SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩] શ્રત અને કેવલના પર્યાયોનો વિચાર. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ કેવળજ્ઞાન મોટું હોવાથી ત્યાં અક્ષર શબ્દથી કેવળજ્ઞાન કહ્યું હોય એમ જણાય છે, અને અહીં શ્રુતજ્ઞાનનો અધિકાર હોવાથી શ્રુતાક્ષર એટલે અકારાદિ અક્ષર જ કહેવા યોગ્ય છે, તે અકારાદિ શ્રુતાક્ષર કેવળજ્ઞાન પર્યાય પ્રમાણ કેમ હોઈ શકે? અર્થાત કેવળજ્ઞાન સર્વ-દ્રવ્ય-પર્યાયોને જણાવનાર હોવાથી તેનું પ્રમાણ ભલે સર્વદ્રવ્ય-પર્યાયના રાશિ પ્રમાણ હોય, પરંતુ શ્રુતજ્ઞાન તો તેના કરતાં અનંતમા ભાગનો વિષય ગ્રહણ કરાવનાર હોવાથી, કેવળજ્ઞાનના પર્યાય પ્રમાણ શ્રુતાક્ષરનું પ્રમાણ કેમ હોઈ શકે ? ઉત્તર :- જેમ અહીં શ્રુતનો અધિકાર છે, તેમ ત્યાં નંદીસૂત્રમાં પણ શ્રુતનો અધિકાર હોવાથી તે સ્થળે અકારાદિ અક્ષર જ કહેલ છે પણ કેવલજ્ઞાનાક્ષર નથી કહ્યું. પ્રશ્ન :- પરંતુ ત્યાં કહ્યું છે કે “સર્વ જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ સદા ઉઘાડો છે” આ ઉપરથી ત્યાં કેવળાક્ષર કહ્યું હોય એમ જણાય છે, પણ શ્રતાક્ષર કહ્યું હોય એમ જણાતું નથી; કારણ કે સંપૂર્ણ દ્વાદશાંગી જાણનારાઓને સંપુર્ણ શ્રતાક્ષર હોય છે. તેથી “સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે.” એવો અર્થ ત્યાં ઘટતો નથી. ઉત્તર :- એ પ્રમાણે તો કેવળાક્ષર પણ ત્યાં ઘટતું નથી, કારણ કે કેવળી ભગવંતોને સંપૂર્ણ કેવળાક્ષર છે. તેથી “સર્વ જીવોને અક્ષરનો અનંતમાં ભાગ નિત્ય ઉઘાડ છે.” એવો અર્થ ત્યાં પણ નથી ઘટતો. જો કદિ તું એમ કહીશ કે ત્યાં સામાન્યથી સર્વ જીવો કહ્યા છે. છતાં પણ અપિશબ્દથી કેવળી સિવાયના બીજા સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડ છે” એમ લેવું ને તેથી કેવળાક્ષર માનવામાં કંઈ વિરોધ નથી. જો એ પ્રમાણે કહેતો હોય તો કૃતાક્ષર માનવામાં પણ એ ન્યાય સમાન જ છે; કારણ કે જેમ ત્યાં સામાન્યથી સર્વ જીવો કહ્યા છે, છતાં અપિશબ્દથી કેવળી સિવાયના સર્વ જીવો કહ્યા છે, તેમ અહીં પણ સમસ્ત દ્વાદશાંગી જાણનાર સિવાયમાં સર્વ જીવોને અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો છે, એમ કહી શકાય, માટે ખરી રીતે તો ત્યાં અને અહીં અકારાદિ કૃતાક્ષર જ કહેલ છે પણ કેવળાક્ષર નથી કહ્યું. ૪૯૨. અથવા અહીં કૃતાક્ષર અને ત્યાં કેવળાક્ષર માનીએ, તો પણ શ્રુતાક્ષરના પર્યાય, કેવળજ્ઞાનના પર્યાયની સમાન કહેવામાં કંઈ વિરોધ નથી. કારણ કે – सयपज्जाएहि उ केवलेण, तुल्लं न होज्ज न परेहिं । स-परपज्जाएहि तु, तुल्लं तं केवलेणेव ॥४९३॥ શ્રુતાક્ષર સ્વપર્યાયવડે કેવળજ્ઞાનની સમાન નથી, તેમ પરપર્યાયવડે પણ નથી, પરંતુ સ્વ અને પર ઉભય પર્યાયવડે કૃતાક્ષર કેવળજ્ઞાનની સમાન છે. ૪૯૩. : અકાર, ઈકાર, ઉકાર વિગેરે અક્ષરોના અનુગત પર્યાયો શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો છે, એ સ્વપર્યાયો વડે શ્રુતાક્ષર, કેવળાક્ષરની સમાન નથી; કારણ કે સર્વપર્યાયના અનંતમા ભાગે, શ્રુતજ્ઞાનના સ્વપર્યાયો છે, અને કેવળજ્ઞાન સર્વદ્રવ્ય-પર્યાયનો વિષય કરનાર હોવાથી, સર્વદ્રવ્ય પર્યાયના રાશિ પ્રમાણ છે. જેમકે જગતમાં સમસ્તદ્રવ્યના પર્યાયનો સમૂહ અનંતાનંત પ્રમાણ છે, તો પણ અસત્કલ્પનાથી એ સમૂહનું પ્રમાણ એક લાખ છે, એમ માનીએ. એ લાખમાંથી શ્રુતજ્ઞાનના સ્વપર્યાય સો છે, અને પરપર્યાય નવ્વાણુ હજાર ને નવસો છે. આ પ્રમાણે ઉપલબ્ધિવિશેષરૂપ જે એક લાખ પર્યાયો, તે કેવળજ્ઞાનના સ્વપર્યાય છે, કેમ કે તે સર્વદ્રવ્ય-પર્યાયને જાણનાર છે; અને શ્રુતના સો જ પર્યાયો સ્વપર્યાય છે. તેથી શ્રતાક્ષર કેવળાક્ષરના સ્વપર્યાયની તુલ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy