________________
ભાષાંતરી
યોગ્ય અયોગ્ય શિષ્યના ગુણદોષ.
[૫૩૧
થવાનું ? અર્થાતું ચારિત્ર નિષ્ફલ છે. વળી કોઈક તો એમ કહે છે કે આ બધા શાસ્ત્રોમાં વારંવાર તેને તે છકાય જે પૃથ્વીકાયાદિક છે, તેઓનું તથા પ્રાણાતિપાત વિરમણાદિ મહાવ્રતોનું નિદ્રાદિ પ્રમાદોનું અને તેના પરિવારનું જ વર્ણન છે, તે યોગ્ય નથી, કારણ કે સમજાવવા માટે ઉપદેશ કરવાનો છે, અને તે તો એક વખત કહેવાથી સમજાવી શકાય છે, માટે વારંવાર એ છકાયાદિનું કથન કરવું તે યોગ્ય નથી. તેમજ કેટલાક વસ્તુતત્ત્વને નહિ સમજનારા જણાવે છે કે મોક્ષપ્રાપ્તિ માટે રચવામાં આવેલા શાસ્ત્રોમાં જયોતિગ્રક્રની ગણતરી વગેરેનું અને યોનિપ્રાભૃતાદિથી સુવર્ણસિદ્ધિ આદિ પ્રતિપાદનની શી જરૂર હતી? કેટલાક સામાન્ય સમજવાળા કહે છે, કે જો જ્ઞાન મોક્ષ પ્રાપ્તિ માટે છે, તો પછી તે જ્ઞાન અભ્યાસમાં કાલ અને અકાલ શો ? શું માંદા મનુષ્યને દવા આપવામાં તથા મેલાં કપડાં ધોવામાં કાલ-અકાલ દેખાય છે ?
અર્થાત્ પ્રાકૃતભાષા હોવાથી, દાન વિનાનું ચારિત્ર આદરવાનું કહેલ હોવાથી, વારંવાર તેને તે અધિકારો હોવાથી, મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી નહિ એવા જયોતિષાદિક વિષયો કહેલ હોવાથી, તેમજ તેના અભ્યાસ માટે કાલ-અકાલનો વિચાર કહેલ હોવાથી, સૂત્રો માનવા લાયક નથી, એમ કહી સર્વજ્ઞના શાસ્ત્રમાં પણ દોષો કહેવા તૈયાર થાય છે.
તે શંકાઓના સમાધાનોમાં ચારિત્રની નિર્મલતાની ચાહના રાખનાર બાલ, સ્ત્રી, મૂઢ અને મૂર્ખ મનુષ્યોને પણ ઉપકાર થાય એટલા માટે તત્ત્વના જાણકારોએ સૂત્રો પ્રાકૃત ભાષામાં રચેલા છે, પ્રથમ કહેલ વસ્તુ બીજી વખત કહેવામાં આવે છે તેમાં કારણ છે. પ્રથમ હેલનો કોઈ કારણથી નિષેધ કરવો હોય અથવા નિષેધ કર્યો હોય છતાં કારણોને લીધે આજ્ઞા દેવી હોય અથવા તે વસ્તુમાં કંઈક વિશેષતા જણાવવી હોય, તેથી બીજી વખત કહેવામાં આવતું એક વાક્ય પણ નિપ્રયોજન નથી. કાલ-અકાલ તો કૃષિઆદિમાં પ્રત્યક્ષ છે, માટે તે શંકા નકામી છે. ૧૪૬૬. હવે હંસનું ઉદાહરણ કહે છે.
अंबत्तणेण जीहाए, कूचिया होइ खीरमुदगम्मि ।
हंसो मोत्तुण जलं, आइयइ पयं तह सुसीसो ॥१४६७।। હિંસની જીભ ખાટી હોવાથી પાણીમાંના દૂધના ફોદા થઈ જાય છે, અને તેથી પાણી મૂકીને હંસ દૂધ પી જાય છે, તેવી રીતે સુશિષ્ય પણ દોષો તજીને ગુણો ગ્રહણ કરે છે. ૧૪૬૭. - કોઈ ભાજનમાં દૂધ અને પાણી મેળવીને તે હંસને પીવા માટે મૂકયું હોય, તો હંસની જીભ સ્વાભાવિક અમ્લ (ખાટી) હોવાથી, જળ મિશ્રિત દૂધમાં તે ચંચુ નાખે એટલે જીભની ખટાશથી પાણીમાંનું દૂધ પરપોટા જેવા તેના ફોદા રૂપ થઈ જાય છે, તેથી હંસ એ પાણી મૂકીને પરપોટા જેવું થયેલું દૂધ પી જાય છે, તેવી જ રીતે જે યોગ્ય સુશિષ્ય હોય છે, તે ગુરૂના દોષો તજી દઈને માત્ર તેમના ગુણો જ ગ્રહણ કરે છે. ૧૪૬૭. હવે પાડાનું ઉદાહરણ કહે છે.
सयमवि न पियइ महिसो, न य जूहं पियइ लोडियं उदगं । विग्गह-विकहाहिं तहा, अथक्कपुच्छाहि य कुसीसो ॥१४६८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org