________________
ભાષાંતર]
શિષ્યોનો વાર્તાલાપ.
[પ૨૯
હવે ચાલણીનું ઉદાહરણ જણાવતાં મગશીલીયો, છિદ્રઘટ અને ચાલણીનો વાર્તાલાપરૂપે સંવાદ જણાવતાં કહે છે.
सेलेयछिड्ड-चालणि, मिहो कहा सोउमुट्ठियाणं तु । छिड्डाऽऽह तत्थ बिट्ठो, सुमरिंसु सरामि नेदाणिं ॥१४६३॥ एगेण विसइ बिएण, नीइ कन्नेण चालणी आह ।
धन्नत्थ आह सेलो, जं पविसइ णेतिविय तुझं ॥१४६४॥ પત્થર જેવા, સછિદ્ર ઘડા જેવા, અને ચાલણી જેવા શિષ્યો, પરસ્પર એકબીજાની કથા સાંભળીને ઉઠ્યા પછી બોલ્યા. તેમાં પ્રથમ સછિદ્ર ઘટસમાન શિષ્ય બોલ્યો કે “ગુરૂ પાસે હતો તે વખતે તેમણે કહેલ અર્થ સાંભરતો હતો, હવે અત્યારે કંઈપણ સાંભરતું નથી.' એ સાંભળીને ચાલણી જેવો શિષ્ય બોલ્યો કે “મારે તો એક કાને અર્થ પ્રવેશ કરતો હતો અને બીજા કાને નીકળી જતો હતો.' આ પ્રમાણે સાંભળીને પત્થર જેવો શિષ્ય બોલ્યો કે “તમે બન્ને ધન્ય છો, કેમ કે તમારે તો અર્થ પ્રવેશ કરે છે અને નિકળી જાય છે, પરંતુ મારે તો તેમ પણ થતું નથી.' ૧૪૬૩-૧૪૬૪.
પૂર્વોક્ત ઉદાહરણોના અનુસાર શિષ્યોની પણ યોગ્યયોગ્યતા જાણવી; જેમકે ઉપર કહેલા ત્રણ પ્રકારના શિષ્યો વ્યાખ્યાન સાંભળી ઉઠીને બીજે ઠેકાણે જતાં માંહોમાંહે કહે છે. તેમાં પ્રથમ સછિદ્રઘટ સમાન શિષ્ય બીજાઓને કહેવા લાગ્યો કે “ગુરૂસમીપે હું હતો ત્યારે જે સ્ત્રાર્થ તેમણે કહ્યો હતો તે મને સાંભરતો હતો, હવે અત્યારે એમાંનો એક અક્ષર પણ યાદ નથી.” જેમ નીચે છિદ્રવાળા ઘડામાં નાખેલી કંઈ પણ ધાન્યાદિ વસ્તુ, ઘડો એક સ્થાને પડ્યો હોય, ત્યાં સુધી તેમાં રહે છે, પરંતુ ઘડાને તે સ્થળેથી ઉપાડીએ કે તરત જ તેમાંની સઘળી વસ્તુ છિદ્રારા નીકળી જાય છે. તેવી જ રીતે એવા શિષ્યો પણ જ્યાં સુધી ગુરૂ પાસે બેસીને સૂત્રાર્થ શ્રવણ કરે, ત્યાં સુધી તેનું તેમને સ્મરણ રહે, પણ ત્યાંથી ઉડ્યા પછી એક અક્ષર પણ યાદ ન રહે.
સછિદ્ર ઘટ જેવા શિષ્યની વાતો સાંભળીને ચાલણી સમાન શિષ્ય બોલ્યો, “ભાઈ ! તું તો મારાથી ઘણા દરજે સારો છે, કેમ કે જ્યાં સુધી તું ગુરૂ પાસ રહ્યો, ત્યાં સુધી તો તે એ સર્વ સ્મરણમાં રાખ્યું, અને પછી વિસ્મરણ થયું, પરંતુ મારે તો ગુરૂએ કહેલ સૂત્રાર્થ એક કાનથી પેશીને બીજા કાનમાંથી નીકળી ગયો, જેમ ચાલણીમાં આટો આદિ ઉપરથી નાંખીએ અને નીચેથી જતો રહે, તેમ ક્ષણવાર પણ હૃદયમાં એની સ્મૃતિ નથી રહી.'
આ બન્નેની હકીકત સાંભળીને મુગશેલ જેવો શિષ્ય બોલ્યો, “અરે ભાઈઓ ! તમે બન્ને મારાથી શ્રેષ્ઠ છો. કારણ કે તમારે ગુરૂએ કહેલ સૂત્રાર્થ એક કાનમાં પેશીને બીજા કાનેથી નીકળી ગયો, એટલુંએ થયું, મારે તો એટલું પણ ન થયું. પત્થર પર પડેલું પાણી જેમ તેના અંદરના ભાગમાં જરા પણ જતું નથી, તેમ મારે ગુરૂએ કહેલ સૂત્રાર્થનો અક્ષર પણ અન્તઃકરણમાં પ્રવેશ પામ્યો નથી.” આ પ્રમાણે આ ત્રણે પ્રકારના શિષ્યોમાં વિશેષતા સમજવી. ૧૪૬૩-૧૪૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org