________________
પ૩૦]
શિષ્યની યોગ્યતામાં કમઢકનું દાંત. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
હવે આ ચાલણી ઉદાહરણના પ્રતિપક્ષમાં ખીર કમઢકનું ઉદાહરણ કહે છે અને સાથે બીજાં સુઘરીના માળાનું ઉદાહરણ કહે છે.
तावसनउरकिठिणयं, चालणिपडिवक्नु न सवइ दवंपि ।
परिपूणगम्मि उ गुणा, गलंति दोसा य चिट्ठति ॥१४६५।। - ચાલણીના પ્રતિપક્ષમાં ખરિકમઢકનું ઉદાહરણ છે, તેમાં નાખેલ ગમે તેવી દ્રવ-પ્રવાહી વસ્તુ હોય પણ તે નીકળતી નથી; સુઘરીના માળા જેવા શિષ્યમાંથી તેવા ગુણો નીકળી જાય છે અને દોષો રહે છે. ૧૪૬૫.
તાપસોના ભોજનાદિ માટેનું ઉપકરણ વિશેષ, તેને ખરિકમઢક કહેવાય છે. એનું ઉદાહરણ ચાલણીના પ્રતિપક્ષમાં છે. આ ઉપકરણ વાંસ શુંબ આદિને અતિ સૂક્ષ્મપણે કુટીને કમઢકના આકારે બનાવેલું હોય છે. એ ઘણું નિબિડ હોય છે, તેથી તેમાં ગમે તેવો પ્રવાહી પદાર્થ નાખેલ હોય, તોપણ તેમાંથી તે નીકળતો નથી. એવી જ રીતે તેના સમાન જે શિષ્ય હોય, તે ગુરૂએ કહેલું સર્વ યાદ રાખે છે, જરાપણ ભૂલી જતો નથી. આવો શિષ્ય હોય તે ગ્રાહ્ય છે, તેજ અનુયોગને લાયક છે. પણ પૂર્વોક્ત ચાલણી આદિ જેવા શિષ્યો યોગ્ય નથી.
પરિપૂણક એટલે સુધરીનો માળો. તેનું ઉદાહરણ કહે છે. સુઘરી (ચકલી વિશેષ)ના માળાથી ઘી-આદિ ગળ્યું હોય, તો તેમાંથી ઘી ગળાઈને નીચે પડે છે, અને તેમાંનો કચરો જ માત્ર માળામાં ભરાઈ રહે છે. તેવી રીતે તેના જેવા શિષ્યોમાં પણ સમજવું. એટલે કે એવા શિષ્યોમાંથી શ્રત સંબંધી જે જે સર્વ ગણો હોય તે સર્વ ઘીની પેઠે નીકળી જાય છે. અને ઘીના મેલની પેઠે શ્રતના દોષોનેજ તે ગ્રહણ કરે છે. ગુણો તો સર્વથા તજી દે છે, આથી આવો શિષ્ય સર્વથા અયોગ્ય છે. ૧૪૬૫. - આ સંબંધમાં શિષ્ય શંકા કરે છે, અને તેનો શ્રીગુરૂમહારાજ ઉત્તર આપે છે -
सवण्णुप्पामण्णा, दोसा हु न संति जिणमए केई ।
जं अणुवउत्तकहणं अपत्तमासज्ज व हवेज्जा ॥१४६६॥ સર્વજ્ઞના પ્રામાણ્યથી જિનમતમાં દોષો હોતાજ નથી; (તો પછી દોષ કયાંથી ગ્રહણ કરે ?) પરંતુ ઉપયોગ રહિત ગુરૂના કથનથી અથવા અયોગ્ય શિષ્યથી તેમાં દોષો ઉત્પન્ન થાય છે. નિર્દોષ એવા પણ જિનમતે અયોગ્ય શિષ્યો અછતા દોષોને ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન :- આ શાસનના પ્રવર્તક સર્વજ્ઞ હોવાથી જિનમતમાં કોઈપણ દોષો ન હોવાથી પરિપૂર્ણક (સુઘરીના માળા) જેવા શિષ્યો તેમાંથી દોષો કેવી રીતે ગ્રહણ કરી શકે ?
ઉત્તર :- એ સત્ય છે કે જિનમતમાં દોષો જરાપણ નથી; પરંતુ ઉપયોગ રહિત ગુરૂના વ્યાખ્યાનથી અથવા અયોગ્ય શિષ્યથી તેઓએ કલ્પેલા દોષો થાય છે, અર્થાત્ અયોગ્ય શિષ્યો જિનમતમાં અવિદ્યમાન દોષો ઉત્પન્ન કરે છે. તેમાંના કેટલાક એમ કહે છે કે આ બધાં સૂત્રો પ્રાકૃતભાષામાં રચેલાં છે, માટે કોણ જાણે કોણે આ બધાં સૂત્રો રચેલાં હશે ? કહેવાનું તત્ત્વ એ છે કે પ્રાકૃતભાષા હોવાથી વિશ્વાસ રાખવા લાયક નથી.
વળી બીજાઓ જણાવે છે કે બધા આરંભ પરિગ્રહ છોડી સાધુપણું આદરી નિગ્રંથ બને છે અને ચારિત્ર પાળે છે, પણ તે અવસ્થામાં દાન નહિ દઈ શકતા હોવાથી કેવળ ચારિત્રથી શું કલ્યાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org