________________
ભાષાંતર).
વિચારમાં વ્યંજનાવગ્રહનો અભાવ.
[૧૩૩
પ્રશ્ન :- આપે જે આ મનને અનુપલબ્ધિનો કાળ નથી એમ કહ્યું, તે તો સમજાયું. પણ પૂર્વે જે ચક્ષુને અપ્રાપ્યકારી કહી છે, તેમાં હજી શંકા છે, તે આપ કૃપા કરી સમજાવો. જો પૂર્વે કહ્યા મુજબ ચક્ષુ અપ્રાપ્યકારી છે, તો તે ત્રિભુવનગત સર્વ વસ્તુ સમૂહને કેમ નથી ગ્રહણ કરતી ? આપે કહ્યું છે કે અપ્રાપ્ત વિષયને ચક્ષુ ગ્રહણ કરે છે, તો પછી અપ્રાપ્ત વિષયપણું સર્વત્ર સમાન છતાં, કોઇકને ગ્રહણ કરે, અને કોઇકને ગ્રહણ ન કરે, એમ શા માટે ? આથી આપના કહેવા મુજબ ચક્ષુ અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, તેથી તેના ગ્રાહ્ય વિષય મનની પેઠે અપરિમિત થશે, કારણ કે - જે અપ્રાપ્ત વિષયને જાણે છે, તેને વિષયનું પરિમાણ નથી હોતું.” જેમ મન અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે, તેથી તેના વિષયનું પરિમાણ નથી. તેમ ચક્ષુ પણ અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરે છે તેથી તેના વિષયનું પરિમાણ પણ નથી. ૨૪૫. .
ઉત્તર :- મન અપ્રાપ્યકારી છે, તેને પોતાના વિષયનું પરિમાણ નથી, એમ જે તું કહે છે તે અયોગ્ય છે, કારણ કે મન સર્વ અર્થમાં નથી પ્રસરતું. કેવળજ્ઞાન આદિથી જાણી શકાય એવા અનન્તા ગહન અર્થો વિદ્યમાન છે. તેમાંના કેટલાક અર્થમાં મંદમતિવાળા જીવનું મન મુંઝાય છે. એટલે કે તે અર્થોને તેમનું મન જાણી શકતું નથી. અહીં પણ અપ્રાપ્તકારીપણું સમાન છતાં, તેવા અર્થોને મન નથી ગ્રહણ કરતું તેનું શું કારણ ? આ ઉપરથી એવો નિશ્ચય થાય છે, કે મનનો વિષય પરિમિત છે, અપરિમિત નથી. અને તેથી તારું દષ્ટાંત સાધ્યવિકલ હોવાથી સાધ્યની સિદ્ધિ નથી કરતું. ૨૪૬-૨૪૭.
મન કેટલાક અર્થને ગ્રહણ નથી કરતું, તે તદાવરણીય કર્મના ઉદયથી અથવા સ્વભાવથી નથી ગ્રહણ કરતું, તેમ ચક્ષુમાં પણ એ નિયમ સમાન છે, તે પણ તદાવરણીય કર્મના ઉદયથી અથવા સ્વભાવથી કેટલાક અર્થને ગ્રહણ કરે છે અને કેટલાકને નથી ગ્રહણ કરતી.
આ સાથે એ પણ સમજવું કે જેઓ ચક્ષુ અને મનને પ્રાપ્યકારી માને છે, તેઓને પણ આજ દૂષણ પ્રાપ્ત થશે. જેમ કે ચક્ષુ પ્રાપ્ત અર્થને ગ્રહણ કરે છે, તો અંજન-રજ-મેલ-સળી વિગેરે અર્થને તે કેમ નથી ગ્રહણ કરતી ? સર્વ અર્થને ગ્રહણ કરે છે, એમ કહેવામાં આવે તો તે ખોટું છે, કેમ કે જયારે તે ઘટને ગ્રહણ કરે છે, ત્યારે પટ-શંખ-છીપ વિગેરેને કેમ નથી ગ્રહણ કરતી. આનો ઉત્તર એ કે ઘટની પ્રાપ્તિકાળે પટઆદિની પ્રાપ્તિ નથી થતી, તેથી મન તેને નથી ગ્રહણ કરતું. આ કથન પણ યોગ્ય નથી, કેમ કે તે વખતે પટઆદિ પ્રાપ્ત નથી થયા, એમ શી રીતે કહેવાય ? કોઈ વસ્તુનું તેમને આવરણ નથી, કદાચ આવરણ હોય, તો પણ મેરૂ આદિ દૂરની વસ્તુનું જ્ઞાન મન વડે થાય છે, તો તેમનું કેમ ન થાય? તેથી એમ કેમ કહી શકાય, કે ઘટની પ્રાપ્તિકાળે પટઆદિ પ્રાપ્ત નથી થયા. આ પ્રમાણે પ્રાપ્યકારી માનવાથી પણ દોષ પ્રાપ્ત થશે. ૨૪૮.
ચક્ષુ ઈન્દ્રિય આગમમાં કહેલા વિષય ઉપરાંત વિષયને ગ્રહણ કરી શકતી નથી, કેમ કે તેને મનની પેઠે વિષય ઉપરાંત ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી. અપ્રાપણું સમાન છતાં જે અર્થોમાં જ્ઞાન થવા માટે, કર્મનો ક્ષયોપશમ અને પ્રકાશ આદિ સમાગ્રીના સંબંધથી અનુગ્રહ હોય છે, તે અર્થોમાં કર્મના ક્ષયોપશમથી અને શેષ સામગ્રીના અનુગ્રહથી ચલું ગ્રહણ કરવા સમર્થ થાય છે. અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org