતે વજઋષભનારા સંઘયણવાળાને વાસુદેવના અર્ધબળ જેટલું બળ પ્રાપ્ત થાય છે. તેથી નગરના કમાડ ભાંગી, શહેરમાં જઈ, તે હાથીને મારી, તેના બે દાંત ખેંચી કાઢીને, પાછા આવી, ઉપાશ્રયના બારણામાં તે દાંત મૂકીને સૂઈ ગયો. સવારે જાગીને ગુરૂ પાસે જઈ કહ્યું કે મને આવું સ્વપ્ર આવ્યું. પણ ગુરૂએ બારણામાં દાંત જોવાથી જાયું કે આને થરાદ્ધી નિદ્રાનો ઉદય છે. તેથી સંઘે તેનો સાધુવેશ લઈને રજા આપી. ૩. ૪-કુંભારનું દાન્ત. - કોઈ કુંભારે મોટા ગચ્છમાં દીક્ષા લીધી. તે પછી તેને એક દિવસે રાત્રિએ સૂતા પછી થીણદ્ધી નિદ્રાનો ઉદય થયો, તેથી તેણે પૂર્વના અભ્યાસથી, માટીનો પીંડ તોડતો હોય, તેમ સાધુઓનાં મસ્તકો તોડીને, એક બાજુએ એકાંતમાં ધડ અને મસ્તકનો ઢગલો કર્યો. તે વખતે જે બીજા સાધુઓ ખસી ગયા તેઓ બચ્યા, સવારે તેની સર્વ ચેષ્ટા બધાએ જાણી. આથી શ્રીસંઘે તેનો વેશ લઈને રજા આપી. ૪. પ-વડની શાખા ભાંગવાનું દષ્ટાંત.
કોઈક સાધુ ગામમાંથી ગોચરી લઈને પાછા ફર્યા. પાછા ફરતાં ગરમીના લીધે થાકી ગયા. ભૂખ્યા તરસ્યા છાયાને ઈચ્છતા સાધુ માર્ગમાં આવેલા એક વડ વૃક્ષ નીચે આવ્યા. તે વડની એક ડાળી અતિશય નીચી હોવાથી, તે સાધુના મસ્તકે વાગી. આથી તે અતિશય પરિતાપ પામ્યા. ત્યાંથી ઉપાશ્રયે આવ્યા અને વડ ઉપર ક્રોધ સહિત જ રાત્રિએ સુતા. પછી થીણદ્વીનો ઉદય થયો એટલે રાત્રિમાં જ ત્યાં જઈ, વડની શાખા ભાંગી નાંખી, ઉપાશ્રયના બારણા આગળ લાવીને નાંખી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org