________________
૩૩૪]
વાસુદેવ આદિનાં બળનું વર્ણન.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
વાસુદેવ આદિના બળનું વર્ણન કરવા નિર્યુક્તિકાર કહે છે. (७१) सोलस रायसहस्सा, सव्वबलेणं तु संकलनिबद्धं ।
___ अंछंति वासुदेवं, अगडतडम्मि ठियं संतं ॥७९४।। (૨) શેતૂ સંવતં સો, વાહિત્યે શંખમાળા !
भुंजिज्ज विलिंपिज्ज व, महुमहणं ते न चाएंति ॥७९५॥ (૩) રો સોના વીસા, સવજોr તુ સંવર્નાનિવ .
अंछंति चक्कवट्टि, अगडतडम्मि ठियं संतं ॥७९६॥ (७४) घेतूण संकलं सो, वामगहत्थेण अंछमाणाणं ।
__ @जिज्ज विलिंपिज्ज व, चक्कहरं ते न चाएंति ॥७९७॥ (७५) जं केसवस्स उ वलं, तं दुगुणं होइ चक्कवट्टिस्स ।
तत्तो बला बलवगा अपरिमियबला जिणवरिंदा ॥७९८।। વીર્યંતરાયના ક્ષયોપશમથી વાસુદેવાદિકનું બળ અધિક દેખાય છે, તે આ પ્રમાણે; સોળ હજાર રાજાઓ હસ્તિ-અશ્વ આદિ સર્વબળવડે સાંકળથી બાંધેલા અને કુવાના કાંઠા ઉપર રહેલા વાસુદેવને ખેચે, તોપણ ન ખેંચાય અને એ વાસુદેવ ડાબા હાથે સાંકળ ગ્રહણ કરીને બધાથી યુક્ત ખેંચાતા (જમણા હાથે) ભોજન ને વિલેપન કરે, તો પણ તે રાજાઓ તેને (વાસુદેવને) જરાપણ ખેંચી શકે નહિ. બત્રીસ હજાર રાજાઓ સર્વ બળવડે સાંકળથી બાંધેલાને કુવાના કાંઠા ઉપર રહેલા ચક્રવર્તિને ખેંચે, અને તે ચક્રવર્તિ ડાબા હાથે સાંકળ ગ્રહણ કરીને ખેચાતા (જમણા હાથે) ભોજન અને વિલેપન કરે, પણ તે રાજાઓ ચડીને ખેંચી શકે નહિ. વાસુદેવનું જેટલું બળ હોય, તેથી ચક્રવર્તિનું બળ બમણું હોય, શેષસામાન્ય લોકના બળથી બળદેવો વધારે બળવાન હોય, અને જિનેશ્વરો અપરિમિત બળવાળા હોય. ૭૯૪ થી ૭૯૮. ભાવાર્થ ઉપર પ્રમાણે પણ વધારામાં “સમસ્ત વીઆંતરાયના ક્ષયથી અપરિમિત બળવાળા જિનેશ્વરો હોય છે.” ઉપરોક્ત ઋદ્ધિઓ સિવાય બીજી પણ ક્ષીરાઢવાદિ લબ્ધિઓ છે, તે ભાષ્યકાર મહારાજ કહે છે.
खीर-महु-सप्पिसाओवमा उ वयणा तयासवा होति । कोट्ठयधन्नसुनिग्गलसुत्तत्था कोट्ठबुद्धीया ।।७९९॥ जो सुत्तपएण बहुं, सुयमणुधावइ पयाणुसारी सो ।
जो अत्थपएणत्थं, अणुसरइ स बीयबुद्धी उ ॥८००।। “ચક્રવર્તિની લાખ ગાયોનું દૂધ પચાસ હજાર ગાયોને પાય એમ અર્ધ અર્ધના અનુક્રમ વડે કરીને છેવટે એક ગાયનું જે દૂધ નીકળે તે દૂધ, શર્કરાદિ અત્યંત મધુર દ્રવ્યથી પણ અતિશય મીઠાશવાળું મધ, એ પ્રકારે ઘી પણ લેવું, તેના સ્વાદ જેવાં જેનાં વચનો હોય, તે (તીર્થંકર-ગણધરાદિ) ક્ષીરાશ્રવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org