SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪] વ્યંજનાવગ્રહનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ અર્થોમાં ગ્રહણ સંબંધી કર્મનો ક્ષયોપશમ તથા શેષ સામગ્રી નથી હોતાં, ત્યાં ગ્રહણ થતું નથી. માટે ચક્ષ અને મન અપ્રાપ્યકારી છે. આથી એ પણ સિદ્ધ થયું કે સ્પર્શન-રસના-ધ્રાણ-અને શ્રોત્ર એ ચારને જે વ્યંજનાવગ્રહ થાય છે, તે ચક્ષુ તથા મનને નથી થતો. ર૪૯. એ પ્રમાણે ચહ્યું અને મન સિવાય બાકીની ઈન્દ્રિયોથી જ વ્યંજનાવગ્રહ થાય છે માટે તે વ્યંજનાવગ્રહ ચાર પ્રકારે છે. એમ સિદ્ધ કર્યું. હવે પૂર્વે ૧૯૩મી ગાથામાં કહ્યું છે કે – વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ અવગ્રહ બે પ્રકારે છે. તેમાં પ્રથમ વ્યંજનથી અર્થનું ગ્રહણ થાય છે માટે પહેલાં વ્યંજનાવગ્રહનું સ્વરૂપ કહીશું. પ્રતિબોધક અને કોડીયુંના ઉદાહરણ પૂર્વક તેનું સ્વરૂપ નંદી અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે - વ્યંજનાવગ્રહનું પ્રરૂપણ પ્રતિબોધક (જાગ્રત કરનાર)ના દષ્ટાંતથી તથા મલક માટીનું કોડીયુંના દષ્ટાંતથી કરીશ. પ્રતિબોધકનું દષ્ટાંત આ પ્રમાણે - જેમ કોઈ પુરૂષ બીજા સુતેલા પુરૂષને જાગ્રત કરવા અને ફલાણા ! ફલાણા ! એમ કહે, તે વખતે આ પ્રશ્ન થાય કે – એક સમયમાં પેઠેલા પુદ્ગળો ગ્રહણ થાય છે, સંખ્યાતા સમયે પેઠેલા યુગલો ગ્રહણ થાય છે, કે અસંખ્યાતા સમયે પેઠેલા ગ્રહણ થાય છે ? આનો ઉત્તર એ છે કે, એક સમયમાં અથવા સંખ્યાતા સમયમાં પેઠેલા પુદ્ગલો ગ્રહણ નથી થતા, પણ અસંખ્યાતા સમયે પેઠેલા પુદ્ગલો જ ગ્રહણ થાય છે. આ પ્રમાણે પ્રતિબોધકનું ઉદાહરણ છે. હવે કોડીયુંનું ઉદાહરણ કહીએ - જેમ કોઈ પુરૂષ સારી રીતે પાકેલું માટીનું કોડીયું લઈને તેમાં એક પાણીનું બિન્દુ નાંખે, તે ચૂસાઈ જાય, બીજાં નાંખે તે પણ ચૂસાઈ જાય, ત્રીજાં નાંખે તે પણ ચૂસાઈ જાય. એ પ્રમાણે બિંદુઓ નાંખતા નાંખતા પાણીનું બિન્દુ તેને ભીનું કરશે, પછી અનુક્રમે તેમાં બિંદુ રહેશે, વળી તે ભરાશે, છેવટે બિંદુ ન સમાતાં બહાર નીકળી જશે, અને તેને પલાળી નાંખશે. એ પ્રમાણે અહીં વ્યંજનાવગ્રહમાં પણ અનંતા પુદ્ગલો નાંખતાં જયારે તે (ઇન્દ્રિયરૂપ) વ્યંજન પૂર્ણ થાય છે, ત્યારે તે સુતેલો પુરૂષ “હું' એમ કહે છે, પરંતુ તે વખતે જાણતો નથી, કે શું આ શબ્દઆદિ છે કે બીજું કંઈ ? નંદીઅધ્યયનની ટીકામાં પણ આ જ પ્રમાણે કહ્યું છે : મૂળમાં “અસંખ્યાતા સમયે પ્રવેશેલા પુદ્ગલો ગ્રહણ થાય છે” એમ જે કહ્યું છે, તે શબ્દ વિજ્ઞાન ઉત્પત્તિની અપેક્ષાએ કહ્યું છે, અન્યથા સંબંધ માત્રની અપેક્ષાએ કહીએ તો ન કહેવાય. કેમકે પ્રથમ સમયે જ પુદ્ગલો ગ્રહણ થાય છે. અર્થાત પ્રથમ સમયથી આરંભીને અસંખ્યાતા સમય સુધી પ્રવેશ પામેલા, શબ્દ દ્રવ્યરૂપ પુદ્ગલો ગ્રહણ થાય છે, અને તે અર્થાવગ્રહરૂપ જ્ઞાનના હેતુ બને છે આ સર્વમાં છેલ્લા સમયે દાખલ થયેલા પુદ્ગલોક અર્થાવગ્રહરૂપ વિજ્ઞાન ઉત્પન્ન કરવા સમર્થ બને છે, તે સિવાયના બીજા પુદ્ગલો ઇન્દ્રિય ક્ષયોપશમમાં ઉપકારી છે. માટે સર્વ યુગલો સામાન્યથી ગ્રહણ થાય છે એમ કહ્યું છે. ૨૪૯. એ પ્રમાણે વ્યંજનાવગ્રહનું સ્વરૂપ પ્રતિપાદન કરનાર એવો નંદીસૂત્રનો બીજો ભાગ ઘણું કરીને સુગમ છે, એમ જાણીને “જયારે તે વ્યંજન પૂર્ણ થાય” ઇત્યાદિ પદની વ્યાખ્યા કરવા ભાષ્યકાર મહારાજ કહે છે કે – तोएण मल्लगंपिव, वंजणमापूरियंति जं भणियं । तं दवमिंदियं वा, तस्संजोगो व न विरुद्धं ॥२५०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy