SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૨] યોગ્ય અયોગ્ય શિષ્યનાં ગુણદોષ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ.૧ જળાશયમાં પડેલો જંગલી પાડો, જેમ પોતે ડોળેલું પાણી પોતે પીતો નથી અને બીજા ટોળાને પીવા દેતો નથી; તેમ કુશિષ્ય પણ કલહ તથા વિકથાદિવડે તથા વખતવગરની અયોગ્ય પૃચ્છાથી વ્યાખ્યાન ડોળી નાખે છે, અને તેથી તેમાંનું પોતે કંઈ ગ્રહણ કરતો નથી અને બીજાઓને પણ ગ્રહણ કરવા દેતો નથી. ૧૪૬૮. જેમ કોઈ જંગલી પાડો પોતાના ટોળા સાથે કોઈ જળાશયમાં પેશીને તેમાંનું પાણી આમ તેમ ઉછાળીને ડોળું કરી નાખે છે, તેથી એ મલિન થયેલું પાણી એ પાડો પોતે પીતો નથી અને બીજા ટોળાંને પણ પીવા દેતો નથી; તેવી જ રીતે કુપાત્ર શિષ્ય પણ વ્યાખ્યાન મંડળીમાં આવીને ગુરૂ સાથે અથવા બીજા કોઈ શિષ્ય સાથે કલહ કરે, વિકથા કરે, અસંબદ્ધ અયોગ્ય પ્રશ્ન આદિથી વ્યાખ્યાન ડોળી નાંખે, એટલે એ વ્યાખ્યાનમાંથી પોતે કંઈ ગ્રહણ કરે નહિ અને બીજા શિષ્યોને પણ ગ્રહણ કરવા દે નહિ. ૧૪૬૮. હવે તે પાડાથી ઉલટું ઘેટાનું ઉદાહરણ કહે છે. अवि गोपयम्मिवि पिबे, सुढिओ तणुयत्तणेण तुंडस्स । न करेइ कलुसतोयं, मेसो एवं सुसीसोऽवि ॥१४६९।। અંગ સંકોચીને આગલા બંને પગે નમીને તેનું નાનું મુખમાત્ર આગળ રાખી જળથી ભરેલા ગોપદમાંથી (ગાયના પગથી પડેલા ખાડામાંનું) પાણી પણ ઘેટું પીએ છે, પરંતુ તે તેને ડોળી નાંખતું નથી, તેવી રીતે સુશિષ્ય પણ ગુરૂ પાસેથી શાન્ત ચિત્તે શ્રુત એવી રીતે ગ્રહણ કરે છે કે જેથી તેને પોતાના અથવા બીજી પર્ષદાને કંઈપણ મનોબાધા ન થાય. ૧૪૬૯. હવે મચ્છર અને જળોનું ઉદાહરણ કહે છે. मसउ ब्व तुदं जच्चाइएहिं निच्छुब्भए कुसीसो वि । जलुगा व अदूमेंतो, पिबइ सुसीसोऽवि सुयनाणं ॥१४७०॥ જેમ જીવોને ડંશ દઈને મચ્છર પીડા કરે છે, પછીથી લુગડાના છેડાવડે તિરસ્કારથી દૂર કરાય છે, તેમ કુશિષ્ય પણ જાતિઆદિ દોષો ઉઘાડા કરવાથી ગુરૂને વ્યથા (પીડા) કરતો કાઢી મુકાય છે. તથા જળો જેમ રૂધિર પીએ છે, પણ તે રૂધિરવાળાને કંઈ પીડા નથી કરતી, તેમ સુશિષ્ય ગુરૂ પાસેથી શ્રુત ગ્રહણ કરે છે, પરંતુ ગુરૂને જાતિ આદિ દોષો ઉઘાડા કરીને પીડા કરતો નથી. ૧૪૭૦. હવે બિલાડીનું ઉદાહરણ કહે છે. छड्डेउं भूमीए खीरं, जह पिबइ दुट्ठमज्जारी । परिसदुट्ठयाण पासे, सिक्खइ एवं विणयभंसी ॥१४७१॥ જેમ દુષ્ટ બિલાડી હાંલ્લીમાંનું દૂધ ભોંય ઢોળીને પછી પીએ છે, પણ તેમાંથી નથી પીતી, આથી તેને દૂધનો તેવો યથાર્થ સ્વાદ નથી આવતો, તેવી જ રીતે ગોષ્ઠામાહિલ જેવા વિનયભંશીથી કુશિષ્ય પણ પર્ષદામાંથી ઉઠેલા વિંધ્યાદિના જેવા બીજાઓની પાસેથી શ્રુત ગ્રહણ કરે છે. પણ ગુરૂ પાસે નથી ગ્રહણ કરતો, કેમકે ગુરૂ પાસે ગ્રહણ કરે તો ગુરૂના વિનયાદિ કરવા પડે. અહીં દુષ્ટ બિલાડી જેવા વિનયભંશી કુશિષ્ય સમજવા ભૂમિસમાન પર્ષદામાંથી ઉઠેલા બીજા શિષ્યો, અને ઢોળેલા દૂધ સમાન તેનું મૃત સમજવું. ૧૪૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy