________________
૫૨૯]
યોગ્ય અયોગ્ય શિષ્ય વિષયક દષ્ટાંતો. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
અરણ્યમાં (પર્વત નજીક પ્રદેશમાં એક મુશલ (મગ જેવડો કાળો પત્થર) અભિમાનથી ગર્જના કરવા લાગ્યો. કે મને કોઇપણ ભિજાવી શકે તેમ નથી. તે સાંભળીને સંવર્તકમેધ તેના પર સાત રાત્રિ-દિવસ વર્ગોપછી હવે તે ભીંજાયો હશે એમ માનીને મેઘ વર્ષ તો બંધ રહ્યો એટલે પત્થર બોલ્યો કે “જો હું ભીંજાયો નથી.' એ પ્રમાણે પત્થર જેવા શિષ્યને શ્રુત ગ્રહણ કરાવીશ એમ માનીને ગુરૂ પ્રયાસ કરે, પણ પછી નિર્વેદ પામે. કારણ કે એવાને સૂત્રાર્થ આપતાં તે ન પામે તેથી નિંદા થાય અને પોતાને તથા બીજા સુજ્ઞશિષ્યોને સૂત્રાર્થનો નાશ થાય, એ સિવાય બીજી પણ સૂત્રાર્થાદિ નિન્દાથી હાનિ થાય છે, કેમકે હાથથી બહુવાર આંચળને સ્પર્શ કર્યા છતાં પણ વંધ્યા ગાય દૂધ આપતી નથી. અને દ્રોણપ્રમાણ મેઘ વર્ષે તો પણ કૃષ્ણભૂમિ ઉપરથી જરા પણ પાણી ચાલ્યું જતું નથી, તેમ ગ્રહણ અને ધારણ કરવામાં સમર્થ એવા શિષ્યને આપતાં સૂત્રાર્થ નાશ ન પામે, માટે તેને આપવું. ૧૪૫૫-૧૪૫૮.
મુદ્દગશૈલનુંજ દૃષ્ટાંત વિશેષ કહે છે :
કોઇ અરણ્યમાં પર્વતની આજુબાજુની ભૂમિમાં ગોળ સુંવાળો કાંઈક ભૂમિમાં દબાયેલો અને ચકચકિત મગના જેવડો નાનો શ્યામ પત્થર હતો. તે એક વખત ગર્વપૂર્વક બોલવા લાગ્યો, કે ગમે તેવા જળપ્રવાહથી મને ભીંજાવી શકે અથવા ભેદી શકે એવો કોઈ મેઘ આ વિશ્વમાં નથી. તેનું આ અભિમાનયુક્ત ભાષણ સંવર્તક નામના મહામેળે સાંભળ્યું. ( આ મેઘ ઉત્સર્પિણી કાળના બીજા આરાના પ્રારંભમાં પૂર્વદગ્ધ ભૂમિને શાંત કરવાને વર્ષે છે, તેનું જળ ભૂમિને અતિશય રસાળ અને વાસિત બનાવે છે.) આથી તેણે વિચાર્યું કે “આ પાષાણનો ગર્વ હું દૂર કરું.’ એમ નિશ્ચય કરીને તે પત્થર ઉપર સાત અહોરાત્ર પર્યંત મુશળધાર પ્રમાણે તે વર્ષો, એ પ્રમાણે મહાવૃષ્ટિ કરવાથી તેણે માન્યું કે હવે તો એ પત્થરના ટુકડેટુકડા થઈ ગયા હશે. તેથી વૃષ્ટિ બંધ કરીને તે શાન્ત થયો. વૃષ્ટિ બંધ થઈ અને સર્વ પાણી દૂર થયું, એટલે તે પત્થર તો વધારે ઉજ્જવળ થઈ પ્રકાશમાન થયો થકો પુનઃ ગર્જના કરીને કહેવા લાગ્યો કે “અરે પુષ્પરાવર્તક ! (સંવર્તક મેઘનું બીજાં નામ છે.) હું ભીંજાયો છું અથવા ભેદાયો છું કે નહિ ? તે તું બરાબર જો, આટલી જ વૃષ્ટિ કરીને શાન્ત કેમ થઈ ગયો ? એટલે વૃષ્ટિથી તો તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો અંશ પણ મારો ભેદાયો નથી, તેમ અંદર આર્ટ પણ થયો નથી.' એ પત્થરની એવી ઉક્તિ સાંભળીને વિલખો થયેલો મેઘ લજજા પામીને પોતાને સ્થાને ગયો.
આ રીતે જેમ અતિવૃષ્ટિથી પણ શ્યામ પત્થર ભિંજાયો નહિ કે ભેદાયો નહિ, તેમ અનેક વચનયુક્તિની પરંપરાથી પણ જેનું ચિત્ત આÁ થાય નહિ અથવા ભિજાય નહિ, અર્થાત્ ગુરૂએ કહેલા સૂત્રાર્થરૂપ ઉપદેશમાંથી એક અક્ષર પણ જેના અન્તઃકરણમાં પરિણામ ન પામે. તેવા શ્યામ પત્થર સમાન શિષ્યને આગ્રહથી કોઈ એમ કહે કે “હું આને સૂત્રાર્થ ગ્રહણ કરાવીશ.” એવી પ્રતિજ્ઞાથી મોટા આડંબરથી તેને શીખવવાનો આરંભ કરે, પરંતુ પત્થર જેવો એ શિષ્ય એક અક્ષર પણ ગ્રહણ ન કરે, અને પોતાના આગ્રહથી જરાપણ બોધ ન પામે. આથી પુષ્પરાવર્તમાની પેઠે ઘણો કાળ કલેશ અનુભવીને અધ્યાપક ગુરૂ ખેદ પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org