________________
૧૨૬ ]
થીણદ્વી નિદ્રાનાં દૃષ્ટાંતો
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
પ્રશ્ન :- થીણદ્ધી નિદ્રાના ઉદયમાં વર્તનાર, હસ્તિના દત્તને ખેંચી કાઢવા પ્રવર્તેલ મનુષ્યને સ્વપ્રમાં મનની પ્રાપ્યકારિતા થાય છે, તેથી તપૂર્વક મનનો વ્યંજનાવગ્રહ પણ તેને થાય છે. જેમ કોઇ પ્રાણિ થીણદ્ધી નિદ્રાના ઉદયમાં “હાથીદાંત ખેચી કાઢવા રૂપ સ્વમ હું જોઉં છું.” એ પ્રમાણે સ્વમ માનીને મનોવિકલ્પ પૂર્વક દાંત ખેંચી કાઢવા રૂપ ક્રિયા તે મનુષ્ય કરે છે. તેથી મનની પ્રાપ્યકારિતા પૂર્વક મનનો વ્યંજનાવગ્રહ પણ થાય છે જ.
ઉત્તર - થાણદ્ધી નિદ્રાના ઉદયવંત જીવને દાંત ખેંચી કાઢવા, માંસ ભક્ષણ કરવું ઇત્યાદિ ગાઢનિદ્રાના ઉદયથી પરવશ હોવાથી થાય છે, તેથી સ્વપ્ર જેવું માનતા તેને સ્વઅવસ્થામાં વ્યંજનાવગ્રહ થાય, એનો અમે નિષેધ નથી કરતા, પરન્તુ ઉપર કહેલી યુક્તિથી સ્વપ્રઅવસ્થામાં વિષય પ્રાપ્તિનો અભાવ છે, તેથી વ્યંજનાવગ્રહ મનનો નથી થતો, એમાં તો પ્રાપ્યકારી શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ થાય છે. ઉદાહરણ તરીકે કોઇ થીણદ્ધી નિદ્રાવાળાને રંગભૂમિ આદિમાં સંગીતઆદિ શ્રવણ કરતાં, શ્રોત્રેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય, કપૂરઆદિ સુંઘતાં ધ્રાણેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય, માંસમોદકઆદિ ખાતાં રસનેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય, અને યુવતી આદિના સ્પર્શથી સ્પર્શેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ થાય. પરન્તુ ચક્ષ, અને મનનો વ્યંજનાવગ્રહ ન થાય, કારણ કે ચઢ્યું અને મનને અગ્નિ-છુરી આદિ વિષયની પ્રાપ્તિ નથી થતી; જો તેમને તે વિષયની પ્રાપ્તિ થતી હોય તો બળવું-છેદાવું વિગેરે થવું જોઇએ. પરંતુ તેમ નથી થતું. તેથી વિષય પ્રાપ્તિ સિવાય વ્યંજનાવગ્રહ પણ નથી થતો. ૨૩૪.
પ્રશ્ન :- થીણદ્ધી નિદ્રાના ઉદય વખતે સ્વપ્ર જેવું માનનાર મનુષ્ય શું કંઈ સત્ય ક્રિયા કરે છે, કે જેથી આપ તેને તે વખતે વ્યંજનાવગ્રહ કહો છો ?
ઉત્તર :- હા, તે વખતે તે સત્યક્રિયા-ચેષ્ટા કરે છે. એ સંબંધમાં માંસ ભક્ષક-મોદક ખાનારદાન્ત ખેંચનાર-કુંભાર અને વડની શાખા ભાંગનાર થીણદ્ધી નિદ્રાવાળાના ઉદાહરણો શાસ્ત્રમાં કહ્યાં છે, તે આ પ્રમાણે છે. ૧. માંસ ખાનારનું ઉદાહરણ' કોઇ ગામમાં એક કણબી રહેતો હતો, તે માંસ ખાવામાં અતિ લુબ્ધ હતો. કાચું-પાકું ગમે તેવું માંસ હોય, તો પણ તે ખાઈ જતો. એક વખત કોઈ ગુણવાન સ્થવિરોએ તેને બોધ પમાડીને દીક્ષા આપી. દીક્ષા પામેલો તે કણબી પણ, સ્થવિરોની સાથે એક ગામથી બીજે ગામ, એમ ભિન્ન ભિન્ન સ્થળે વિહાર કરતો હતો. એમ વિહાર કરતાં કોઈક સ્થળે તેણે માંસલુબ્ધ પુરૂષોને એક પાડો ચીરતા જોયા. તે જોઇને તેને પણ તે વખતે પૂર્વ સંસ્કારથી માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ. એ તીવ્ર ઇચ્છા એને આહાર કરતાં ચંડીલભૂમિએ જતાં, અને છેલ્લી સૂત્ર પોરિસી, પ્રતિક્રમણ ક્રિયા, અને રાત્રીની પોરસી ભણાવતાં સુધીમાં પણ શાન્ત ન થઈ. આખરે એ ઇચ્છાપૂર્વક જ તે સુઈ ગયો. સુતા પછી થીણદ્ધી નિદ્રાનો ઉદય થયો. તેના પ્રભાવે સંથારામાંથી ઊઠીને ગામ બહાર પાડાઓના ટોળામાં ગયો. ત્યાં જઈ એક પાડાને મારી નાંખી તેનું માસ ખાવા લાગ્યો. ખાતા વધ્યું તે લઈ આવી, ઉપાશ્રયના ઉપર નાંખીને પુનઃ સુઈ ગયો. સવારમાં ઊઠીને “મેં આવું સ્વપ્ર જોયુ” અને આચાર્યશ્રીને કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org