________________
પ૨૮]
વામ્ય અવાઓ ઘડાનું ઉદાહરણ.
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧
અને અવામ્ય એમ બે પ્રકારના હોય છે. તેમાંના પ્રશસ્તભાવિત હોય છતાં વાપ્ય હોય અને અપ્રશસ્ત ભાવિત જો અવાચ્ય હોય તો તે ઘડા અગ્રાહ્ય છે, પણ એથી વિપરીત ઘડા ગ્રાહ્ય છે. ભાવિત તરીકે જીવો પણ એજ પ્રમાણે છે. એમાં કુમારચનિકાદિના સમીપપણાથી ભાવિત તે અપ્રશસ્ત ભાવિત અને સાધુઆદિના સંગથી ભાવિત તે પ્રશસ્ત ભાવિત ગણાય છે, પુનઃ તે વામ્ય અને અવાગ્યે એમ બે બે પ્રકારે છે. વળી જે અભાવિત ઘડા છે તે પણ ચાર પ્રકારે છે, આ ઘડાઓનો બીજો પ્રકાર જાણવો. ૧ છિદ્ર, ૨ ફાટેલો, ૩ ભાંગેલો, ૪ પૂર્ણ. ૧૪૫૯-૧૪૬૨.
એજ દૃષ્ટાંતને વિશેષે કહે છે : ઘડા બે પ્રકારના હોય છે, જે નવા પાકીને તૈયાર થયેલા પુષ્પ-જળ-તેલ આદિ વસ્તને અંગે ન વપરાયેલા હોય, તે અભાવિત ઘડા કહેવાય છે. અને જે તે વસ્તુને અંગે વપરાયેલા હોય, તે ભાવિત ઘડા કહેવાય છે, તેમાં જે સારી વાસનાવાળા પુષ્પાદિ રાખવામાં વપરાયેલા હોય તે પ્રશસ્તભાવિત કહેવાય અને મદિરા તેલ આદિ અશુભ વસ્તુ રાખવામાં વપરાયેલા હોય તે અપ્રશસ્તભાવિત કહેવાય. વળી પ્રશસ્તભાવિત વામ્ય અને અનામ્ય એમ બે પ્રકારના છે. વામ્ય એટલે એ પ્રશસ્ત અથવા અપ્રશસ્ત જે ભાવ લાગ્યો હોય તે તજી દે, તે વામ્ય, અને એ ભાવ ન તજી દે તે અવા. એ પ્રકારે અપ્રશસ્તભાવિત પણ વામ્ય અને અવાગ્યે એમ બે પ્રકારે છે એમાં જે પ્રશસ્ત ભાવ તજી દેનાર ઘડા તે અગ્રાહ્ય છે, તથા જે અપ્રશસ્તભાવ નહિ તજનાર ઘડાઓ તો અપ્રશસ્ત અવાગ્યે તે પણ અગ્રાહ્ય છે; પરંતુ એથી વિપરીત જે પ્રશસ્તભાવ નહિ તજનારા અને અપ્રશસ્તભાવ તજનારા ઘડા હોય, તે ગ્રાહ્ય-સુંદર છે.
આ પ્રમાણે જેમ દ્રવ્ય ઘડા છે, તેમ ઘડા તરીકે જીવો પણ પ્રશસ્ત-અપ્રશસ્તગુણરૂપ જળ ધારણ કરનાર શિષ્ય-જીવો ભાવિત અને અભાવિતાદિ ભેટવાળા છે. એમાં કુપ્રવચન આદિના સંસર્ગથી ભાવિત તે અપ્રશસ્તભાવિત કહેવાય છે અને સંવિગ્ન સાધુઓના સંસર્ગથી ભાવિત તે પ્રશસ્તભાવિત કહેવાય છે. એની વામ્ય અને અનામ્ય ભાવના પણ પૂર્વની રીતે જ સમજવી, એટલે કે પ્રશસ્તભાવ વમનાર અને અપ્રશસ્તભાવ નહિ વમનાર અગ્રાહ્ય-અયોગ્ય છે, અને એથી વિપરીત એટલે પ્રશસ્તભાવ નહિ વમનાર તથા અપ્રશસ્તભાવ વમનાર શિષ્ય ગ્રાહ્ય-યોગ્ય છે.
એ પ્રમાણે ભાવિત ઘડાઓનું સ્વરૂપ કહ્યું; હવે અભાવિત ઘડાઓનું સ્વરૂપ કહે છે. જે અભાવિત ઘડા છે, તે છિન્ન-ભિન્ન-ખંડિત-અને પૂર્ણ એમ ચાર પ્રકારના હોય છે. અથવા ભાવિત-અભાવિત પક્ષ સિવાય આ ચાર કોઈ અન્ય પ્રકાર છે એમ સમજવું. એટલે કે કોઈ ઘડો છિદ્રવાળો હોય, કોઈ ઘડો ફુટેલો હોય, કોઈ કાંઠાથી ભાંગેલો હોય, અને કોઈ સંપૂર્ણ આખો હોય છે. જેમ એ ઘડાઓમાં ભરેલ પાણી ન્યૂનાધિક ચાલ્યું જાય છે, તેમ કોઈ શિષ્ય છિદ્રવાળા ઘડા જેવો હોય, તેને શ્રત આપતાં તેની પાસે જરા પણ શ્રુત રહેતું નથી, શ્રવણ કરતાની સાથે જ તેમાંથી શ્રત નાશ પામે છે, અધવચમાં ફુટેલા ઘડા જેવા શિષ્યને આપેલું શ્રુત થોડા વખત સુધી રહે છે પણ પરિણામે નાશ જ પામે છે, કાંઠા ભાંગેલા ઘડા જેવા શિષ્યને આપેલું શ્રુત સંપૂર્ણ નથી રહેતું પણ ઘણું રહે છે, માત્ર એમાંથી કેટલુંક વિસ્મરણ થાય છે, અને આખા ઘડા જેવા શિષ્ય હોય તેને આપેલું શ્રત દીર્ઘકાળ પર્યત અવિનષ્ટ રહે છે. ૧૪૫૯-૧૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org